લોહીની કમીને ઝડપથી પૂર્ણ કરતુ કંદમૂળ એટલે “બીટ”.- લોહીની કમી વાળા લોકોએ જરૂર બીટનું સેવન કરવું…

🌰 “બીટ” – લોહીની કમીને સૌથી ઝડપથી દુર કરતુ કંદમૂળ. 🌰 

🌰 જો તમે તમારા આહારમાં બીટનો ઉપયોગ નથી કરતા તો આજે જ તેનો સમાવેશ કરો. આ લેખ દ્વારા તમને બીટના ફાયદા વિશે જાણવા મળશે જે કદાચ આપણે નહિ જાણતા હોયએ. બીટને સલાડ, જ્યુસ અથવા હલવા સ્વરૂપે ખાઈ શકાય છે. જેટલો સુંદર તેનો રંગ છે તેટલા જ તેના સ્વાસ્થ્ય લાભો પણ છે.

🌰 તેમાં સોડીયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, સલ્ફર, ક્લોરીન, આયોડીન, આર્યન, વિટામીન B૧, B૨ વગેરે પોષકતત્વો રહેલા છે. તેમાં રહેલ ફોલિક એસીડ ગર્ભવતી સ્ત્રીઓ માટે લાભદાયી છે. બીટના સેવનથી અનેક લાભો થાય છે. જે નીચ પ્રમાણે છે.

🌰 બીટ આપણા બ્લડ શુગરના સ્તરને ઘટાડે છે. બીટમાં નાઈટ્રેટસ સારા પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી તે નાઈટ્રીક ઓક્સાઇડસમાં પરિવર્તિત થાય છે. તે બંને તત્વ ધમનીઓને પહોળી કરવામાં અને બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. રોજ ૫૦૦ ગ્રામ બીટ ખાવાથી લગભગ ૬ કલાકમાં વ્યક્તિનું બ્લડપ્રેશર ઘટી જાય છે. માટે બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવવા બીટનું સેવન કરવું જોઈએ.

🌰 ગર્ભવતી મહિલાઓ માટે પણ બીટ ખુબ ફાયદામાં છે. બીટમાંથી ઉચ્ચ માત્રામાં ફોલિક એસીડ પ્રાપ્ત થાય છે. આ પોષક તત્વ ગર્ભવતી મહિલાઓ અને તેમના ન જન્મેલા બાળક માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, તેનાથી ન જન્મેલા બાળકના મેરુદંડ બનવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓ તે ખુબ જ ઉર્જા આપે છે.

🌰 બીટ વધતી જતી ડાયાબીટીસ ને પણ નિયંત્રણમાં રાખે છે. જે લોકો ડાયાબીટીસથી પીડિત હોય છે તેમને મીઠી વાનગીઓ ખાવાની તીવ્ર તલબ જાગતી હોય છે. તો ત્યારે તમે બીટનું સેવન કરી મીઠા સ્વાદની તલબ સંતુષ્ટ કરી શકો છો.

ખાસ વાત એ છે કે, તેને ખાવાથી તમારી મીઠા સ્વાદની ભૂખ સંતોષાતી હોવાથી પણ તેનાથી શુગર લેવલ નથી વધતું. કારણ કે, તે ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વેજીટેબલ છે. તેનો મતલબ એ છે કે, તે લોહીમાં ખુબ ધીરે ધીરે શુગર રીલીઝ કરે છે. બીટમાં ખુબ ઓછી માત્રામાં કેલેરી હોય છે. અને તેમાં ચરબી નથી હોતી માટે જ તે ડાયાબીટીસના રોગથી પીડિત લોકોએ આહારમાં બીટનો સમાવેશ કરવો જોઈએ.

🌰 એનેમિયા સામે લડવામાં મદદ કરે છે. બીટ લોહીની ઉણપ નિવારવા માટે મદદ કરે છે. તે કારણથી તેનું સેવન એનેમીયામાં અવશ્ય કરવું જોઈએ. બીટમાં ખુબ જ સારા પ્રમાણમાં આર્યન હોય છે. અને આર્યનની મદદથી શરીરમાં  હિમોગ્લોબીન બને છે. જે રક્તનો એક એવો ભાગ છે જે ઓક્સિજન અને ઘણા બધા પોષકતત્વોને શરીરના અન્ય અંગો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. બીટમાં આર્યન તત્વ એનેમિયા સામે લડવામાં આપણને મદદ કરે છે.

🌰 જો આપણને ખુબ થાક લાગતો હોય તો બીટથી પણ થાક ઓછો થાય છે. બીટથી એનર્જી વધે છે. તેના નાઈટ્રેટ તત્વ ધમનીઓને વિસ્તારવામાં મદદ કરે છે. જેનાથી શરીરના દરેક અંગોમાં ઓક્સિજન વ્યવસ્થિત રીતે પહોંચાડી દે છે. અને તેનાથી શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત તેમાં આર્યન હોય છે. જે સ્ટેમિના વધારવાનું કામ કરે છે.

🌰 કેન્સરમાં લાભદાયી પણ નીવડે છે બીટ. બીટમાં રહેલ બીટાસાઈનીન તત્વ ખુબ જ જરૂરી કામ કરે છે. હાવર્ડ યુનિવર્સિટીમાં થયેલ એક અધ્યન દ્વારા જાણવા મળ્યું કે. જે લોકોને બ્રેસ્ટ કે પ્રોસ્ટેટ કેન્સર હોય છે.તેઓ જો બીટનું સેવન કરે તો તેના ટ્યુમરની વધવાની ગતિ ૧૨.5% ઓછી થઇ જાય છે. જે લોકોને કેન્સર જેવી ગંભીર બીમારી નથી તે લોકો બીટનું સેવન કરી કેન્સરના જોખમને ટાળી શકાય છે.

🌰 બીટ આપણા મગજ ને પણ ખુબ  તેજ બનાવે છે. બીટનું જ્યુસ પીવાથી વ્યક્તિમાં સ્ટેમિના ૧૬% સુધી વધી જાય છે. બીટના સેવનથી શરીરના દરેક અંગમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી જાય છે. આમ મગજમાં પણ યોગ્ય રીતે ઓક્સિજન પહોંચાડવાનું કામ બીટ કરે છે. જેથી આપણું મગજ તેજસ્વી અને તંદુરસ્ત થઇ કામ કરી શકે છે.

🌰 બીટમાં ફાયબર હોય માટે તે કબજિયાતમાં પણ સારું કામ આપે છે. ફાયબરના કારણે  તે એક રોચક ઔષધી જેવું કાર્ય કરે છે. તેનાથી સ્ટુલ નરમ થઇ જાય છે. તેમજ પેટના બધા ટોકસીન્સ બહાર નીકળી જાય છે. જેથી કબજિયાતમાં રાહત મળે છે.

🌰 મિત્રો કોઈ પણ ઔષધીનું જો વધારે સેવન કરવામાં આવે તો તે આપણા શરીર માટે ઝેર સમાન થઇ જાય છે. તેની એક યોગ્ય માત્રા હોય છે. એ પ્રમાણે સેવન કરો તો તમે તેનો સારો લાભ મેળવવા માંગતા હોય તો તેનું  યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ. જેમ કે તમે જાણ્યું કે, બીટ ખાવાના અનેક સ્વાસ્થ્ય સંબંધી લાભ છે. તેમજ તેવી જ રીતે તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો આપના શરીરને નુકશાન પણ કરે છે. 🌰 બીટમાં આર્યન અને કોપર વધારે માત્રામાં હોય છે. હેમોક્રોમેટોસિસ નામના રોગથી પીડિત લોકોએ બીટના સેવનને ટાળવું જોઈએ.

🌰 જે લોકો લો બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત છે તેવા લોકોએ બીટનું સેવન ન કરવું જોઈએ.  

🌰 વધારે માત્રામાં બીટનું સેવન કરવાથી ડાયેરિયા જેવી સમસ્યા ઉદ્દભવી શકે છે.

🌰 કીડનીને લગતા રોગોથી પીડિત લોકોએ બીટના વધારે સેવનથી બચવું જોઈએ.    

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

2 thoughts on “લોહીની કમીને ઝડપથી પૂર્ણ કરતુ કંદમૂળ એટલે “બીટ”.- લોહીની કમી વાળા લોકોએ જરૂર બીટનું સેવન કરવું…”

Leave a Comment