અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતીના
🎀 આ એક ટુકડો લાલ પોટલીમાં બાંધીને મૂકી દો… ક્યારેય ગરીબ નહિ રહો….. 🎀
💁 મિત્રો આજે અમે ફટકડીનો એક એવો ચમત્કારી ઉપાય જણાવશું કે તેને તમે કોઈ પણ દિવસે કરી લેશો તો તમારા ઘરમાં ખુબ જ પૈસાનો વરસાદ થશે. જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો અને તમારા ઘરમાં ક્યારેય ગરીબી ન રહે તો તમને આ નાના એવા ફટકડીના ટુકડાનો ઉપાય જરૂર કરવો જોઈએ. આ નાનો એવો ટુકડો તમને ગરીબમાંથી અમીરમાં બદલી નાખશે.Image Source :
💁 મિત્રો આપણા રોજીંદા જીવનમાં ઘણી બધી એવી સામાન્ય વસ્તુઓ છે જેનો ઉપયોગ આપણા શાસ્ત્રમાં ઉલ્લેખવામાં આવ્યો છે. જેમ કે લવિંગ, એલચી, લીંબુ અને તેની સાથે ફટકડી. આ બધી વસ્તુના તમે ઉપાય કરો તો મિત્રો તેનાથી તમને ઘણો બધો લાભ મળે છે. આજે પણ આ ઉપાય તેના માટે છે જેનાથી તમે બની શકો છો ધનવાન.
💁 આ ઉપાય પછી માતા લક્ષ્મીજીનો વાસ તમારા ઘરમાં થશે તેની સાથે સાથે જો તમારા પર કોઈ કર્જ હશે તો તે પણ ઓછુ થવા લાગશે, કોઈ એવું કામ કંઈક કારણોસર ઉભું રહી ગયું હોય તો તે કામ પણ ખુબ જ સારી રીતે અને જડપથી પૂરું થવા લાગે છે. તમારા પૈસા કોઈ જગ્યા પર અટવાયા હોય તો તેની પાસેથી તમારા પૈસા પાછા આવી જશે. આ ઉપાય ખુબ જ પ્રભાવશાળી છે જો આ ઉપાય પુનમના દિવસે, અમાસના દિવસે, ચતુર્થી, એકાદશીના દિવસે કરો છો તો મિત્રો તેનો તમને અને તમારા પરિવારને ખુબ સારો લાભ મળશે. અને ધનની તો કોઈ કમી જ નહિ .
💁 મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે એક નાનો એવો ફટકડીનો ટુકડો બજારમાંથી લાવવો પડશે અને જો ઘરમાં હોય તો પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો ફટકડીનો ટુકડો લીધા પછી તમારે ઘરમાં રહેલા પૂજાઘરની સામે બેસવાનું છે. જો તમારા પૂજાઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો ફોટો સામે હોય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે.
💁 ત્યાર પછી ફટકડીના ટુકડાને પૂજાઘરની સામે અથવા ભગવાનના ફોટાની સામે મૂકી દેવાનો છે. બે હાથ જોડીને તમારી બંને આંખ બંધ કરીને “ઓમ શ્રી શ્રીયૈ નમઃ ” આ મહાલક્ષ્મીના મહામંત્રનો 21 વાર જાપ કરવાનો છે. ત્યાર બાદ તમારે એક લાલ કલરનું કપડું લેવાનું છે. જો તમે લાલ રંગની કોઈ પણ વસ્તુનું મહાલક્ષ્મીની પૂજામાં ઉપયોગમાં લો છો તો મહાલક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહે છે. આ રંગથી માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે.
💁 પછી લાલ રંગના કપડામાં ભગવાન સામે મુકેલા ફટકડીના ટુકડાને મુકવાનો છે. ત્યાર પછી તમારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે. ત્યાર પછી મિત્રો તમારે તમારા બંને હાથ જોડીને આંખ બંધ કરીને તમારી જે પણ ઈચ્છાઓ હોય તે બધી ફટકડીના ટુકડાને કહી દેવાની છે. પોતાની ઈચ્છાઓ જણાવ્યા પછી તે ફટકડીના ટુકડાને લાલ રંગના કપડામાં વીંટીને એક નાની પોટલી બનાવી લેવાની છે પરંતુ જો પોટલીને બાંધવા માટે લાલ રંગનો દોરો જ ઉપયોગમાં લો તો વધારે શુભ માનવામાં આવે છે.
💁 ત્યાર પછી તમારે તે પોટલીને શુદ્ધ દેશી ઘીના દીવાની ઉપર જમણા હાથ વડે ત્રણ વાર ઘડિયાળ કાંટા ફરે છે તે દિશામાં ત્રણ વાર ફેરવવાના છે. ત્રણ વાર દીવાની ઉપર ફેરવાયા પછી પૂજાઘરની અંદર લક્ષ્મીજીની પાસે મૂકી દેવાનું છે પછી સુઈ જવાનું છે. પછી બીજા દિવસે સવારે તમે ઉઠો ત્યારે તમારે તે પોટલીને ત્યાંથી ઉઠાવવાની છે અને મુખ્ય દરવાજાની અંદર કોઈ પણ જગ્યાએ ઉપરની બાજુ આ પોટલીને લટકાવી દેવાની છે.
💁 આ પોટલીને તમારા ઘરની અંદર લટકાવવાથી કોઈ ખરાબ નજર વાળું વ્યક્તિ આવે છે તો તેની નજર તમારા ઘરને નહિ લાગે. તેની સાથે કોઈ પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી. ફટકડીનો ટુકડો મુખ્ય દરવાજાની પાસે રહેવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે અને તેના કારણે ગરીબી તમારા ઘરેથી દુર જશે.
💁 આ ખુબ જ અસરકાર ઉપાય છે. પરંતુ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ટુકડાને ઘણા મુખ્ય દરવાજાની બાજુમાં જ રાખવાનો છે અને તે પોટલીને એક વર્ષ સુધી ઘરમાં રાખી શકો છો અને કોઈ પણ દિવસે આ ઉપાયને તમે કરી શકો છો. પરંતુ આ ઉપાયને જો અમાસ, પૂનમ, ચતુર્થીના દિવસે કરો તો તેનો ખુબ જ લાભ તમને મળે છે. આ ઉપાયને કરો ત્યારે સમયનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેનો સમયે 7 વાગ્યા પછી જ સારો કહેવાય છે અને આ ઉપાયને તમે મહિનામાં એક જ વાર કરી શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
Shuddha Gai nu Ghee????
Where how who provides Pure Cow Ghee???
Bhense milk in hi demand and used!!!