Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

શું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે? જાણો પૂરી વિગત અહીં.

Social Gujarati by Social Gujarati
July 14, 2018
Reading Time: 2 mins read
0
શું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે?  જાણો પૂરી વિગત અહીં.

કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે ? શું છે તેનું રહસ્ય ? જાણો અહીં.

દક્ષિણ ભારતમાં શંખ ક્ષેત્ર આવેલું છે કે, જે ઓરિસ્સા રાજ્યમાં છે તે ભગવાન જગન્નાથની ભૂમિ પણ કહેવાય છે.ભગવાન જગન્નાથને સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત રૂપ છે, એક કારણથી તે પુરા જગતના નાથ પણ કહેવાય છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. રથયાત્રામાં સૌથી આગળના તાલધ્વજ રથ પર બલરામજી, તેમની પાછળ પદ્મધ્વજ રથ પર સુભદ્રાજી અને અંતમાં ગરૂડ ધ્વજ રથ (નંદીઘોષ રથ પણ કહેવાય) પર સ્વયં ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

રથયાત્રામાં જોવા મળતા ભગવાન જગન્નાથની તેમજ બીજી બંને મૂર્તિઓ કેમ અધુરી જોવા મળે છે ? શું છે તે પાછળનું કારણ ? કોણ છે આ પાછળ જવાબદાર…. તો ચાલો આજે તે રહસ્ય વિશે આપને જાણીએ.
એક સમયે મધ્ય ભારતમાં ઇન્દ્રધ્યુંમ્ન નામના રાજાનું શાસન ચાલતું હતું.

તે ભગવાન વિષ્ણુના બહુ જ મોટા ભક્ત હતા. ઇન્દ્રધ્યુંમ્ન રાજા એટલા મોટા ભક્ત હતા કે, તેમને સ્વયં ભગવાન વિષ્ણુના દર્શનની ખુબ ઈચ્છા હતી. પણ અફસોસ એ વાતનો હતો કે હજુ સુધી તેમની આ ઈચ્છા પૂર્ણ થઇ શકી ના હતી. ઘણી માહિતી અનુસાર ઘણા પ્રયોગ કર્યા પણ હજુ સુધી ભગવાન વિષ્ણુના તેમના દર્શન થયા ના હતા. આમ, સર્વ વાતે સુખી પણ આ એક વાતનું દુખ તેમને હતું.

એક વખત તેમના દરબારમાં ફરતા ફરતા એક સાધુ આવી પહોચે છે. અને તે રાજાના આ દુખ બાબતે તેમને એક સલાહ આપે છે કે, જો તમારે ભગવાન વિષ્ણુના દર્શન કરવા જ હોય તો તમે ભારતના છેડા તરફના ઓર્રીસ્સા નામના પ્રદેશમાં ભગવાન વિષ્ણુને તેમના અસલી સ્વરૂપ “નીલ માધવના ” રૂપમાં પૂજવામાં આવે છે. તમને ત્યાં ભગવાન વિષ્ણુના દર્શન થઇ શકે છે.

આ સાંભળી રાજા અત્યંત પ્રસન્ન થયા અને તરત જ તેમના બુદ્ધિશાળી મિત્ર એવા મુખ્ય સલાહકાર વિદ્યાપતિને તરત જ કહ્યું કે, તે પ્રદેશમાં જઈને નીલ માધવ વિશે તમામ જાણકારી મેળવે. આ હુકમ લઇ વિદ્યાપતિ તરત જ નીકળી પડે છે.

લાંબા સમયની મુસાફરી બાદ ત્યાં જઈ વિદ્યાપતિને તે પ્રદેશના દર્શન થયા. અને ત્યાં જઈ તેમણે એક કબીલાના સરદાર વિશ્વવાસુને આ વાત વિશે પૂછ્યું. તે સરદાર વિશ્વવાસુ આ ભગવાન નીલ માધવની ગુપ્ત ગુફાની પહેરેદારી કરતા હતા. એટલે તેમને તરત જ વિદ્યાપતિને ભગવાનના દર્શન માટે મનાઈ કરી દીધી. એટલે વિદ્યાપતિ નારાજ થઇ ગયા અને તે ગામમાં જ રહેવા લાગ્યા. ત્યાં રહેતા રહેતા થોડા સમય બાદ તેમને તે સરદાર વિશ્વવાસુની પુત્રી સાથે પ્રેમ થઇ ગયો. ત્યારબાદ વિદ્યાપતિ અને વિશ્વવાસુનિ પુત્રીના લગ્ન કરી દેવામાં આવ્યા.

હવે, લગ્નના થોડા દિવસો બાદ વિદ્યાપતિએ તેની પત્નીને કહ્યું કે પિતાજી (વિશ્વવાસુ)ને કહે કે, મને એક વાર ભગવાન નીલ માધવના દર્શન કરાવે. આમ, તે પુત્રીએ પિતા આગળ જીદ કરી એટલે વિશ્વવાસુ વિદ્યાપતિને ભગવાનના દર્શન કરાવવા રાજી થઇ ગયા. પણ શરત રાખી કે, તેમને આંખો પર પટ્ટી બાંધીને તે ગુપ્ત ગુફામાં દર્શન કરવા લઇ જશે. વિદ્યાપતિએ શરત માન્ય રાખી અને તે આંખે પટ્ટી બધી દર્શન માટે નીકળ્યા. પણ વિદ્યાપતિએ ત્યારે થોડી ચાલાકી કરી જ્યાં જ્યાં તે જતા હતા ત્યાં ત્યાં તે થોડા થોડા નિશાની રૂપે કોઈક આગળ દાણા વહેરતા જતા હતા. જેથી તે રસ્તો યાદ રાખી શકે.

ત્યાં ગુફામાં પહોચી વિદ્યાપતિએ તે ભગવાન નીલ માધવનું વિશાળ તેજમય રૂપ જોયું. તો તે ધન્ય થઇ ગયા અને ચોંકી ગયા. અને ત્યારબાદ તે થોડા દિવસો બાદ પોતાના રાજા ઇન્દ્રધ્યુંમ્ન પાસે જવા નીકળી પડ્યો.

અને રાજા પાસે જઈ બધી વાત કરી. આ વાત સાંભળી રાજા ઇન્દ્રધ્યુંમ્ન ખુબ જ પ્રસન્ન થયા અને તરત જ ત્યાં જવા નીકળી પડ્યા. હવે તે રાજા અને વિદ્યાપતિ ત્યાં આવીને જેવા ગુપ્ત ગુફામાં દાખલ થયા અને ત્યાં જોયું કે, ભગવાન નીલ માધવ ત્યાંથી અંતરધ્યાન (અદ્રશ્ય) થઇ ગયા હતા. આ જોઈ રાજા ઇન્દ્રધ્યુંમ્ન ખુબ જ દુખી થયા.

હવે રાજા ઇન્દ્રધ્યુંમ્ન ભગવાન વિષ્ણુ ના દર્શન ના થવાના લીધે ખુબ જ દુખી થઇ ગયા હતા. અને શું કરવું તે કઈ પણ સમજાઈ રહ્યું ના હતું તે હતાશામાં બેઠા હતા ત્યારે જ ત્યાં તેમને કોઈ અદ્રશ્ય અવાજ સંભળાયો કે, ” તે પૂરી પ્રદેશમાં જાય અને ત્યાં નદીમાં તરી રહેલા લાકડાના મોટા ટુકડાને કિનારે લાવે. અને તેમાંથી ભગવાન વિષ્ણુની સાચી પ્રતિમા બનશે.”રાજાએ ખુબ ખુશી સાથે આ આજ્ઞા મુજબ જ કર્યું અને ત્યાં નદીમાંથી મળેલ લાકડાનો મોટો ટુકડો લઇ પોતાના રાજ્યમાં આવ્યા.

અને મોટા મોટા શીલ્પકારોને આ ટુકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવા કહ્યું. પણ પ્રશ્ન એ ઉભો થયો કે, કોઈ શિલ્પકારે ભગવાન વિષ્ણુને પ્રત્યક્ષ જોયા ના હતા તો તે મૂર્તિ કઈ રીતે બનાવી શકે? માટે કોઈ પણ તે મૂર્તિ બનાવવા તૈયાર ના થયું. રાજા ફરીથી નિરાશ થઇ ગયા.

એક દિવસ રાજાના દરબારમાં એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા અને તેમણે રાજાને કહ્યું કે, હું ભગવાન વિષ્ણુની યોગ્ય મૂર્તિ તમારા માટે બનાવી આપીશ. આ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ દેવોના શિલ્પી સ્વયં ભગવાન વિશ્વકર્મા હતા. રાજાને નવાઈ લાગી અને વિશ્વાસ ના આવ્યો કે, આ વૃદ્ધ વ્યક્તિ નહિ કરી શકે. પણ છતાં થોડી આશા સાથે તેમને મૂર્તિ બનાવવા માટે હા પડી દીધી, કેમ કે, બીજો કોઈ વિકલ્પ હતો નહિ. આ વૃદ્ધ વ્યક્તિએ રાજા સામે શરત રાખીકે, હું એક બંધ ઓરડામાં આ મૂર્તિનું કામ ૨૧ દિવસ કરીશ ત્યાં સુધી મારા કામમાં ભૂલથી પણ કોઈએ ખલેલ પાડવી નહિ. રાજાએ આ વાત માન્ય રાખી અને વૃદ્ધ વ્યક્તિ (ભગવાન વિશ્વકર્મા ) એક બંધ ઓરડામાં રાત-દિવસ કામ કરવા લાગ્યા. અને ઓરડાની બહાર કામ કરતા હતા તેના અવાજ આવી રહ્યા હતા. આ અવાજ સાંભળી રાજા -રાણી અને અન્ય લોકો ખુશ હતા. થોડા દિવસો બાદ આ ઓરડામાંથી અવાજ આવતા બંધ થઇ ગયા.

ત્યારે રાણીને એમ લાગ્યું કે આ વૃદ્ધ વ્યક્તિને કશું થઇ ગયું હશે? કેમ કે, તે વ્યક્તિ કશું પણ ખાધા પીધા વગર કામ કરતી હશે એટલે તે મૃત્યુ તો નહિ પામી હોય ને? એવી એવી અજબ ગજબની શંકા સાથે રાણીએ રાજાને વાત કરી અને રાજાએ પણ આ વાત ધ્યાનમાં લઈને તે ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો.

તો તેમને જોયું કે મૂર્તિઓ અધુરી બની ગઈ હતી અને કામ શરુ જ હતું. પણ દરવાજો ખૂલવાથી ભગવાન વિશ્વકર્મા ત્યાંથી અંતરધ્યાન થઇ ગયા. અને આ લાકડામાંથી બનતી મૂર્તિ હંમેશને માટે અધુરી જ રહી ગયી.

અને કહેવાય છે કે, આ અધુરી મૂર્તિની પ્રતીકાત્મક મૂર્તિ જ અત્યારે જગન્નાથ પુરીના મંદિરમાં રહેલી છે.
અને મિત્રો આ મૂર્તિ પાછળ અન્ય પણ ઘણી કથાઓ પ્રચલીત છે, જેમ કે,માતા રોહીણીની કથા, કે બીજી અન્ય કથા, આ કથા પણ અમારી શોધખોળના અંતે લખવામાં આવી છે, તો દરેક વાચક મિત્રએ નોંધ લેવી કે આ કથા સંપૂર્ણ સાચી હોઈ શકે તેનું અમે સમર્થન નથી કરતા, પણ બીજી કથાઓ કરતા આ કથામાં અમને થોડું સાચું વજૂદ લાગ્યું એટલે તમારી સમક્ષ પ્રસ્તુત કરી છે. તો દરેક વાચક મિત્ર પોતાની સમજણ શક્તિ અનુસાર આ કથાનો પ્રયોગ કરવો….. જય જગન્નાથ. 

જો આ આર્ટીકલ ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો ” જય જગન્નાથ “

🤴ભાઈઓ તથા 👸બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Tags: Devotionalgodhistoryindiajagannath purijagannath templekingtemple
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
સમય પહેલા જ ડીલીવરી થાય તો બાળકને નુકશાન થઇ શકે છે.. તે રોકવાના ઉપાયો, દરેક સ્ત્રી જરૂર વાંચે.

સમય પહેલા જ ડીલીવરી થાય તો બાળકને નુકશાન થઇ શકે છે.. તે રોકવાના ઉપાયો, દરેક સ્ત્રી જરૂર વાંચે.

શું તમે આ બિમારી વિશે સાંભળ્યું છે કે, જે મોટાભાગના લોકોને હોય છે…પણ તેમને પણ ખબર નથી હોતી.

શું તમે આ બિમારી વિશે સાંભળ્યું છે કે, જે મોટાભાગના લોકોને હોય છે...પણ તેમને પણ ખબર નથી હોતી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જોતજોતામાં કરોડપતિ બનવું હોય તો જાણી લ્યો આ 416 રૂપિયા વાળો ફોર્મ્યુલા, પૈસાના થઇ જશે ઢગલે ઢગલાં….જાણો કેવી રીતે…

જોતજોતામાં કરોડપતિ બનવું હોય તો જાણી લ્યો આ 416 રૂપિયા વાળો ફોર્મ્યુલા, પૈસાના થઇ જશે ઢગલે ઢગલાં….જાણો કેવી રીતે…

January 19, 2023
નિયમિત આ કામ કરવાથી તમારા શરીરનું શારીરિક અને માનસિક લેવલ ખુબ ઊંચું આવી જશે… જરૂર તમે પણ રોજ આ કરો

નિયમિત આ કામ કરવાથી તમારા શરીરનું શારીરિક અને માનસિક લેવલ ખુબ ઊંચું આવી જશે… જરૂર તમે પણ રોજ આ કરો

August 7, 2018
જો સપનામાં આ વસ્તુ દેખાય તો ગભરાશો નહિ .. ભગવાન આપે છે તમને આ સંકેત … થશે ધન લાભ

જો સપનામાં આ વસ્તુ દેખાય તો ગભરાશો નહિ .. ભગવાન આપે છે તમને આ સંકેત … થશે ધન લાભ

October 29, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.