ગેસ અને કબજીયાતથી પરેશાન છો | તરત જ અપનાવો આ આ દેશી ઉપાય | કાયમ માટે મળી જશે છુટકારો….

મિત્રો આજના સમયમાં લોકો ખાનપાન અને જીવનશૈલીમાં ધ્યાન ન દેતા હોવાથી ગેસ, કબજીયાત, અપચો જેવી સસ્યાથી પરેશાન રહેતા હોય છે. મિત્રો જે લોકો ચા કોફીનું સેવન વધારે કરે છે, ધુમ્રપાન કરે છે, ઝડપથી ભોજન કરે છે, વધારે મસાલેદાર અને તળેલા ખાદ્ય પદાર્થનું સેવન કરતા હોય અને વધારે પડતું કોલ્ડ્રીંકનું સેવન કરતા હોય અને જેમનું જીવન બેઠાડું હોય.  આ દરેક બાબતો વારંવાર ગેસ થવાનું કારણ છે.

આ ઉપરાંત આ લોકોને પેટમાં ગેસ થવાની સાથે સાથે ઓડકાર આવવા, પેટ ભારે રહેવું, ભૂખ ન લાગવી, કબજીયાત રહેવા વગેરે  જેવી સમસ્યા પણ જોવા મળે છે. તો મિત્રો સૌથી પહેલા એક ખાસ વાત જણાવી દઈએ કે જો તમને વારંવાર ગેસ થવાની સમસ્યા રહે છે તો તમારે ચા, કોફી, કોલ્ડ્રીંક, તીખું તળેલું અને બહારના જંક ફૂડનું સેવન સાવ ઓછું કરી દેવું જોઈએ. આ ઉપરાંત કોબી, શિમલા મિર્ચ, રાજમાં, અડદની દાળ, માંસ વગેરેનું સેવન પણ ટાળવું જોઈએ. જો તમને વારંવાર ગેસની સમસ્યા રહેતી હોય તો.મિત્રો આ તો હતી સામાન્ય બાબતો કે ગેસની સમસ્યા વારંવાર થતી હોય તો કંઈ વસ્તુનું સેવન ન કરવું.

 

પરંતુ આજે અમે તમને અમુક ખાસ દેશી ઉપચારો જણાવવા જઈ રહ્યા છીએ જે ગેસની સમસ્યા માટે અને પેટની અન્ય સમસ્યાઓ માટેનો રામબાણ ઈલાજ છે. તો ચાલો જાણીએ તે દેશી ઉપચાર. મિત્રો ઉપચાર જણાવતા પહેલા જણાવી દઈએ કે આ ઉપચાર કરવા માટે દરેક સામગ્રી ખુબ જ સરળતાથી તમારા ઘરમાંથી જ મળી રહેશે. માટે આ ઉપચાર એકદમ સરળ, સસ્તા અને 100 % અસરકારક રહેશે.

સૌથી પહેલા ઉપચાર માટે આપણે 50 ગ્રામ આખું જીરું અને 50 ગ્રામ અજમો આ બે જ સામગ્રી જોઇશે. સૌથી પહેલા જીરું અને અજમો તડકામાં સુકવી દો. તમારે બંનેને બે દિવસ તડકામા સુકવવાના છે. ત્યાર બાદ બંનેને પીસીને તેનું ચૂરણ બનાવી લેવું. હવે તે ચૂરણનો ઉપયોગ કંઈ રીતે કરવો તે પણ જણાવી દઈએ. આ ચૂરણનું સેવન સવારે નાસ્તો કર્યા બાદ, બપોરનું ભોજન કર્યા બાદ અને રાત્રે જમ્યા બાદ ત્રણેય ટાઈમ એક ચમચી ચૂરણ ગરમ પાણીમાં મિક્સ કરીને લેવાનું છે. પરંતુ યાદ રહે કે જમ્યાના પંદર મિનીટ બાદ લેવાનું છે.

ત્યાર બાદ બીજો ઉપચાર તો ખુબ જ સરળ છે અને તેના માટે માત્ર લસણની બે કળી જ કાફી છે. જો તમને ગેસ અને કબજીયાતની સમસ્યા રહેતી હોય તો તમારે રોજ સવારે ઉઠ્યા બાદ વાસી મોંએ પહેલા બે કળી લસણની ચાવવી અને ત્યાર બાદ ગરમ પાણી પીય જવું. આ ઉપચાર કરવાથી પણ ગેસની સમસ્યા છુમંતર થઇ જશે.

ત્યાર બાદ ત્રીજો સરળ અને સસ્તો ઉપાય છે એલચી અને વરીયાળીનો. આ ઉપચાર માટે 50 ગ્રામ વરીયાળી લેવાની છે અને 10 ગ્રામ નાની એલચી લેવાની છે. ત્યાર બાદ વરીયાળી અને એલચીને પીસીને એક ચૂરણ બનાવી લેવાનું છે. હવે તમારે આ ચૂરણમાંથી એક ચમચી સેવન દિવસ દરમિયાન બે વખત કરવાનું છે. તેનાથી હંમેશા માટે ગેસની સમસ્યા દુર થઇ જશે.

તો મિત્રો આ સરળ અને એકદમ સસ્તા ઉપાયથી તમે ગેસની તેમજ પેટની અન્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તો મિત્રો પેટની સમસ્યા થાય ત્યારે સીધા ડોક્ટરને બતાવીને પૈસા ખર્ચવા કરતા આ અસરકારક દેશી ઉપચાર અપનાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment