Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ આયુર્વેદિક ટુકડા ખાવાથી, પેટ, પાચન, વજન, હાડકા, દાંતની સમસ્યા દુર કરી… સાંધા અને ગઠીયાના દુખાવાથી આજીવન મળશે છુટકારો…

Social Gujarati by Social Gujarati
August 25, 2022
Reading Time: 2 mins read
0
આ આયુર્વેદિક ટુકડા ખાવાથી, પેટ, પાચન, વજન, હાડકા, દાંતની સમસ્યા દુર કરી… સાંધા અને ગઠીયાના દુખાવાથી આજીવન મળશે છુટકારો…
0
SHARES
463
VIEWS
Share on FacebookShare on Twitter

ડેરી ઉત્પાદનો આપણા માટે અનેક રીતે લાભદાયક હોય છે. ડેરી ઉત્પાદનોની વાત કરીએ તો જેવી રીતે આપણે દૂધ દહીંનો દરરોજ ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે પનીર પણ આપણા ભોજનનો મુખ્ય ભાગ છે. પનીર ભોજનનો સ્વાદ વધારવાની સાથે શરીરમાં હાડકા, દાંત અને મસલ્સને પણ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. પનીર પૌષ્ટિક ગુણોથી ભરપૂર તો છે જ પરંતુ તેનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આજે આપણે પનીરથી જોડાયેલી કેટલીક અજાણી અને આશ્ચર્યજનક વાતો વિશે જાણીશું 

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

ભારત દેશ હજારો વર્ષોથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. તેથી અહીં દુધાળુ પશુઓ પાળવાની પરંપરા પણ વર્ષો જૂની છે. તેનું પરિણામ એ આવ્યું કે દૂધ અને તેનાથી બનેલા પદાર્થો આપણી જરૂરિયાતો અને આદતોમાં સામેલ થવા લાગ્યા. આ પદાર્થોમાં એક પનીર છે જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ આહાર છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન અને કેલરીનો ભંડાર છે. આ તત્વ શરીરના હાડકાને મજબૂત રાખે છે. પાચન સિસ્ટમને તંદુરસ્ત બનાવે છે, સાથે જ ગઠીયો વા જેવા ગંભીર રોગોને પણ દૂર રાખે છે. એવું કહેવાય છે કે પનીરનું નિર્માણ ભારતમાં જ થયું હતું તેની સાબિતી પણ છે પરંતુ કેટલાક લોકો એવું કહે છે કે આ બહારથી આવ્યું છે.

1) પનીર વગર અધૂરું છે ભારતનું જીવન:- ભારતને લઈને એવી દંત કથા છે કે તેને સોનાની ચીડીયા કહેવામાં આવતું અને અહીંયા દૂધ દહીંની નદીઓ વહેતી હતી. તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વાપરયુગમાં અવતાર લીધો હતો અને આ યુગને દૂધ-દહીંનો યુગ માનવામાં આવતો હતો. મોટાભાગે શ્રીકૃષ્ણની બાળલીલા પશુ-ધન, દૂધ અને તેનાથી બનેલા પદાર્થોથી જોડાયેલી છે. એટલે કે દૂધ-દહીં -પનીર ની મહત્વતા ઘણા વર્ષો પહેલા જ ભારત જાણી ચુક્યું હતું.

2) શાક સાથે બીજી અનેક વાનગીઓમાં પનીર નો ઉપયોગ:- હવે અત્યારની વાત કરીએ તો દેશમાં કોઈપણ ઉત્સવ કે કાર્યક્રમ પનીર વગર અધુરો છે. પનીરથી એક થી એક વાનગીઓ બને છે તેમાં શાહી પનીર, મટર પનીર, પનીર ભુરજી થી લઈને પનીર પકોડા, ટીકા અને પનીર પરાઠા સુધી. અનેક પ્રકારની મીઠાઈઓમાં તો પનીર જ સ્વાદ લાવે છે. માની લો કે દૂધ-પનીર ભારતીઓ ના ડીએનએ માં હજારો વર્ષોથી હાજર છે.

3) શું વિદેશીઓની દેન છે પનીર:- કેટલાક ઇતિહાસકારો અને ભોજન ના જાણકાર પનીરને વિદેશી જણાવવાનો પ્રયાસ કરે છે અને તેના માટે તેમણે જે તર્ક અને ઉદાહરણ આપ્યા તેના સચોટ પ્રમાણ તેમની પાસે નથી. એવું કહેવાય છે કે પોર્ટુગીઝોએ ભારતને પનીર બનાવવાની કળા શીખવી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે તેનાથી પહેલા અરબોની સાથે પનીર ભારતમાં આવી ચૂક્યું હતું અને મુગલો એ ભારતને પનીરનો સ્વાદ ચખાડ્યો. પરંતુ તમે જોશો કે મોગલ બાદશાહ અકબરના સમયમાં લખેલા અકબરનામામાં પનીર નો ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આમ તો એ વાતમાં કોઈ શંકા નથી કે પનીર ફારસી શબ્દ પનીરથી લેવામાં આવ્યો છે.

એક બે ઇતિહાસકારો મોગલો ને પણ પનીરના જનક માને છે પરંતુ તેના કોઈ નક્કર પુરાવા નથી. તેમનો એ પણ તર્ક છે કે શ્રીકૃષ્ણના સમયમાં દૂધ, દહીં, માખણ વગેરેનું વર્ણન છે પરંતુ પનીરનો કોઈ ઉલ્લેખ નથી. બીજો તર્ક એવો પણ કરવામાં આવ્યો છે કે તે સમયમાં દૂધને ફાડવું અશુભ મનાતું હતું.4) ઋગ્વેદ અને સિંધુ ઘાટીની સભ્યતામાં વર્ણન:- હવે ભારતની વાત કરીએ તો ભારતમાં ચારો વેદમાંથી એક ઋગ્વેદમાં એક શ્લોક છે કે ‘दृते॑रिव तेऽवृ॒कम॑स्तु स॒ख्यम्. अच्छि॑द्रस्य दध॒न्वत॒: सुपू॑र्णस्य दध॒न्वत॑:॥‘ આમાં દૂધથી બનેલા જાડા પદાર્થનું વર્ણન છે. સિંધુ ઘાટીની સભ્યતાના ખોદકામમાં માટી થી બનેલા પશુધનના પૂતળા પ્રાપ્ત થયા છે. કહેવાય છે કે તે સમયમાં પનીર બનતું તો હતું પરંતુ તેને ખાટા ફળો, પાન, છાલ વગેરેથી તૈયાર કરવામાં આવતું હતું.

ફૂડ્સ કોલર્સ એવો દાવો કરી રહ્યા છે કે કુષાણ સતવાના યુગમાં ગરમ અને એસિડિક દૂધનું પ્રમાણ મળે છે. તર્ક એવો છે કે જો કોઈ વસ્તુ કે ખાદ્ય પદાર્થનું નામ બદલવામાં આવે તો તેનો અર્થ એ નથી કે ભારતના લોકો તેને જાણતા ન હોય.

5) ચરક સંહિતામાં દુધાળુ પશુઓના દૂધના નુકસાન લાભ:- હવે તમને એ વાતના નક્કર પુરાવા આપીએ છીએ કે હજારો વર્ષ પૂર્વે ભારતમાં પનીર બનાવવામાં આવતું અને ખાવામાં આવતું હતું.ઈ. સ.પૂર્વે સાતમી આઠમી શતાબ્દીમાં લખવામાં આવેલા આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતામાં જેટલા પણ દુધાળુ પશુઓ છે તેમના ગુણ અવગુણના સૂક્ષ્મતાથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.હકીકતમાં એવું માનવામાં આવે છે કે આ ગ્રંથમાં શરીરને સ્વસ્થ રાખવા સિવાય બીમારીઓ અને તેના આયુર્વેદિક ઈલાજ ની જાણકારી હશે એ ઠીક છે. પરંતુ આહાર અને પીણાના ગુણ અવગુણ પણ શરીર પર અસર છોડે છે. તેનું વર્ણન પણ આ ગ્રંથમાં વિસ્તારપૂર્વક છે આ ગ્રંથના ‘દુગધવર્ગ’ અધ્યાયમાં દૂધના પ્રકારો અને તેનાથી બનેલા પદાર્થોનું વર્ણન છે.

6) તક્રપીંડક છે પનીર:- આ ગ્રંથમાં ગાય ભેંસ, ઊંટડી, ઘોડી, ગધેડી, બકરી સિવાય હાથણી ના દૂધ ના ગુણ અવગણોનું વર્ણન છે. તેના સિવાય દૂધથી બનેલા પદાર્થોનો પણ ઉલ્લેખ છે. આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં તક્રકુર્ચિકા નું વર્ણન છે. કહેવાય છે કે દૂધને ઉકાળતી વખતે કેટલાક દ્રવ્ય નાખવાથી આ ફાટી જાય છે. આ પ્રક્રિયા તક્રકુર્ચિકા કહેવાય છે. હવે તેના બાદ આમાં પાણીને અલગ કરી દેવામાં આવે તો જે ભાગ બચે છે તેને તક્રપીંડક કહેવાય છે. આ વજનદાર, શુષ્ક, સંગ્રહ કરવા યોગ્ય પરંતુ તેનાથી કબજિયાત ની મુશ્કેલી થઈ શકે છે.

આપણે માનીએ છીએ કે વાસ્તવમાં આ જ પદાર્થ પનીર છે. તર્ક કરવામાં આવે છે કે તક્ર નો અર્થ છાશ હોય છે અને આ માખણ બનાવવાની રીત બતાવવામાં આવી રહી છે પરંતુ આ અધ્યાયમાં અલગથી માખણ, ઘી, દહી, મંદક એટલે કે પૂરી રીતે ન જામેલું દહીં, છાશના ગુણ અવગુણ બતાવવામાં આવ્યા છે. વિશેષ વાત એ છે કે આ અધ્યાયમાં પિયુષ જેને ઘી અથવા નવુ દૂધ પણ કહેવામાં આવે છે અને આ પ્રકારનું દૂધ વાછરડાને જન્મ આપ્યા પછી ગાય લગભગ 7 દિવસ સુધી આપે છે, તેના ફાયદા અને નુકસાન પણ જણાવવામાં આવ્યા છે.7) 1 કિલો પનીર બનાવવા માટે:- પનીર કેલેરી, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે.એક કિલો પનીર બનાવવા માટે લગભગ પાંચ કિલો દૂધની જરૂરત હોય છે. એવું માનવામાં આવે છે કે શરીર અને સ્વાસ્થ્ય માટે પનીર કેટલું લાભદાયક છે. 100 ગ્રામ પનીરમાં સરેરાશ કેલરી 296, ચરબી 22 ગ્રામ, સંતૃપ્ત ચરબી 14, કાર્બોહાઇડ્રેટ 4.5 ગ્રામ, પ્રોટીન 20 ગ્રામ અને કેલ્શિયમ 480 મિલિગ્રામ છે.  આ ઘટકો શરીરના હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને ત્વચામાં ચમક પણ આવે છે.

8) પનીરમાં ઉપલબ્ધ વિશેષ તત્વો:- એક્સપર્ટ જણાવે છે કે પનીરમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે તેથી આ શરીરને તુરંત ઉર્જા પ્રદાન કરે છે. આમાં ઉપલબ્ધ તત્વ પાચમ તંત્રને વારંવાર સુધારો કરે છે જેનાથી શરીરમાં ઇન્સ્યુલિન કંટ્રોલમાં રહે છે. પનીર લીનોલીક એસિડનું એક મોટો સ્ત્રોત છે જે શરીરમાં ચરબી ને બાળવાનું કામ કરે છે. પનીરમાં ઉપલબ્ધ વિશેષ તત્વો શરીરમાં સાંધાના દુખાવા અને ગાંઠિયાવા થી બચાવે છે તેના દૈનિક નિયમિત ખોરાક થી તમે આજીવન ગઠીયાના રોગથી બચી શકો છો.9) પનીરનું વધુ પડતું સેવન:- ફૂડ એક્સપર્ટ પ્રમાણે પનીરમાં પોટેશિયમ પણ ઉપલબ્ધ હોય છે. તેથી બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ ને નિયંત્રિત કરે છે. જેનાથી સ્ટ્રોકનું જોખમ પણ ઓછું રહે છે. આમાં વિશેષ પ્રકારના પ્રવાહી પદાર્થ પણ હોય છે જે માસપેશીઓમાં કળતર ને રોકવામાં મદદ કરે છે. તેથી ખેલાડીઓને વધુ માત્રામાં પનીર આપવામાં આવે છે પણ પનીરનું સંતુલિત સેવન શરીર માટે અમૃત સમાન છે. પરંતુ આનું વધારે સેવન કરવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આમાં ફેટ ભરપૂર પ્રમાણમાં હોય છે જો શરીર એક્ટિવ હોય તો અને તમે એક્સરસાઇઝ વગર સેવન કરી રહ્યા હોત તો ઠીક નહિતર આ કોલેસ્ટ્રોલ વધારી દેશે.ઘણું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર ડામાંડોળ કરી શકે છે. જેનાથી હૃદય સંબંધી સમસ્યાઓ થશે. જે લોકોને ડેરી પ્રોડક્ટ ની એલર્જી હોય તેમને પનીર ખાવાથી એલર્જી થઈ શકે છે.એ હંમેશા ધ્યાન રાખવું કે વિશ્વાસનીય દુકાનથી જ પનીર ખરીદવું કે બ્રાન્ડેડ કંપનીનું પનીર ખાવું, નહિતર આ નુકસાનદાયક બની શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
Next Post
નાની ઉંમરે ગઠીયાનો રોગ થાય તો આ ઝેર જેવી વસ્તુથી આજે જ થઈ જાવ દુર, વા, સાંધાના દુખાવા દુર રહેશે જિંદગીભર શરીરમાં નહિ થાય ગઠીયા રોગ…

નાની ઉંમરે ગઠીયાનો રોગ થાય તો આ ઝેર જેવી વસ્તુથી આજે જ થઈ જાવ દુર, વા, સાંધાના દુખાવા દુર રહેશે જિંદગીભર શરીરમાં નહિ થાય ગઠીયા રોગ...

હવે FASTag ની ઝંઝટથી પણ મળશે કાયમી છુટકારો, નંબર પ્લેટથી જ આવી રીતે ભરાય જશે ટોલ ટેક્સ… જાણો આખો પ્લાન અને ટોલ કપાવાની રીત….

હવે FASTag ની ઝંઝટથી પણ મળશે કાયમી છુટકારો, નંબર પ્લેટથી જ આવી રીતે ભરાય જશે ટોલ ટેક્સ... જાણો આખો પ્લાન અને ટોલ કપાવાની રીત....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાએ અમિત શાહને કરી એવી માંગ કે, બોલિવુડના ઘણાં ફેમસ લોકોને થશે મુશ્કેલી.

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાએ અમિત શાહને કરી એવી માંગ કે, બોલિવુડના ઘણાં ફેમસ લોકોને થશે મુશ્કેલી.

July 18, 2020
ગુજરાત  માં  પાણીનો  હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?

ગુજરાત માં પાણીનો હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?

March 16, 2018
દુનિયાના સૌથી વધુ જમીન ધરવતા 6 જમીનદારો,  તેની પાસે કેટલી જમીન છે તે જાણી ચોંકી જશો.

દુનિયાના સૌથી વધુ જમીન ધરવતા 6 જમીનદારો, તેની પાસે કેટલી જમીન છે તે જાણી ચોંકી જશો.

June 29, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In