Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

બુદ્ધિશાળી સંતે ઉકેલ્યો 17 ઊંટની સમસ્યાનો પ્રશ્ન.- મોરારિબાપુનો ખુબ જ વખણાયેલો પ્રસંગ….

Social Gujarati by Social Gujarati
August 9, 2022
Reading Time: 1 min read
1
બુદ્ધિશાળી સંતે ઉકેલ્યો 17 ઊંટની સમસ્યાનો પ્રશ્ન.- મોરારિબાપુનો ખુબ જ વખણાયેલો પ્રસંગ….

મહાત્માજીએ ૧૭ ઊંટનો ત્રીજોભાગ , છઠ્ઠો ભાગ, અને નવમો ભાગ ચતુરાઈ પૂર્વક પાડ્યો.

પૂરી દુનિયામાં રામ કથાકાર તરીકે નામના મેળવનાર મોરારીબાપુ એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે. તે રામકથા દરમિયાન અવનવા ઉદાહરણો આપી રામકથા સંભાળનાર શ્રોતાઓને રામકથા સિવાય પણ  સામાજિક જીવન તેમજ સમાજના અવનવા પહેલુઓનું જ્ઞાન પણ આપે છે. તેમની આ ખ્સીયાતને કરને તેમણે લગભગ પૂરી દુનિયામાં રામકથા કરવાનું બહુમાન મેળવેલું છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મોરારીબાપુ રામકથા દરમિયાન જે કંઈ પણ ઉદાહરણો આપીને શ્રોતાગણને જ્ઞાન આપે છે તે જ્ઞાન પણ બહુ જ મહત્વનું હોય છે. જેમ એક કુંભાર માટલા બનાવતી વખતે તેના એક હાથે માટલાને બહારથી આકાર આપે છે અને બીજા હાથથી તે અંદરથી જેમ માટલાને સહારો આપે તેમ જ મોરારી બાપુના ઉદાહરણો કામ આપે છે.

એક વખત રામ કથા દરમિયાન જ તેમણે એક ઉદાહરણ આપેલું. એ ઉદાહરણ ૧૭  ઊંટ વાળું ઉદાહરણ કહીએ તો યોગ્ય જ કહેવાય છે. આ ઉદાહરણ મુજબ મોરારી બાપુએ ખુબ જ ઊંડું જ્ઞાન આપેલું છે. તો ચાલો આપણે તે ઉદાહરણ જોઈએ કે, જે રામકથા દરમિયાન સ્વયં મોરારી બાપુએ આપેલું.

એક વખતની વાત છે, આ વાત છે એક ગામડા ગામની આ ગામડાના લોકો મુખ્યત્વે ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. તેમાં એક ઘરડા ભાભા(દાદા) રહેતા હતા. તેમને તેમની ઉંમર જોતા એમ લાગતું હતું કે હવે તે લાંબો સમય નહિ જીવિત રહી શકે. તેથી એક દિવસ તેમને વિચાર કર્યો કે, હું ગામના પંચોને (પહેલના વખતમાં ગામના અમુક મોટા લોકો મળીને ગામની મુશ્કેલી ભર્યા જવાબ આપવાની તેમજ ગામની એકતા જાળવતા કામગીરી કરતા તેને પંચ કહેવાતા તે પુરા ગામના ગંભીર પ્રશ્નોના ઉકેલ લાવતા) બોલાવીને કઈક લખાણ કરાવી લઉ, જેથી મારી ગેરહાજરીમાં મારા ત્રણેય દીકરાઓ મિલકત તેમજ અન્ય બાબતો માટે ઝગડી ના પડે. અને જો મેં લખાણ કરાવેલું હોય તો સારું પડે અને દીકરાઓ વચ્ચેનો પ્રેમ પણ યથાવત રહે. આમ, વિચારીને ઘરડા ભાભાએ પંચોની સમક્ષ દરખાસ્ત મૂકી લખાણ કરવાની.

પંચોએ પણ ભાભાની વાતને યોગ્ય ગણીને તેમની જે કંઈ મિલકત હોય તેનું લખાણ કરવાની સહમતી દર્શાવી. એક દિવસ પંચો બધા ભેગા થયા ત્યારબાદ ભાભાને પણ બોલાવ્યા અને મિલકતનું લખાણ કરવાનું કામ હાથ ધર્યું. ભાભાએ મિલકત ગણાવતા કહ્યું કે, મારી પાસે મિલકતની નામે તો આ મારા ૧૭ ઊંટ છે. અને આ ઊંટ મારે મારી અમુક શરતો મુજબ ત્રણેય ભાઈમાં વહેંચી દેવા છે. પંચોએ કહ્યું બરાબર, તો બોલો શું શરત છે તમારી એ મુજબ કાગળ પર લખાણ કરી લઈએ. એ સાંભળી ભાભા થોડું વિચારીને બોલ્યા…..લખો,

મારા સૌથી નાના દીકરાને આ ૧૭ ઊંટમાંથી અડધા ઊંટ આપી દેવા. અને મારા વચેટ (વચ્ચેનો) દીકરાને આ ૧૭ ઊંટમાંથી છટ્ઠા ભાગના ઊંટ આપી દેજો. તેમજ મારા સૌથી મોટા દીકરાને આ ૧૭ ઊંટમાંથી નવમા ભાગના ઊંટ આપી દેજો.

આ મારા લખાવ્યા મુજબ યોગ્ય ભાગે ઊંટની વહેંચણી કરી આપજો એટલે મારા જીવનનો સૌથી મોટો ભાર હળવો થઇ જાય, અને એ ભાર હવે હું તમને(પંચોને) સોપું છું. આમ લખાણ કરી તેમજ અંગુઠાના સિક્કા મારીને ભાભા ત્યાંથી રવાના થયા અને પંચોએ પણ તે કાગળ સાચવીને મૂકી દીધો.

કાળનું અનંત ચક્ર ફરવા લાગ્યું અને એક દિવસ તે ભાભા ગુજરી ગયા. સૌ લોકોમાં તેમજ ગામમાં અનુભવી તેમજ સમજદાર વ્યક્તિ ગુમાવવાનું દુઃખ પ્રસરી ગયું. પછી તે ભાભાનું બારમું પતિ ગયું એટલે એક સારો દિવસ જોઈ પંચોએ આ ભાભાની મિલકતના લખાણ વળી વાત ત્રણેય ભાઈઓને કરી. ત્રણેય ભાઈઓ પણ આમ સમજદાર હતા તેથી તેમને પણ કહ્યું કે, જેમ પિતાજીનો હુકમ હોય અને પંચનું લખાણ હોય તેમ મિલકત વહેંચી લઈએ.

તેથી એક દિવસ પંચોએ તેમજ ત્રણેય ભાઈઓએ સાથે બેસીને તે લખાણ કાઢીને મિલકતની વહેંચણી કરવા ભેગા થયા. પંચોએ તે ભાભાએ લખાવેલો કાગળ સામે ધરતા કહ્યું કે, મરતા પહેલા તમારા પિતાજીએ તમારા ત્રણેય માટે તેમની બચાવેલી મિલકત એટલે કે, આ ૧૭ ઊંટની વહેંચણી અમુક નિયમો મુજબ કરવાની ઠરાવેલી છે. એ ઠરાવ મુજબ એમ છે કે, આ ૧૭ ઊંટના ભાગ એમ પડવાના છે કે, સૌથી નાના ભાઈને અડધા ભાગના ઊંટ મળવા જોઈએ, વાચેટને છટ્ઠા ભાગના ઊંટ મળવા જોઈએ અને સૌથી મોટા ભાઈને નાવમાં ભાગના ઊંટ મળવા જોઈએ. ત્રણેય ભાઈઓએ કહ્યું ઠીક છે, જેમ લખ્યું છે એવી રીતે ઊંટ વહેચી આપો અમે પિતાજીએ લખાવેલું છે એમાં મીનમેખ નહિ મારીએ.

હવે, પંચો પણ ઊંટના ભાગ પાડવા માટે તૈયાર થઇ ગયા. એક પંચે ગણતરીની શરૂઆત કરતા કહ્યું કે આપણે સૌથી નાના ભાઈથી શરૂઆત કરીએ કે, લખાણ મુજબ તેને અડધા ઊંટ આપી દો…. પણ આ શું…બીજા પંચો કહેવા લાગ્યા કે ૧૭ ઊંટના અડધા ઊંટ કેવી રીતે કરવા? જો ૧૬ ઊંટ હોય તો થાય પણ ૧૭ ના અડધા કેમ કરવા. પછી વચલા ભાઈ માટે વાચ્યું તો તેમાં કહ્યું હતું કે, ત્રીજા ભાગના ઊંટ તેને આપવાના હતા તો ૧૭ નો ત્રીજો ભાગ પણ કેમ કરવો અને અંતે સૌથી મોટા ભાઈના નવમાં ભાગના ઊંટ પણ કેમ કરવા. પંચોને લાગ્યું કે, ભાભા અમને ગુચવીને ચાલ્યા ગયા. જો એ લખાણ કરતી વખતે જ નક્કી કરી લીધું હોત તો સારું હોત. પણ હવે શું થઇ પણ શકે.

અંતે આ સમસ્યાનો ઉકેલ લાવવા પંચોએ ગામને પણ ભેગું કર્યું અને કહ્યું કે, આ ત્રણેય ભાઈની સમસ્યાનો ઉકેલ કોઈ લાવી શકે એમ છે? પણ પુરા ગામમાંથી પણ કોઈ આ સમસ્યાનો ઉકેલ ના લાવી શક્યું. ત્યારે એક મહાત્મા ઊંટ ઉપર ફરતા ફરતા એ ગામમાં આવી પહોંચ્યા અને પાદરમાં મંદિરે તે બેઠા હતા.

તે સમયે એક ભાઈ તેમને જોઈ ગયા અને આ સમસ્યાના હેતુ સ્વરૂપે તેમની પાસે દુધનો લોટો લઇ પહોચ્યા અને તેમને પીવા દૂધ આપી કહ્યું મહાત્મા અમારા ગામમાં એક મોટી સમસ્યા આવી પડી છે. મહાત્માજી એ કહ્યું શું સમસ્યા છે? તો તે ભાઈ બોલ્યા અમારા ગામના એક બુજુર્ગ માણસ ગુજરી ગયા છે તો તેમણે પંચ પાસે કાગળ લખાવેલો એ એ કાગળ મુજબ અડધા ભાગ, ત્રીજા ભાગ અને નાવમાં ભાગમાં ૧૭ ઊંટ વહેચવાના છે તે મુજબ વાત કહી. હવે મહાત્માજી તમે જ કઈ ઉપાય બતાવો એમ કહી પેલા ભાઈ શાંત બનીને ઉભા રહ્યા.

આ સાંભળી મહાત્મા બોલ્યા ચાલો, આપણે ત્યાં જઈએ અને સમસ્યાનું સમાધાન કરીએ, પેલા ભાઈને પણ થોડી મહાત્મા પર આશા જાગી અને તે પણ ઉત્સાહ સાથે મહાત્મા સાથે જવા ચાલવા લાગ્યા. મહાત્મા પોતાના ઊંટ પર બિરાજમાન થઈને જ્યાં બધા લોકો ભેગા થાય હત ત્યાં આવી પહોંચ્યા અને પંચે લખેલો કાગળ વાચ્યો….

કાગળ વાંચી મહાત્માએ એમ કહ્યું કે મારું ઊંટ પણ પેલા ૧૭ ઊંટ સાથે વાડામાં મોકલી દો. આ સાંભળી ગામ વાળા લોકો અને પંચને થોડી નવી લાગી પણ મહાત્માજીએ કીધું હતું એટલે તેમ કરવું પણ પડે. તે ૧૭ ઊંટની સાથે આ ૧ ઊંટને પણ વાડામાં બધી દેવામાં આવ્યું.

પછી મહાત્માજી બોલ્યા, હવે આ ત્રણેય ભાઈઓ વચ્ચે કુલ ૧૮ ઊંટ થઇ ગયા છે તેથી વહેંચણી આ ૧૮ ઊંટની થશે… પછી મહાત્માજીએ આગળ ભાગ પડતા કહ્યું કે, સૌથી પહેલા લખાણ મુજબ નાના ભાઈને અડધા ઊંટ દેવાના છે, તો નાના ભાઈને ૧૮ ઊંટમાંથી ૯ ઊંટ આપી દો. એટલે ૯ ઊંટ નાના ભાઈના ભાગમાં આવ્યા. ત્યાર બાદ વચેટ ભાઈ ના ભાગ મુજબ ત્રીજા ભાગના ઊંટ વચેટ ભાઈને આપવા તો ૧૮ ઊંટના ત્રીજા ભાગના ઊંટ એટલે કે, ૬ ઊંટ વચેટ ભાઈને આપી દો.

હવે છેલ્લે, મોટા ભાઈના ભાગમાં નવમા ભાગના ઊંટ લખ્યા છે એટલે ૧૮ ઊંટના નવમો ભાગ બરાબર ૨ ઊંટ મોટાભાઈને આપી દો. હવે કુલ ભાગ મુજબ નાના ભાઈને ૯ ઊંટ મળ્યા, વચેટ ભાઈને ૬ ઊંટ મળ્યા અને મોટા ભાઈને નવમાં ભાગ લેખે ૨ ઊંટ મળ્યા. તો કુલ ઊંટ થયા ૯ + 6 + ૨ = ૧૭ તો ગામ વાળા કહે હજુ એક ઊંટ વધ્યું મહાત્માજી. મહાત્મા બોલ્યા, એ એક ઊંટતો મેં મારું ઘરનું તેમાં ઉમેર્યું હતું ને તો એ ઊંટ મને આપી દો એટલે ભાગ બરાબર થઇ જાય. આવી રીતે મહાત્માએ ૧૭ ઊંટના એવા સરખા ભાગ પડી બતાવ્યા કે, લોકો જોતા રહી ગયા. જો આ વાર્તા ગમી હોય તો અવશ્ય બીજા લોકો જોડે શેર કરજો.

આ વાર્તા માંથી ઘણું શીખવા જેવું છે. કે ખાલી ભણતર પણ ક્યારેક કામ નથી આવતું જીવનમાં ભણતરની સાથે ગણતર હોવું પણ જરૂરી છે. મોરારી બાપુ વધુમાં કહે છે કે, “જ્યાં સુધી આપણે આપણું ઘરનું ઊંટ ના ભેળવીએ ને ત્યાં સુધી સમાજની સમસ્યાનો ઉકેલ ના આવે.” જો આપણે આપની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો આપણે આપણું ઊંટ નાખવું પડે.  સાચું છે ને…..?

જો મિત્રો તમને આ પ્રસંગ ગમ્યો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર કહી શકો છો તો અમે તમારા માટે આવા બીજા પ્રસંગ પણ રજુ કરીશું. તમારો વાચવાનો ઉત્સાહ એજ અમારી સફળતા છે. ધન્યવાદ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: brotherscamelcamel storykatha prasangmahatmamorari bapustory
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

જીવન સરળ બનાવવાના 5 રહસ્યો. - જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

Comments 1

  1. ΝΤΕΤΕΚΤΙΒ says:
    7 years ago

    After looking into a handful of the articles on your site, I truly appreciate your technique of blogging.
    I saved it to my bookmark webpage list and will be checking back soon. Please check out my web
    site as well and let me know how you feel.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી

શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી

December 5, 2023
જાણો આ એક જાદુઈ છોડ વિશે..  જેમાં ટામેટા અને બટેટા બંને એક જ છોડમાં આવે છે.

જાણો આ એક જાદુઈ છોડ વિશે.. જેમાં ટામેટા અને બટેટા બંને એક જ છોડમાં આવે છે.

July 21, 2019
દિશા વાકાણી(દયા ભાભી) એ આ કારણે કર્યા સામાન્ય માણસ સાથે લગ્ન, કપલે ખુદ જણાવી બધી હકીકત…

દિશા વાકાણી(દયા ભાભી) એ આ કારણે કર્યા સામાન્ય માણસ સાથે લગ્ન, કપલે ખુદ જણાવી બધી હકીકત…

June 12, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.