રસોડામાં રહેલી આ બે જડીબુટ્ટીનું એક સાથે સેવન કરવાની આ 7 બીમારીઓ થઈ જશે જડમૂળથી નાબુત… કેન્સર જેવી બીમારીઓમાં પણ છે અકસીર…

ભારતીય મસાલા માત્ર ભોજનનો સ્વાદ વધારે છે. પરંતુ તેના સ્વાસ્થ્ય માટે પણ અગણિત ફાયદા છે. તેવો જ એક મસાલો છે કાળા મરી. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, કાળા મરીમાં પિપેરીન નામનું તત્વ જોવા મળે છે. જે બ્રેસ્ટ કેન્સરના વિકાસને રોકી શકે છે. અને આ મસાલામાં વિટામીન-સી, વિટામીન-એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટિન અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ પણ જોવા મળે છે. જે શરીરમાં ખતરનાક ફ્રી રેડીકલને બેઅસર  કરીને તમને કેન્સરથી બચાવી શકે છે.

આ રીતે સ્વાસ્થ્ય માટે કાળા મરી અને ઘી ખાવાથી પણ ઘણા બધા ફાયદા મળે છે. જેમાં વિટામીન એન્ટીઓક્સીડેન્ટ અને હેલ્ધી ફેટ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, જેથી બનેલું ભોજન અને શાકભાજી ખાવાથી તમને વધુ પોષક તત્વો નષ્ટ કરવામાં મદદ મળી શકે છે. ઘી માં પણ વિટામિનો ખુબ જ સારો સ્રોત જોવા મળે છે. વિટામિન એમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. વિટામિન આ એન્ટીઓક્સીડેન્ટ ગુણ કેન્સર સાંધાનો દુખાવો અને મોતિયા જેવા જોખમને ઓછું કરી શકે છે. ડાયટિશિયન જણાવે છે કે, આયુર્વેદમાં ઘી અને કાળા મરીના ઘણા બધા ફાયદા જણાવવામાં આવ્યા છે.

ભારતમાં વર્ષોથી ઘીનો ઉપયોગ હર્બલ દવાની સાથે કરવામાં આવે છે અને આ બન્ને વસ્તુઓ શરીરને અલગ અલગ રીતે લાભ પહોંચાડે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે, આ બન્ને વસ્તુઓનું એક સાથે મિશ્રણ કરીને લેવાથી શરદી ખાંસી સાંધાનો દુખાવો અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે મદદ મળી શકે છે. એટલું જ નહિ અને કાળા મરી અને સ્વસ્થ રાખવા માટે અને આંખોની રોશની વધારવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ તેના બીજા ક્યાં ક્યાં ફાયદા છે.

સૂકી ખાંસીમાં આરામ : શિયાળાની ઋતુ છે અને કોરોનાની મહામારી પણ ચાલી રહી છે. આ બંને પરિસ્થિતિમાં ખાંસી એક સામાન્ય સમસ્યા છે. ખાંસીના ઉપાય માટે આમ તો ઘણી બધી દવાઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ તમે હતી અને કાળા મરીનો સહારો લઈ શકો છો સૂકી ખાંસીમાં થી આરામ મેળવવા માટે એક ચમચી દેશી ઘી માં અડધી ચમચી કાળા મરી ઉમેરીને તેનું સેવન કરો કાળા મરીની ગરમી કન્જેકશનને ઓછું કરી શકે છે.

રોગ પ્રતિકારક શક્તિ : કાળા મરી અને તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શિયાળાની ઋતુ ચાલી રહી છે. સાથે-સાથે કોરોનાની મહામારી પણ છે. આ સમયમાં વાયરસ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. તેથી તમારે નિયમિત રૂપથી આ મિશ્રણનું સેવન કરવું જોઈએ.

આંખોની રોશની વધારવા : નિયમિત રૂપે ઘી નો પ્રયોગ કરવાથી આંખોની રોશની વધારી શકાય છે. તેની માટે જિંદગીના અમુક ટીપા માં કાળા મરીનો પાવડર ઉમેરીને દરરોજ તેનું સેવન કરો પગના તળીયામાં ઘી લગાવવાથી કમજોર આંખોમાં સુધારો આવી શકે છે. વિટામિન એનો ખુબ જ સારો સ્ત્રોત છે. જે કોઈ પણ વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે છે.

અર્ટીકૅરીયાની સારવારમાં : અર્ટીકૅરીયાને શીતપિત્ત અથવા પિત્તિ પણ કહેવામાં આવે છે. તે ચામડીનો એક રોગ છે. જેમાં ચકામા પડી જાય છે અને તેને કારણે જ સ્કીન ઉપર લાલ રંગના દાણા આવે છે. જેમાં વારંવાર ખંજવાળ આવતી રહે છે. તેનાથી રાહત મેળવવા માટે અડધી ચમચી કાળા મરીનો પાવડર અને એક ચમચી દેશી ઘી મિક્સ કરીને દરરોજ સવારે ખાલી પેટ ઉપર તેનું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ મળી શકે છે અને વધુ સારું પરિણામ મેળવવા માટે ત્રણ મહિના સુધી તેનું સેવન કરો.

સાંધાનો દુખાવો કરશે છૂમંતર : શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા ખુબ જ વધી જાય છે અને તેમાં આરામ મેળવવા માટે ઘી અને કાળા મરીનું સેવન કરવું જોઈએ તેની માટે કાળા મરીને શેકીને ઘીની સાથે ખાવું જોઈએ, આ મિશ્રણ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

પાચનતંત્ર : કાળા મરી અને ઘી બંને વસ્તુઓ ઔષધીય ગુણોનો ભંડાર હોય જે હેલ્ધી ફેટી એસિડ હોય છે. જ્યારે કાળા મરીમાં ડેટોક્ષિફાયના ગુણ જોવા મળે છે. આ જ કારણ છે કે, આ બંને વસ્તુઓનું એક સાથે સેવન કરવાથી શરીરમાં જમા થયેલ ગંદકીને બહાર કાઢી શકાય છે અને પાચનતંત્રને મજબૂત કરી શકાય છે.

હૃદયને સ્વસ્થ રાખવા : ઘી અને કાળા મરીના મિશ્રણથી હૃદય સ્વસ્થ અને મજબૂત બનાવી શકાય છે. આ બંને વસ્તુઓનું એક સાથે સેવન કરવાથી શરીરમાં એન્જીયોજેનેસિસનો વધારો મળે છે. અને તે એક એવી પ્રોસેસ છે જેમાં શરીરની રક્ત વાહિનીઓને ફેલાવવાની મંજૂરી મળે છે. તે લોહી પરિભ્રમણમાં સુધારો કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment