વર્ષો જૂની કબજિયાત તોડવાનો જોરદાર દેશી ઈલાજ, મફતમાં જ કબજિયાત દુર કરી પેટ અને આંતરડા કરી દેશે સાફ…

આજની ખરાબ ખાણીપીણી અને સુસ્ત જીવનશૈલી એટલે કે શારીરિક ગતિવિધિઓ સામેલ ન હોવાના કારણે કબજીયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ચિંતાનો વિષય એ છે કે કબજિયાત ને મોટાભાગના લોકો નજર અંદાજ કરી દે છે. વિશેષજ્ઞ માને છે કે કબજિયાતની સમસ્યાને ગંભીરતાથી નહીં લેવાથી આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે છે.

જો સમય રહેતાં કબજિયાત નો ઈલાજ ન કરવામાં આવે તો જૂના કબજિયાતમાં બદલાઈ જાય છે. તેનો મતલબ એ છે કે તમને લાંબા સમયની કબજીયાતની ફરિયાદ થઈ શકે છે એનું સૌથી વધુ નુકશાન એ થશે કે સમય પર પેટ સાફ નહીં થાય અને તેમાં ગંદકી ભેગી થતી રહેશે. મળ સૂકો બનીને આંતરડામાં ચોંટશે અને આગળ જતા આ બવાસીરનું રૂપ લઈ લેશે.નિષ્ણાતો માને છે કે  કબજિયાતને લઈને જરાક અમથી બેદરકારીથી પાઈલ્સ, ગુદા ફિશર, ભગન્દર જેવા શરમજનક અને પીડાદાયક રોગો થઈ શકે છે. મેડિકલમાં કબજીયાત માટે કેટલીક દવાઓ ઉપલબ્ધ છે પરંતુ ખાવા પીવાની કેટલીક એવી વસ્તુઓ છે જે સમસ્યાઓ માટે યોગ્ય ઈલાજ કરી શકે છે. જે આપણે નુટ્રીશન દ્વારા જાણીએ.

ગરમ દૂધ અને ઘી:- રાત્રે સુતા સમયે એક કપ ગરમ દૂધમાં બે ચમચી ઘી મેળવીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ વા અને પિતને સંતુલન કરે છે. ડેરી ઉત્પાદનો કેટલાક લોકો માટે કબજિયાતનું કારણ બની શકે છે.પરંતુ આ મિશ્રણ પાચન પ્રક્રિયામાં સુધારો કરીને મળ ત્યાગને ખૂબ જ સરળ બનાવે છે.કબજિયાત-બવાસીર માટે ઘરેલું ઉપાય:-

સૂકા આલુબુખારા:- કબજીયાતના દર્દીઓ માટે સૂકા આલુબુખારા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં ભારે માત્રામાં ફાયબર અને અન્ય એવા પોષક તત્વો જોવા મળે છે જે પેટ અને આંતરડા ને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં સહાયક થાય છે. તેનું સેવન કરવાથી આપણને ખૂબ જ સારો એવો ફાયદો થઈ શકે છે.

કબજિયાત નો રામબાણ ઈલાજ છે પપૈયું:- તમારું પેટ સાફ નથી થતું અથવા તો કબજિયાતની મુશ્કેલી છે, તો તમારે રોજ સવારે ખાલી પેટે એક વાટકો  ભરીને પપૈયુ ખાવું જોઇએ.તે કુદરતી રેચક છે એટલે કે આંતરડા ની અંદર ભળી જાય છે અને અને તેમાં ફસાયેલા મળને બહાર કાઢે છે.

આપણા ઘરમાં જ છે કબજિયાતનો પાક્કો ઇલાજ, પાણી દ્વારા કબજિયાતને દૂર કરવાનો ઉપાય છે:-  જો તમે જૂના કબજિયાતને દૂર કરવા માટે એક સરળ ઉપાય શોધી રહ્યા છો, તો દરરોજ પ્રવાહી પદાર્થ પીવો. સારી રીતે હાઇડ્રેટેડ રહેવાથી આંતરડાની કામગીરીને પ્રોત્સાહન મળે છે તેના માટે પાણી સિવાયનો કોઈ પણ બીજો વિકલ્પ નથી. પાણી તમારા પાચન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારા દ્વારા ખવાયએલા ભોજનને તમારા આંતરડા દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે. અને તે આંતરડાંને ચિકણા અને લચીલા પણ રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment