સાંધામાં દુઃખાવો અનેક કારણોથી થઈ શકે છે. લગભગ લોકોને હાડકાંમાં નબળાઈ, ગાંઠ, અર્થરાઈટિસ, માંસપેશીઓમાં સોજો અથવા તો વધતું યુરિક એસિડ વગેરે અનેક કારણોથી પણ સાંધામાં દુઃખાવો થાય છે. લગભગ આ સમસ્યા 40 થી 50 વર્ષ પછીના લોકોમાં વધારે જોવા મળે છે. પરંતુ આજે ઓછી ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા એટલે કે હાડકાંમાં નબળાઈ અને યુરિક એસિડ વધવાના કારણે આ સમસ્યા જોવા મળે છે. આ દુઃખાવો લગભગ, ગોઠણ, કોણી, પંજા, એડી અને પીઠમાં વધારે અસર કરે છે.
આ દુઃખાવાથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણી પ્રકારની દવાઓનું સેવન કરે છે, પરંતુ આમ, છતાં પણ તે પ્રભાવિત સાબિત થતી નથી. સાંધાના દુઃખાવાને દૂર કરવા માટે, તમે ઘર પર જ એક સહેલી ટિપ્સને અજમાવી શકો છો. આ ઘરેલુ ટિપ્સથી તમારી માસપેશિયોમાં સોજો ઓછો થઈ જશે અને સાંધાના દુઃખાવામાં તમને જલ્દી આરામ મળશે. આવો તમને જણાવીએ શું છે એ ટિપ્સ.ઓલિવ ઓઈલ અને મીઠાથી બનાવો દુઃખાવા નિવારક તેલ : સાંધાના દુઃખાવાને દૂર કરવા માટે, તમે ઘર પર જ દર્દ નિવારક તેલ બનાવી શકો છો. તેને બનાવવા માટે તમારે માત્ર 3 વસ્તુઓની જરૂર પડી શકે છે. જેમાં 20 ચમચી ઓલિવ ઓઈલ, 10 ચમચી સમુદ્રી મીઠું, 1 કપ પાણી.
કેવી રીતે બનાવાય છે સાંધાનું દુઃખાવા નિવારક તેલ ? : આ તેલને બનાવવા માટે, એક મોટા બાઉલમાં 20 ચમચી ઓલિવ ઓઈલ અને 10 ચમચી સમુદ્રી મીઠું લો. હવે તેમાં 1 કપ પાણી નાખી દો અને પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. જેથી ઓલિવ ઓઈલ અને પાણી સારી રીતે મિક્સ થઈ જાય. આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી, તેને એક બોટલમાં ભરી લો.કેવી રીતે કરવાનો છે ઉપયોગ : આ તેલને તમારે ત્યાં લગાવવાનું છે, કે જ્યાં તમને દુઃખાવો થતો હોય છે. તેને લગાવ્યા પછી 3 થી 4 મિનિટ સુધી માલિશ કરો. તમે દિવસમાં 1 થી 2 વાર માલિશ કરી શકો છો. દરરોજ માલિશ કરતાં-કરતાં સમય વધારી શકો છો. મસાજ કરવાથી તમને અનેક ફાયદા થઈ શકે છે.
8 થી 10 દિવસ સુધી દરરોજ મસાજ કરતાં, ટાઈમિંગને તમે 15 થી 20 મિનિટ જેટલો કરી શકો છો, અથવા જેટલો સમય હોય, તેટલા સમય સુધી માલિશ કરી શકાય છે. આ તેલની અસર તમને પહેલા અઠવાડીયામાં જ જોવા મળશે. સમુદ્રી મીઠું અને ઓલિવ ઓઈલથી બનાવાયેલા આ દુઃખાવા નિવારક તેલને પહેલાના લોકો આ જ રીતને ફોલો કરતા હતા.સાંધાના દુઃખાવામાં શું કામ ફાયદાકારક છે ઓલિવ ઓઈલ અને સમુદ્રી મીઠું ? : ઓલિવ ઓઈલ અને મીઠાથી બનાવાયેલ આ તેલના મસાજથી તમને સાંધાની આસપાસના સ્થાનમાં લોહીનું સર્ક્યુલેશન થાય છે અને ડેમેઝ થઈ ચૂકેલી સેલ્સ રીપેર થાય છે. આ તેલ લાભકારી છે, કારણ કે તેમાં ઓલિવ ઓઈલ હોય છે, જે પાવરફૂલ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે. ઓલિવ ઓઈલથી હાડકાં મજબૂત થાય છે અને આ તેલની અંદર એક ખાસ એન્ટી-ઇમ્ફલેમેટરી તત્વ હોય છે, જેને ઓલોયકૈંથલ કહેવામાં આવે છે. આ તત્વ અંદરના સોજાને દૂર કરે છે, જેથી દુઃખાવો ઓછો થાય છે.
આ સિવાય આ તેલમાં રહેલ સમુદ્રી મીઠું મિનરલ્સનો ભંડાર છે. આ મીઠામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ અને જિંક તત્વ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને દુઃખાવાને ઓછો કરે છે. ઘણા લોકોને આ તેલથી મસાજ કરવાથી ત્વચા પર લાલાશ પણ આવી શકે છે. જો આવું થાય તો માલિશ બંધ કરી દો અને ગરમ પાણીમાં પલાળેલ ટુવાલની મદદથી તેલને સાફ કરી લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી