મિત્રો સરકાર તરફથી હાલ છેલ્લા ઘણા વર્ષોથી અનેક યોજનાઓ લોકો માટે જાહેર કરવામાં આવી છે. અને લોકો પણ અનેક યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. ઘણા લોકો અકસ્માત માટે, તો ઘણા લોકો ભવિષ્યની નિધિ રૂપે અથવા તો પેન્શન રૂપે પોતાના પૈસા સેવ કરી રહ્યા છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી જન ધન યોજના છે. જેમાં આર્થિક રીતે નબળા લોકો કે વર્ગ માટે આ યોજના શરુ કરવામાં આવી છે. અને લાખો લોકોએ આ યોજનામાં પોતાના ખાતા ખોલાવ્યા છે. ચાલો તો આજે આ જન ધન યોજના લોકોને કયો લાભ મળી રહ્યો છે તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. જાણવા મળતી માહિતી મુજબ SBI પોતાના ગ્રાહકોને 2 લાખનો મફત ઇન્શ્યોરન્સ આપી રહી છે. આ યોજના જ ધન યોજનાના કાર્ડ ધારકો માટે છે. આ પ્રધાનમંત્રી જન ધન યોજનાને વર્ષ 2014 માં શરુ કરવામાં આવી હતી. આ યોજના આર્થિક રીતે નબળા લોકો માટે વ્યાજબી આર્થિક સર્વિસ, બેન્કિંગ બચત, અને જમા ખાતા, ક્રેડીટ, વીમા, પેન્શન બધું સુનિશ્ચિત કરે છે.
તમને જણાવી દઈએ કે બેંક તરફથી જન ધન ગ્રાહકોને SBI Rupay jandhan card ની સુવિધા આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયા સુધીની અકસ્માત ઇન્શ્યોરન્સ કવરની સુવિધા આપે છે. રૂપે કાર્ડ Rupay card ની મદદથી તમે ખાતા માંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.
ટ્રાન્સફર કરવાનો વિકલ્પ છે : બેઝીક સેવિંગ એકાઉન્ટ (savings account) ને જન ધન યોજના ખાતામાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ છે. જેની પાસે jan dhan account છે, તેને બેંક પાસેથી Rupay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ 2018 સુધીમાં ખોલવામાં આવેલ ખાતા જાહેર કરવામાં આવેલ Rupay PMDJY કાર્ડની વીમા રાશી 1 લાખ રૂપિયા થશે. 28 ઓગસ્ટ 2018 પછી જાહેર કરવામાં આવેલ Rupay કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત કવર ફાયદો મળશે.
જાણી લો કંઈ રીતે ક્લેમ કરવો ? : તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર વ્યક્તિગત દુર્ઘટના પોલીસી ભારતની બહાર થયેલ ઘટના પણ કવર થાય છે. આવશ્યક દસ્તાવેજ જમા કરવા પર વીમા રાશી અનુસાર ભારતીય રૂપિયામાં ક્લેમના રૂપમાં ભુગતાન કરવામાં આવે છે. ન્યાયાલયના આદેશ અનુસાર લાભાર્થી કાર્ડધારક અથવા કાનૂની ઉત્તરાધિકારીના ખાતામાં નોમીની બની શકે છે.
આ રીતે ખાતું ખોલાવી શકો છો : જો તમે પોતાનું નવું જન ધન એકાઉન્ટ ખોલાવા માંગતા હો તો તમારી નજીકની બેંકમાં જઈને સરળતાથી આ કામ કરી શકો છો. આ માટે બેંકમાં તમારે એક ફોર્મ ભરવાનું છે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાન્ચનું નામ, આવેદકનું સરનામુ, નોમીની, વ્યવસાય, રોજગાર અને વાર્ષિક આવક અને આશ્ચિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, વિલેજ કોડ, અથવા ટાઉન કોડ વગેરેની જાણકારી આપવાની રહેશે. આમ તમે SBI માં પોતાનું પ્રધાનમંત્રી જન ધન યોજનાનું ખાતું ખોલાવી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી