મોંઘી દવાના બદલે નિયમિત આનું સેવન કબજિયાત, સાંધાના દુઃખાવા, અનિંદ્રા મટાડી લગ્ન જીવનને સદાય રાખશે આનંદમય…

મિત્રો તમે દૂધ અને ઘી બંનેનું સેવન કરતા હશો. તેમજ ક્યારેક તે એક સાથે સેવન કરો છો તો ક્યારેક અલગ અલગ. પણ જો તમે તેને મિક્સ કરીને સેવન કરો છો તેના ઘણા ફાયદાઓ તમને થાય છે. ઘી અને દૂધનું સંયોજન ત્વચાની જલનથી લઈને પેટ ખરાબ સુધીની બધી પ્રકારની બીમારીઓ દુર કરવામાં મદદ કરે છે. તો આજે આ લેખમાં અમે તમને ઘી અને દૂધના કેટલાક ફાયદાઓ વિશે જણાવશું.

શું તમે જાણો છો કે દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. મેટાબોલિઝ્મને વધારવાની સાથે સહનશક્તિ વિકસિત કરવામાં અને સાંધાના દુઃખાવામાં રાહત આપવામાં ઘીની સાથે દૂધનું સંયોજન અમૃત સમાન છે. ઘી સૌથી લોકપ્રિય આયુર્વેદિક ફૂડસમાંથી એક છે. જેમાં ઘણા રોગોનો ઈલાજ રહેલો છે. આ તે ફૂડમાંથી એક છે જે આપણા જીવનમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે તે આપણા દૈનિક વપરાશની વસ્તુઓ માંથી એક છે. તેમજ આયુર્વેદ દ્વારા પણ તેને ખાવાની સલાહ આપવામાં આવે છે.ઘી એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર છે અને તે પ્રકૃતિમાં જીવાણું વિરોધી અને એન્ટી ફંગલ પણ છે. પોષક તત્વોથી અને ફેટી એસિડથી ભરપુર ઘી પણ એક સુપર ફૂડ માનવામાં આવે છે. પણ દૂધની સાથે તેનું સેવન કરવાથી ઘી સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. ઘી અને દૂધનું સંયોજન ત્વચાની જલનથી લઈને ખરાબ પેટ સુધી બધી પ્રકારની બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ ઘી અને દૂધના કેટલાક ફાયદાઓ વિશે.

મેટાબોલિઝ્મ : દૂધની સાથે ઘીને મિક્સ કરીને સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ વધે છે અને પાચન મજબુત બને છે. ઘી અને દૂધ બંને આંતરડામાં પાચન એન્જાઈમના સ્ત્રાવને વધારાવમાં મદદ કરે છે. ભોજનને નાના નાના હિસ્સામાં તોડવામાં મદદ કરે છે, જેથી કરીને શરીર પોષક તત્વોને સરળ રીતે અવશોષિત કરી શકે. તેમજ તે શરીરની ચપપચાયને વધારીને વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે.સાંધાના દુઃખાવા : ઘી સાંધા માટે એક વરદાન સમાન છે. સોજાને ઓછો કરવામાં તે મદદ કરે છે. ઘીમાં કે 2 હાડકાઓને દૂધની હાઈ કેલ્શિયમ સામગ્રીને અવશોષિત કરવામાં મદદ કરે છે. આ રીતે તમારા શરીરના હાડકાઓને સ્વાભાવિક રૂપે મજબુત કરવાની ક્ષમતાને વધારે છે.

નીંદર : ઘી એક સારું ભોજન છે, તે તણાવને ઓછો કરે છે તમારો મૂડ ફ્રેશ રાખે છે. જ્યારે તેને એક કપ ગરમ દૂધમાં મિક્સ કરવામાં આવે તો તે નસને શાંત કરીને અને સારી નીંદરની સ્થિતિ પેદા કરે છે. આ જ કારણ છે કે દૂધમાં ઘી મિક્સ કરીને પીવાનો સૌથી સારો સમય રાત્રી છે.ત્વચા : ઘી અને દૂધ બંને પ્રાકૃતિક મોશ્ચરાઇઝર છે અને એમ કહેવામાં આવે છે કે, તે ત્વચાને અંદરથી બહાર સુધી સુધારે છે. દરરોજ સાંજે દૂધ અને ઘી પીવાથી ત્વચા સુસ્ત અને જવાન દેખાવા લાગે છે.

પાચન શક્તિ : દૂધમાં ઘી શરીરની અંદર પાચન એન્ઝાઈમના સ્ત્રાવને ઉત્તેજિત કરીને પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. આ એન્ઝાઈમ સરળ ખાદ્ય પદાર્થમાં જટિલ ફૂડ્સને તોડે છે. જે સારા પાચનમાં મદદ કરે છે. જો તમને કબજિયાત રહે છે અથવા પાચનતંત્ર કમજોર છે તો તમારે નિયમિત રૂપે  ઘી અને દૂધનું સેવન કરવું જોઈએ.સ્ટેમિના : જો તમે સતત વધુ પડતા કામને કારણે થાક અનુભવો છો તો તમારે આ ફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે તે તમને સખ્ત શારીરિક ગતિવિધિઓને કરવા માટે ખુબ જ સહન શક્તિ અને શક્તિ પ્રદાન કરે છે.

યૌન જીવન : યૌન જીવનને સારું બનાવવા માટે પોતાના ડાયેટમાં આ ફૂડનું સંયોજન જરૂર સામેલ કરવું જોઈએ. તે અંગત સંબંધો, યૌન સહનશક્તિને વધારે છે. તે શરીરની ગરમીને પણ ઓછી કરે છે જે યૌન અવધીને વધારવામાં મદદ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment