ગરમ દૂધમાં ફક્ત 2 ટીપા આ તેલનું સેવન બચાવી દેશે દવાખાનાના મોંઘા ખર્ચા. હાડકાના દુખાવા, કબજિયાતનો 100% અકસીર અને મફત ઈલાજ..

શું તમે ક્યારેય દિવેલ વિશે સાંભળ્યું છે, તેને કેસ્ટર ઓઈલના નામે જાણવામાં આવે છે. દિવેલાના પાન, બીજ, જડ અને ફૂલમાંથી તેલ કાઢવામાં આવે છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણા બધા રોગોને દૂર કરવા માટે કરી શકાય છે. તેને ઔષધિના રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ પેટ સંબંધિત સમસ્યાઓ પેટનો દુખાવો, કબજિયાત અને પાઇલ્સ માટે કરવામાં આવે છે. તે ત્વચાના રોગો પેટ અને મહિલાઓના રોગો માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે.

દિવેલને એરંડના નામથી પણ જાણવામાં આવે છે. પરંતુ તેનું પ્રચલિત નામ દિવેલ જ છે. દિવેલને દૂધની સાથે ઉમેરીને પીવાથી સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા અને વાળને પણ ખુબ જ ફાયદો થાય છે. તમારે તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી તમને નુકશાન પણ થઈ શકે છે, તેથી તેનું સીમિત માત્રામાં સેવન કરીને તેના ફાયદા ઉઠાવી શકાય છે.

1 ) કબજિયાતમાં રાહત અપાવે : ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, દિવેલને જો આપણે દૂધમાં ઉમેરીને તેનું સેવન કરીએ છીએ તો કબજિયાતની સમસ્યા સંપૂર્ણ રીતે યોગ્ય કરી શકાય છે, તે પ્લેટીના રૂપે કામ કરે છે જે કબજિયાતમાં રાહત આપવામાં મદદ કરે છે, દિવેલનું તેલ પીવાથી પાચનક્રિયા સારી થઈ જાય છે અને તેના કારણે મળ ત્યાગ કરવામાં ખુબ જ આસાની થાય છે. અમુક દિવસ સુધી નિયમિત રૂપે તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા ઘણા હદ સુધી ઓછી કરી શકાય છે.

2 ) રોગ પ્રતિકારક શક્તિ : દિવેલનું દૂધની સાથે સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિરોધક શક્તિને વધારી શકાય છે, અને તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને રોગો સામે લડવામાં આપણું શરીર મદદ કરે છે. તેનું સેવન કરવાથી આપણું શરીર વાઈરસ બેક્ટેરિયા અને ખરાબ કીટાણુઓ સામે લડવા માટે તૈયાર રહે છે. તેથી તમે સીમિત માત્રામાં તેનું સેવન કરી શકો છો.

3 ) સાંધાના દુખાવામાં રાહત આપે : પોષક તત્વોથી ભરપૂર દિવેલનું દૂધની સાથે સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં દિવેલની સાથે દૂધ ઉમેરેલું હોય છે, દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ પણ જોવા મળે છે અને ત્યારે તે સાંધાના દુખાવામાં પણ રાહત આપવા માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તમે ઈચ્છો તો દિવેલથી સાંધાની માલિશ પણ કરી શકો છો, જેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.

4 ) વાળ : દિવેલ વાળના ગ્રોથ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને વાળમાં લગાવવાથી વાળનો વિકાસ ખુબ જ સારો થાય છે અને તે વાળને જાડા અને મજબૂત બનાવે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ જોવા મળે છે, તે ખોપરીમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને તેની સાથે જ તે વાળમાં થતા ખોડાની સમસ્યાને પણ દૂર કરે છે.

5 ) ત્વચાના રોગો : દિવેલને દૂધની સાથે ઉમેરીને પીવાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે, જેનાથી ત્વચા સુંદર અને ચમકદાર દેખાય છે. તેની સાથે જ જો તમે દિવેલથી ચહેરા ઉપર મસાજ પણ કરો છો તો તેનાથી પણ ચહેરા ઉપર ચમક આવી જાય છે. અને ત્વચા સંબંધી રોગો પણ દૂર થાય છે. તે એકને પિગમેંટના ઉપચારમાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તે ડ્રાય સ્કીન વાળા વ્યક્તિઓ માટે ખુબ જ લાભકારી હોય છે દિવેલ નૅચરલ મૉઇસ્ચરાઇઝરનું કામ કરે છે.

તમે પણ દિવેલનું દૂધમાં ઉમેરીને સેવન કરો છો તો તેનું સીમિત માત્રામાં જ સેવન કરવું ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થાય છે, ત્યારે તમે તમારા ડોક્ટરની સલાહ લઈને જ તેનું સેવન કરો. ડોક્ટરની સલાહ વગર તેનું સેવન કરવું જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment