મહિલાઓની તમામ સમ્યાઓનું સમાધાન છે આ ચમત્કારિક ઔષધિ, આ રીતે સેવન મહિલાઓની બધી જ બીમારીઓ કરી દેશે દૂર…

આયુર્વેદમાં કુદરતી રીતે મળી આવતી જડીબુટ્ટીનો ઉપયોગ કરીને અનેક રોગોના ઉપચાર કરવામાં આવે છે. કેટલીક જડીબુટ્ટી એવી હોય છે, જેના વિશે લોકોને ખબર હોતી નથી, જેમ કે અશ્વગંધા અને ગિલોય વગેરેને લોકો ખુબ જ લાંબા સમયથી ઉપયોગ કરતાં આવ્યા છે. પરંતુ શતાવરી એક એવી જડીબુટ્ટી છે, જેના વિશે અમુક લોકોને ખુબ જ ઓછી ખબર હોય છે. તમને ભલેને તેનું જ્ઞાન ન હોય, પરંતુ આ સૌથી જૂની જડીબુટ્ટી છે.

પ્રાચીન ભારતીય ઔષધિય ગ્રંથોમાં પણ શતાવરી વિશે કહેવામાં આવ્યું છે. આમ, તો આ દરેક વ્યક્તિ માટે લાભકારી છે, પરંતુ સ્ત્રીઓને તેનાથી વધારે લાભ થાય છે. તેની વિશેષતાનો અંદાજો આ ઉપરથી લગાવી શકાય છે કે, આયુર્વેદમાં શતાવરીને જડીબુટ્ટીની રાણી કહેવામાં આવે છે. તો આજે લેખમાં અમે તમને શતાવરીથી સ્ત્રીઓને થયા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

માસિકધર્મ સંબંધિત રોગો : શતાવરીનું સેવન કરવાથી સૌથી મોટો લાભ એ છે કે, સ્ત્રીઓને માસિકધર્મ સંબંધિત સમસ્યા જેવી કે, વધારે બ્લીડિંગ થવું, વારંવાર બ્લીડિંગ થવું, ખુબ જ દુઃખાવો થવો, પીસીઓડી અને પીસીઓએસ વગેરે દૂર કરવામાં મદદ કરે છે. જો તમે નિયમિત રૂપથી શતાવરીનું સેવન કરો છો તો, તમારે પીડિયડ દરમિયાન થતા દુઃખાવાનો સામનો નહીં કરવો પડે.

ગર્ભધારણમાં સહાયક :

એવી કેટલીક સ્ત્રીઓ છે, જે ચાહીને પણ ગર્ભધારણ કરી શકતી નથી. તે સ્ત્રીઓને પણ શતાવરીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. દરેક સ્ત્રીઓમાં મેંસ્ટુએશન સાઇકલ વચ્ચે એક ઓવલ્યુશન ફેઝ હોય છે અને સ્ત્રી આ સમયે કંસિવ કરવાની કોશિસ કરે છે, તો તેને ગર્ભધારણ કરવાની સંભાવના વધી જાય છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ એવી હોય છે, જેને 2 પિરીયડ્સની વચ્ચે પણ આ ઓવલ્યુશન ફેઝ આવતો નથી. પરંતુ જો તમે નિયમિત રૂપથી શતાવરીનું સેવન કરો છો, તો તેનાથી તમને ઓવલ્યુશન ફેઝ આવવા લાગે છે અને સાચા સમયે આવે છે. તેનાથી સ્ત્રીને કનસિવ કરવામાં સહેલાઈ થાય છે.

ગર્ભાવસ્થા અને પ્રસવ પછી લાભકારી : સ્ત્રીઓને કનસિવ કરવામાં તો મદદ કરે છે, પરંતુ સાથે જ ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્ત્રીઓ માટે ખુબ જ લાભકારી છે. ખરેખર, તેમાં વધારે માત્રામાં ફોલેટ હોય છે અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ફોલેટની માત્રાની વધારે જરૂર પડે છે. તે ગર્ભસ્થ બાળકના માથાથી લઈને અંગોના વિકાસ માટે ખુબ જ મદદરૂપ છે. સ્ત્રીને પ્રસવ પછી પણ શતાવરીનું સેવન કરવું જોઈએ, કારણ કે, શતાવરી માતાના દૂધને વધારવામાં મદદ કરે છે. તેથી જ સ્ત્રી પ્રસવ પછી શતાવરીનું સેવન કરે છે તો, તેનાથી બાળકને ક્યારેય પણ માતાના દૂધની ખામી થતી નથી.

શરીરમાં તણાવને દૂર કરે :

જો તમને સ્ટ્રેસ, એંગજાઈટી અથવા તો ડિપ્રેશનની સમસ્યા રહે છે તો, તેવામાં શતાવરીનું સેવન તમારા માટે ખુબ જ લાભકારી છે. ખરેખર, શરીરમાં જ્યારે તણાવનું સ્તર વધે છે, તેનાથી હોર્મોનની પણ ગડબડી થઈ જાય છે. પરંતુ તમે જો શતાવરીનું સેવન કરશો, તો તમને હોર્મોન્સ બેલેન્સ કરવામાં મદદ મળશે, અને તેનાથી તણાવ પણ ખુબ જ ઓછો થઈ જશે.શરીરમાં રોગપ્રતિકારક શક્તિ : શતાવરી એક એન્ટિ-ઓકસીડેંટ છે. તેનો અર્થ એ છે કે, સ્ત્રી જો આનું સેવન કરશે તો, તેનાથી સ્ત્રીની ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થશે અને તેને જલ્દી કોઈ પણ રોગો થતાં નથી. આ અર્થમાં શતાવરી શરીર માટે એક પ્રોટેકશન સિલ્ડની જેમ કામ કરે છે.

આ રીતે કરો સેવન : શતાવરીને રાત્રે સૂતા પહેલા અડધી કલાક પહેલા લેવાનું સૌથી ઉચિત માનવામાં આવે છે. તમે શતાવરીને ગરમ દૂધમાં હળદર નાખીને પણ પીય શકો છો. આ સિવાય તમે ઘીમાં નાખીને પણ શતાવરીનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “મહિલાઓની તમામ સમ્યાઓનું સમાધાન છે આ ચમત્કારિક ઔષધિ, આ રીતે સેવન મહિલાઓની બધી જ બીમારીઓ કરી દેશે દૂર…”

Leave a Comment