દર મહિને મળશે સવા લાખ રૂપિયા પેન્શન તરીકે, અજમાવો આ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ, મળશે ગજબના આર્થિક ફાયદા…

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023-24માં રોકાણની મર્યાદા ને 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવાનું એલાન કર્યું. તેની સાથે જ સરકારે એપ્રિલ થી જૂન 2023  ત્રિમાસિક ગાળા  માટે નાની બચત યોજના ની વ્યાજ દરમાં 70 બીપીએસ સુધી વધારો કરી દીધો છે. 

આ યોજનાઓમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર, તમામ પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ જેવી યોજના સામેલ છે, જેના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.👉 જાણો શું છે વરિષ્ઠ નાગરિક બચત યોજના:- જણાવીએ કે કોઈપણ વ્યક્તિ એકલો એટલે કે વ્યક્તિગત રૂપે કે પોતાના પતિ કે પત્નીની સાથે સંયુક્ત રૂપે ઓછામાં ઓછા ₹1,000 કે 1000 રૂપિયાના ગુણાંકમાં કોઈપણ રકમ સાથે આ યોજના દ્વારા ખાતુ ખોલાવી શકે છે. ખાતું ખોલાવવાની તારીખથી પાંચ વર્ષની સમાપ્તિ બાદ બંધ કરી શકાય છે. તેમજ તેને આગલા ત્રણ વર્ષના સમયગાળા માટે વધારી પણ શકાય છે.

  1. 👉 કેવી રીતે લઈ શકાય યોજનાનો લાભ?:- વરિષ્ઠ નાગરિક બચત યોજના એવા વ્યક્તિઓ માટે એક ખૂબ જ સારો પ્લાન છે જેઓ તેમની કુલ રોકાણ કરેલી રકમમાંથી નિયમિત આવક મેળવવા માંગે છે. આ યોજના દ્વારા એક વરિષ્ઠ નાગરિક કપલ કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં 60 લાખ રૂપિયા સુધી રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકે છે. 

👉 સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર કેટલો છે વ્યાજદર:- નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-જૂન) ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) નો વ્યાજ દર વાર્ષિક 8.2 ટકા છે. રોકાણ કરેલી રકમ પર દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ ચૂકવવામાં આવે છે. જણાવીએ કે એપ્રિલ થી જૂન ત્રિમાસિક ગાળા માટે વરિષ્ઠ નાગરિક બચત યોજના વ્યાજ દર 2023 ની નિશ્ચિત આવક વાળી નાની બચત યોજનાઓમાં ઉપલબ્ધ શ્રેષ્ઠતમ વ્યાજ દરો માંથી એક છે.👉 વરિષ્ઠ નાગરિક બચત યોજના 2023 કેલ્ક્યુલેટર:- વરિષ્ઠ નાગરિક કપલ ના રોકાણની રકમ – રૂ. 60 લાખ (એટલે ​​કે 30-30 લાખ રૂપિયા અલગ અલગ), ત્રિમાસિક ગાળામાં મેળવેલ વ્યાજ – રૂ. 1,23,000, કાર્યકાળ – 5 વર્ષ, એસસીએસએસ ( SCSS) વ્યાજ દર – 8.2%, પાકતી મુદતની રકમ – રૂ. 60 લાખ, કુલ વ્યાજ – રૂ. 24,60,000.

👉 માતા-પિતાના નામથી પણ કરાવી શકો છો રોકાણ:- જો કોઈ વ્યક્તિ એક સુરક્ષિત અને સુરક્ષિત સરકાર સમર્થિત યોજનામાં 60 લાખ રૂપિયાનું રોકાણ કરવા ઇચ્છતો હોય તો તે પોતાના માતા પિતાના નામ પર વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં સંપૂર્ણ રકમનું રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે અને યોજનામાં પોતાને નામાંકિત કરી શકે છે એટલે કે પોતાનું નામ નોંધાવી શકે છે.જણાવીએ કે આ યોજનાના માધ્યમથી થતી નિયમિત આવકનો ઉપયોગ તમારા વૃદ્ધ માતા પિતાના દૈનિક ખર્ચાઓને જાળવી રાખવા માટે કરી શકાય છે, જ્યારે તમે ઈચ્છો તો તેનો એક ભાગ તમારા માટે પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ યોજનાની પરિપક્વતા થવા પર એટલે કે કાર્યકાળ પૂરો થવા પર તમને સંપૂર્ણ રકમ 60 લાખ રૂપિયા પાછી આપી દેવામાં આવે છે.

👉 વધુમાં વધુ આટલું કરી શકો છો રોકાણ:- તમને જણાવીએ કે વરિષ્ઠ નાગરિક બચત યોજના બેંકો કે પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. આ યોજના દ્વારા કરવામાં આવેલ રોકાણ 1961ના આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ પૂરી પાડવામાં આવેલ કર મુક્તિ માટે પાત્ર છે. તેમજ આ યોજનામાં રોકાણ કરવા વાળા કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરીને વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાતું ખોલાવી શકે છે. તેમજ એક વ્યક્તિ માટે આ યોજના દ્વારા વધુમાં વધુ રોકાણ મર્યાદા વધારીને 30 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment