હિમાલયના જંગલમાં થતી આ ઔષધી શરીરના તમામ દુખાવા દુર કરી હાડકા અને પાચનશક્તિ કરી દેશે મજબુત… ક્યારેય નહિ થાય બ્લડ પ્રેશર જેવી સમસ્યા..

હિમાલયનું અંજીર જેને ઉત્તરાખંડના કુમાર ક્ષેત્રના લોકો બેદુના નામથી પણ જાણે છે. આ અંજીરને લઈને અત્યારે જ એક રિસર્ચ થયું તેમાં જાણકારી મળી છે કે તે દર્દનિવારક દવા જેવી કે એસ્પ્રિન અને ડિકલોફેનાકનો ખૂબ જ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

ત્યાં જ પંજાબ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં તેમને જોયું કે હિમાલયન અંજીરમાં એનાલજેસિક ઈનફેક્ટ હોય છે જે ત્વચાથી જોડાયેલ રોગ અને ઘાને ભરવામાં આપણી મદદ કરે છે.

તે સિવાય જનરલ પ્લાન્ટમાં પ્રકાશિત લેખ અનુસાર જંગલી ફળની અંદર એનર્જેટિક પ્રભાવ જોવા મળે છે જેમાં વિશેષરૂપથી આ બંને પ્રમુખ ઘટક હોય છે. Psoralen અને Rutin. તમને જણાવી દઈએ કે એક કિલો ફળમાં 400 મિલિગ્રામ આ ઘટક હોય છે, જેનો ઉપયોગ ત્વચાના ઘણા રોગોની સારવારમાં પણ કરવામાં આવે છે.

હિમાલયના અંજીર જ કેમ ફાયદાકારક : અંજીરની અંદર કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે પોષક તત્વો તમારા હાડકામાં સુધારો લાવવાનું કામ કરે છે અને ઓસ્ટીયોપોરોસિસની સ્થિતિમાં પણ બચાવ કરે છે.

હાડકાની સાથે પેટને રાખે તંદુરસ્ત : એક રિસર્ચના માધ્યમથી જાણકારી મળી છે કે આ પોટેશિયમ યુક્ત પદાર્થો હાડકાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. ત્યાં જ અંજીરની અંદર ફાઈબરની પર્યાપ્ત માત્રા જોવા મળે છે, જે આપણી પાચનશક્તિને ખૂબ જ લાભ આપે છે. તે સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે જે આપણી ત્વચાને ખૂબ જ સારી બનાવે છે.

બ્લડ પ્રેશરને સામાન્ય રાખે : તમને જણાવી દઈએ કે અંજીરની અંદર પોટેશિયની સાથે-સાથે સોડિયમ પણ જોવા મળે છે, જે આપણા શરીરમાં બ્લડ પ્રેશરને સામાન્ય રાખવાનું કામ કરે છે.

આયુર્વેદિક સંસ્થાએ તેને ગુણોનો ભંડાર કહ્યો : આયુર્વેદિક સંસ્થા અનુસાર અંજીરમાં ફાઈબર અને પોટેશિયમ ઉપસ્થિત હોય છે જે શરીરમાં સોડિયમના સ્તરને નિયંત્રિત કરીને રાખે છે અને તે સિવાય તેમાં ઉપસ્થિત કેલ્શિયમ અને પોટેશિયમ દ્વારા હાડકાની ડેન્સિટીને યોગ્ય બનાવી શકીએ છીએ. તેનાથી હાડકા સાથે જોડાયેલી કોઇપણ સમસ્યા ઉત્પન્ન થતી નથી. હિમાલયન અંજીરની અંદર ઉપસ્થિત ઘટક ચ્યવનપ્રાસમાં પણ જોવા મળે છે જેનું સેવન ભારતીય ઘરોમાં ખૂબ જ થાય છે.

અંજીરના ગુણોને જોઈને કહી શકાય કે ભવિષ્યમાં તેનો ઉપયોગ દર્દનિવારક દવાઓના સ્વરૂપે કરી શકાશે. પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે હજુ આ વાત ઉપર રિસર્ચ કરવાનું બાકી છે. બની શકે છે કે ખૂબ જ જલ્દી રિસર્ચ થઇ જશે અને આપણને દુખાવામાંથી રાહત મેળવવા માટે એક નેચરલ ઉત્પાદન પણ જોવા મળી શકે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment