Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

Social Gujarati by Social Gujarati
June 9, 2021
Reading Time: 1 min read
10
કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું. જેનાથ લગભગ તમે અજાણ હશો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લવ ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન તું કેમ અટકી ગયો બાણ ચલાવ.

અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે તે યુદ્ધના નિયમથી વિરુદ્ધ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુ એકલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે યુદ્ધના નિયમનો ખ્યાલ રાખ્યો હતો ? ત્યારે શું પિતામહે યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા ન હતા ? અને એટલું જ નહિ ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી ત્યારે….

આ સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું. મિત્રો તમને જણાવી દઈએ કે અર્જુન દ્વારા ચલાવાયેલું બાણ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે. તે પાશુપસ્ત્ર હતું. જે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળ્યું હતું. જ્યારે પાંડવો ૧૪ વર્ષના વનવાસ માટે ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવને અલગ અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હતા. તેમાં અર્જુને ભગવાન શિવજીની તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીએ તેને પાશુપસ્ત્ર વરદાન સ્વરૂપે આપ્યું હતું.

અર્જુનના વાર બાદ તડપી તડપીને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું અને બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કૃષ્ણ ભગવાન કર્ણ પાસે આવ્યા અને કહ્યું કે હે કર્ણ મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી તો મને સોનાનું દાન આપ.

ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી હું તમને શું દાન કરી શકું શા માટે તમે મારી પરીક્ષા લઇ રહ્યો છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હજુ પણ તારી પાસે તારો સોનાનો દાંત છે દાન આપવા માટે. ત્યારે કર્ણએ જણાવ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો. ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન આપવાનું હોય મારાથી પથ્થર મારીને ન લેવાય તારે આપવો પડશે દાંત. ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો.

ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દાંતને પવિત્ર કરીને આપ ત્યારે કર્ણને પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો ત્યાંથી ગંગા નદીની જળ ધારા થઇ અને દાંત પવિત્ર થઇ ગયો. ત્યાર બાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા તો ખુદ પરમાત્મા છે માટે તેણે બ્રાહ્મણને કહ્યું કે તમે જે હોય તે મને તમારું અસલી રૂપ દેખાડો.

ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપમાં આવ્યા અને કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાન દાનવીર છે તારા જેટલું દાની જગતમાં બીજું કોઈ નથી, માટે હું તારા આ કર્મથી પ્રસન્ન છું, તું જે માંગીશ તે આપીશ માટે કોઈ વરદાન માંગ. ત્યારે કર્ણએ કહ્યું, કે આમ તો મેં ક્યારેય કોઈ પાસે માગ્યું નથી પરંતુ આજે એક વરદાન માંગુ છું કે મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય તેવું ઈચ્છું છું.

ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંત:દ્રષ્ટિથી કુંવારી જમીન શોધી તો તાપી નદીના કિનારે અશ્વિની કુમારના મંદિર પાસેની જમીન કુંવારી હતી. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચેય પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કર્યા. ત્યારે પાંડવોએ પૂછ્યું કે આ કુંવારી જમીન જ છે એવું કંઈ રીતે સાબિત થાય. ત્યારે કર્ણ પ્રગટ થયો અને જણાવ્યું કે તાપી મારી બહેન છે, અશ્વિની કુમાર મારા ભાઈઓ છે અને હું સૂર્ય પુત્ર છું અને મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં જ થયો છે..

ત્યારે પાંડવોએ જણાવ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે આ એક કુંવારી જમીન છે. પરંતુ આવનારી પેઢીને કંઈ રીતે ખબર પડશે કે કુંવારી જમીન પર જ દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા. ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે આ જ જમીન પર એક વટ વૃક્ષ ઉગશે અને તેમાં ત્રણ પાંદડા આવશે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે અને આગળ જણાવ્યું કે જે કોઈ પણ અહીં સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે તેની મનોકામના અહીં અવશ્ય પૂર્ણ થશે. મિત્રો આ વટ વૃક્ષ આજે પણ છે અને આજે પણ તેમાં માત્ર ત્રણ જ પાંદડા છે જે એ વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણના અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા.

મિત્રો સૌથી મજેદાર વાત તો એ છે કે આ વટ વૃક્ષ આપણા ગુજરાતમાં જ છે. સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલ અશ્વિની કુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડા વાળું વટ વૃક્ષ આવેલું છે. અને કદાચ એટલા માટે જ આજે સુરત શહેરની દુનિયાભરમાં બોલબાલા છે. ત્યાં જઈને કોઈ પણ પોતાની લાઈફ સેટ કરી લે છે. કેમ કે સુરત પર આંજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ છે. જીવનમાં એક વાર અવશ્ય તે તીર્થ સ્થળની યાત્રાએ અચૂક જજો.

👉 કોમેન્ટ કરીને જણાવો આ લેખ તમને કેવો લાગ્યો અને જય શ્રી કૃષ્ણ….
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ARJUNAgujarati dayrokarnakathakauravokrushnamahabharatpandvasPANDVOSHRI KRISHANA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
તમારી ચાલવાની ગતિ જણાવે છે કે તમારું મગજ કેટલું તેજ છે… જાણો એક ખુબ જ રસપ્રદ માહિતી..

તમારી ચાલવાની ગતિ જણાવે છે કે તમારું મગજ કેટલું તેજ છે… જાણો એક ખુબ જ રસપ્રદ માહિતી..

સૂર્યએ છોડ્યો સિંહ રાશિનો સાથ હવે આ ચાર રાશિઓના ચમકશે ભાગ્ય અને બનવા જઇ રહ્યા છે કરોડપતિ..

સૂર્યએ છોડ્યો સિંહ રાશિનો સાથ હવે આ ચાર રાશિઓના ચમકશે ભાગ્ય અને બનવા જઇ રહ્યા છે કરોડપતિ..

Comments 10

  1. લાલો says:
    6 years ago

    ખરેખર ખુબજ સરસ છે

    Reply
  2. PRAVINBHAI P ACHARYA says:
    6 years ago

    Very Helpful

    Reply
  3. MANISH SARVAIYA says:
    6 years ago

    Very helpful

    Reply
  4. Ashvin Vaghela says:
    6 years ago

    Very fine interesting story we doesn’t know about this story

    Reply
  5. Prabhu dayal sharma Surat says:
    6 years ago

    Yeah satya h karan jo kunti ka putra tha Uska antim sanskar Tapi nadi ke kinare par hua tha I support this comment

    Reply
  6. Rajeshree Gandhi says:
    6 years ago

    લેખ સરસ હતો પરંતુ લેખની સાથે તમારે ફોટા પણ મૂકવા જોઈએ અને સાથે તે જગ્યાપર જાવાનો નકશો ત્યારે એ સચોટ લેખ બનશે.

    Reply
  7. Mohan Parmar says:
    6 years ago

    Very nice

    Reply
  8. jignesh patel says:
    6 years ago

    good

    Reply
  9. Rajesh Sehgal says:
    6 years ago

    1 आपका लेख बहुत अच्छा है ईस समय पुरा विश्व करोना से डरा हुआ है बस हम ऐक प्राथना करते हैं कि हमारे भारत देश में भगवान रहेम कि नजर रखे क्योंकि ईसका ईलाज सिर्फ भगवान है

    Reply
  10. Patel Ajaykumar says:
    6 years ago

    Very nice my dear

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભિખારીના મૃત્યુ બાદ ઝુપડીમાં મળ્યા આટલા રૂપિયા કે રકમ સાંભળી બોલી ઉઠશો બાપ રે…

ખુશખબર, ટાટાની આટલી કાર પર મળી રહ્યું છે 1.65 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ..

October 14, 2019
આ છે ભારતની મિસાઈલ મહિલા, જેણે આપી ભારતને અગ્નિ મિસાઈલ.  કોમેન્ટમાં થેંક્યું લખજો.

ટ્રાફિક પોલીસે કાપ્યું ચલણ, એન્જિનિયરનો હટી ગયો મગજ, આવી રીતે પોલીસની કરી દોડતી.

September 23, 2019
પત્નીએ કરવું જોઈએ કડવા ચોથનું વ્રત પતિને થાય છે આ ફાયદા ! જાણો સાચું મુહુર્ત અને વ્રતકથા.

પત્નીએ કરવું જોઈએ કડવા ચોથનું વ્રત પતિને થાય છે આ ફાયદા ! જાણો સાચું મુહુર્ત અને વ્રતકથા.

October 29, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.