મિત્રો આજે મોટાભાગના લોકોનું એક સામાન્ય કહી શકાય તેવું એક વ્યસન છે ચા. જેના વગર લોકોના દિવસની શરૂઆત નથી થતી. આથી તેમને ઉઠતાની સાથે ચા જોઈએ છે. ઘણા લોકોને તો ઘડીએ ઘડીએ ચા જોઈએ છે. પણ ઘણા લોકોને ચા પીધા પછી તરત જ પાણી પીવા જોઈએ છે. જે તમને નુકસાનકારક છે. ચાલો તો તેના વિશે વિસ્તારથી માહિતી જાણી લઈએ.
કડક ચાની એક વાટકી હૃદયને તસલ્લી આપવાની સાથે સ્વાસ્થ્ય ને નુકશાન પણ પહોચાડી શકે છે. જો કે ચા પીધા પછી કેટલાક લોકોને તરસ લાગે છે. તો તરત જ અથવા 10-15 મિનિટ પછી પાણી પી લે છે. પરંતુ ગરમ ચા અને ઠડું પાણી બંને એક સાથે થવાથી ન તો દાંત માટે પરંતુ પેટ માટે પણ નુકશાન કારક સાબિત થાય છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ગરમ ચા પછી ઠંડુ પાણી પીવું તમારા માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે.
કેમ લાગે છે ચા પીધા પછી તરસ
એક્સપર્ટનું માનીએ તો એક કપ ચામાં આશરે 50 મિ.ગ્રા. કૈફિન હોય છે, જે પેશાબ ઉત્પ્રેરક (ડાઈયુરેટિક)નું કામ કરે છે. આનાથી પેશાબ જલ્દી આવે છે. અને તરસ પણ લાગે છે. ત્યાં વધારે ડાઈયુરેસિસને કારણે કેટલીક વખત શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જે સ્વાસ્થ્ય માટે સારું નથી.
ચા પીધા પછી કેટલો સમય પછી પાણી પીવું જોઇએ?
ચા અથવા કોઈ પણ ગરમ પીણું પછી તરત જ પાણી પીવું જોઇએ નહિ. લાંબો સમય આ ટેવ રહેવાથી નુકશાન પણ થઈ શકે છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું ગરમ પીણું પીધા પછી ઓછામાં ઓછા 15-20 મિનિટ પછી પાણી પીવું જોઇએ. સાથે આખા દિવસમાં 2-3 કપથી વધારે ચા પીવી જોઈએ નહિ.
ચા પીધા પછી પાણી પીવાથી થઈ શકે છે આ નુકશાન
દાંતની સમસ્યા : ગરમ ચા અને ઠંડુ પાણી પીવાથી દાંતમાં સમસ્યા થઈ શકે છે. જો કે આવું કરવાથી મોનું તાપમાન અચાનક બદલાઈ જાય છે. અને દાંતોની નસો પર તેમજ જ ઉપરના એનૈમિલ પર અસર પડી શકે છે. આનાથી દાંતોમાં સેન્સટિવિટી વધી જાય છે. જેનાથી ઠંડુ ગરમ લાગવાની સમસ્યા થઈ શકે છે.
પેટમાં અલ્સર: આવું કરવાથી પેટમાં અલ્સર અને પાણી ભરાઈ જવાની સંભાવના વધી શકે છે. સાથે આનાથી પેટમાં દુખાવો, એસિડિટી, કબજિયાત તેમાજ પેટની અન્ય સમસ્યા થઈ શકે છે.
નાક્ માથી લોહી નીકળવું : ચા પીધા પછી તરત જ પાણી પીવાથી નાકમાં લોહી આવી શકે છે. આના કારણને લીધે તમને બીજી અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે.
શરદી-ઉધરસ : ગરમ-ઠંડુ બંને એકસાથે થવાથી તમને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેમજ એક જ સમય પર ગરમ-ઠંડુ લેવાથી ગળું પણ બેસી જાય છે.
હાર્ટ ફેલ: શોધ પ્રમાણે, ગરમ ચા પછી નોર્મલ ઠંડુ અથવા ફ્રિજ વાળું પાણી પીવાથી હાર્ટ ફેલનું રિસ્ક પણ વધી જાય છે. આના સિવાય ક્યાંરેય પણ ખૂબ તડકા માંથી એસી માં પણ જવું જોઇએ નહિ. આનાથી પણ હાર્ટ ફેલનું રિસ્ક રહે છે.
ચા પીધા પહેલા પાણી પીવું : સારું રહેશે કે તમે ચા પીવાના 30 થી 50 મિનિટ પહેલા પાણી પીવું જોઈએ. જો કે જ્યારે તમે ચા કોફીથી પહેલા 1 ગ્લાસ પાણી પીવો છો તો શરીરમાં એસિડિટીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આનાથી પેટમાં ગૈસ, એસિડિટી, કૈંસર , અલ્સર થવાનો ડર નહીં રહે.
આમ, ચા પીધા પછી સામાન્ય રીતે પાણી ક્યારેય પણ પીવું જોઇએ નહિ. કારણકે ચા ગરમ હોય છે અને ઉપરથી ઠંડુ પાણી પીવાથી મોનું તાપમાનમાં બગડે છે. જેનાથી દાંતમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. અને પેટમાં દુખાવો , પેટને લગતી બીમારી જેવી સમસ્યા થઈ શકે છે. તેથી બને ત્યાં સુધી ચા પીધા પછી પાણી પીવું જોઇએ નહિ.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી