આપણી આસપાસ અનેક પ્રકારના ફળ, ફૂલ શાકભાજી, અવનવી અનેક પ્રકારની વનસ્પતિઓ આવેલી છે. જેમાં વિવિધ પ્રકારના ગુણો અને ફાયદા ઉપલબ્ધ હોય છે. આવા ફળોમાં એક ગોરસ આમલી છે જેમાં સ્વાદ અને ગુણ બંને ભરપૂર પ્રમાણમાં હાજર હોય છે. તેથી તેને ડાયાબિટીસ સહિત અનેક પ્રકારની ઔષધીઓના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.
ગોરસ આમલી એક ફળ છે જે જલેબી જેવી ગોળ હોય છે તેથી તેને કેટલાક વિસ્તારમાં જંગલી જલેબી પણ કહે છે. આમ તો તેના અનેક નામ છે, જેમાં મીઠી આમલી, ગંગા જલેબી, મદ્રાસ થ્રોન, ગુઆમુચિલનો સમાવેશ થાય છે. આ ફળ ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોવાની સાથે જ સ્વાસ્થ્યમંદ ફાયદાથી ભરપૂર હોય છે. આ અનેક પ્રકારની બીમારીઓમાં સારી અસર દેખાડે છે. શહેરમાં રહેતા લોકો કદાચ જ આ ફળના વિશે જાણતા હશે પરંતુ ગામડાના લોકો આને ખૂબ જ આનંદ પૂર્વક ખાય છે.ગોરસ આમલીના ઔષધીય ગુણ:- એક રિપોર્ટ પ્રમાણે ગોરસ આમલીના પાનના અર્કના વિવિધ ભાગોમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટી ઇમ્ફ્લેમેટરી, એન્ટી ડાયાબિટીક, કાર્ડિયો પ્રોટેક્ટિવ, એન્ટી ડાયરિયલ, એન્ટી અલ્સેરોજેનિક, લાર્વિસાઈડલ અને ઓવિસાઈડલ ગુણો હાજર હોય છે. આ સાથે બાયો એક્ટિવ ફાયટોકંપાઉન્ડ જેવા કે ફ્લેવોનોઈડ્સ, સેપોનિન, ટેનીન, આલ્કલોઈડ વગેરે પણ પ્રાપ્ત થાય છે. ગોરસ આમલીમાં વિટામીન સી, વિટામીન b1,b2,b3, વિટામીન કે, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, આહાર ફાઇબર, સોડિયમ અને વિટામીન એ પણ પ્રાપ્ત થાય છે.
1) શુગરને નિયંત્રિત:- ડાયાબિટીસમાં ગોરસ આમલીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ગોરસ આમલીની સિંગના અર્કનો રસ એન્ટી હાઈપરગ્લાઇસેમિક ગુણને પ્રદર્શિત કરવા માટે ઓળખાય છે. જે ટાઈપ 2 ડાયાબિટીસ મેલિટસથી લોકોમાં બ્લડ શુગરના લેવલને ઘટાડવાનું કામ કરે છે. આ રીતે બ્લડ શુગરને નિયંત્રિત રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત રૂપે આનુ સેવન કરી શકે છે.2) કોલેસ્ટ્રોલ:- ગોરસ આમલીમાં હાજર લોહીમાં ગંદા એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવાની સાથે જ સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે સાથે જ આમાં હાજર પોટેશિયમ હૃદયને હેલ્ધી બનાવી રાખવાનું કામ કરે છે. એવામાં આ ફળ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
3) ઇમ્યુનિટી વધારે:- જંગલમાં ઉગતું જલેબી જેવું દેખાતું આ ફળ ગોરસ આમલી અનેક રીતે એન્ટિઓક્સિડન્ટથી ભરેલું હોય છે. જે શરીરના રોગો અને વાયરસથી લડવાની ક્ષમતા ને વધારવાનું કામ કરે છે.4) સોજો દૂર કરે:- ગોરસ આમલીમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ પણ પ્રાપ્ત થાય છે. આ ગુણ લોહી માં યુરિક એસિડની માત્રાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. એવામાં જો તમે ગઠીયા વાથી પીડાતા હોવ તો આ ફળ તમારા માટે ફાયદાકારક બની શકે છે.
આવી રીતે કરો સેવન:- ગોરસ આમલીને અન્ય ફળની જેમ છોલીને ખાઈ શકો છો. ધ્યાન રાખવું કે આનું બીજ પેટમાં ન જાય. તેના સિવાય કેટલાક લોકો આને સૂકવીને કે તેનો મુરબ્બો બનાવીને પણ ખાય છે.
આ લોકોએ ગોરસ આમલીના સેવનથી રહેવું જોઈએ દૂર:- ગોરસ આમલીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હાજર હોય છે. પરંતુ તે છતાં કેટલાક લોકોએ આનુ સેવન કરવાથી બચવું જોઈએ. તેમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ મુખ્ય રૂપે આનુ સેવન કરવાથી બચવું જોઈએ. સાથે જ કોઈ ક્રોનિક મેડિકલ કન્ડિશનથી પીડિત વ્યક્તિએ આનુ સેવન કરવા કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી