ઈલાયચીની છાલને ફેંકવા કરવા બનાવો તેના આ બે ચૂર્ણ, જમીને એક ચમચી લઈ લ્યો… ઉબકા, એસીડીટી દુર કરી પેટને કરી દેશે એકદમ સાફ…

દરેક ઘરમાં ઈલાયચી જરૂરથી જોવા મળે છે. ઈલાયચીનો ઉપયોગ કોઈ પણ મીઠાઈમાં કરવામાં આવે છે. ઈલાયચી લગભગ લોકોને પસંદ હોય છે. તે એક એવી વસ્તુ છે. જેને ખાઈ ને અમુક જ સમયમાં મૂડ ફ્રેશ થઈ જાય છે. પરંતુ જ્યાં લોકો ઈલાયચીના દાણાનું સેવન કરે છે. ત્યાં જ લોકો તેની છાલને ફેંકી દે છે. પરંતુ આજે અમે તમને ઈલાયચીના છાલના ફાયદા વિશે જણાવી છે. ખરેખર ઈલાયચીના છાલ ડાયજેસ્ટિવ એન્જિનના પ્રોડકશનને વધારો આપે છે. પાચનક્રિયાને તીવ્ર કરે છે. તે સિવાય ઈલાયચીની ચાલતી શરીરને અંદરથી કરવામાં પણ મદદ મળે છે. તથા લોહી શુદ્ધ કરવા માટે પણ મદદરૂપ છે. આ પ્રકારે ઈલાયચીની હાલ આપણા શરીર માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. આવો જાણીએ તેના છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને તેના ફાયદા શું છે.

ઈલાયચીના છાલથી બનાવો પેટ સાફ કરનાર ચૂર્ણ : ઈલાયચીની છાલથી તમે ખાસ પ્રકારનો ચૂર્ણ બનાવી શકો છો. ખરેખર ઇલાયચીના દાણામાં જ નહીં પરંતુ તેના છાલમાં પણ ખુબ જ ખાસ ગુણ જોવા મળે છે. તે ખુબ જ સુગંધથી ભરપૂર હોય છે અને તેમાં રેચક ગુણ જોવા મળે છે. એટલે કે તે પેટ સાફ કરવા માટે મદદ કરે છે. તેથી તમે ઈલાયચીના છાલથી પેટ સાફ કરવાનું ચૂર્ણ બનાવી શકો છો. આ ચૂર્ણ બનાવવા માટે સૌપ્રથમ ઈલાયચીની છાલને જમા કરો, ત્યાર બાદ હીંગ, અજમો, મોટી ઈલાયચીનાં બીજ અને સંચળ પાવડર લો. હવે આ દરેક વસ્તુને તવી ઉપર થોડું ગરમ કરો. હવે ખાંડણીમાં તેને નાખીને વાટો. હવે આ ચૂર્ણને એક ડબ્બામાં બંધ કરીને મુકો. દરરોજ ભોજન કર્યા બાદ તેની એક ચમચીનું સેવન કરો.

ઉબકા આવે ત્યારે : ઘણી વખત અપચાના કારણે અથવા તો વધુ પડતું જમી લેવાના કારણે આપણને ઉબકા આવવા લાગે છે. તેવામાં ઈલાયચીના છાલથી બનેલા ચૂર્ણ તમારી ખાસ મદદ કરી શકે છે. આ ચૂર્ણ બનાવવા માટે ઈલાયચીના છાલને ઉતારીને તેને ઘસો. ત્યાર બાદ તેમાં અડધો ગ્રામ જાવંત્રી ચૂર્ણ, અડધી ચમચી મિશ્રી ઉમેરીને મૂકો, હવે જ્યારે પણ તમને ઉબકા આવે ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.

ઈલાયચીના છાલના ફાયદા – પેટ માટે : ઈલાયચીના છાલથી બનેલા બે વસ્તુઓ પેટ માટે ખુબ જ ફાયદાકારક છે. ખરેખર તો આ ચૂર્ણ પહેલા એની લાડની માત્રા વધારે છે. જેનાથી ડાયજેશન તીવ્ર થાય છે. તેનાથી તમે જે કંઈ પણ ખાવ છો તે સૌથી સારી રીતે પચી જાય છે. આ સિવાય ઈલાયચીના છાલથી બનેલો આ વસ્તુઓ મળમાં જથ્થા ઉમેરવાનું કામ કરે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સુતી વખતે તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.

એસીડીટી માટે : ઈલાયચીની છાલ એસીડીટી માટે રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. ખરેખર આ બંને ચૂર્ણમાં મળતી વસ્તુઓ એસીડીટીને શાંત કરે છે અને ભોજન પચાવવામાં પણ મદદ કરે છે. ચંચળ અને મિશ્રી બંને મૂળભૂત પ્રકૃતિના છે. તે પેટમાં પ્રોડ્યૂસ થતાં એસિડને ન્યુટ્રીલાઈઝ કરીને શાંત કરવાનું કામ કરે છે. તે સિવાય તેમાં ધાણાના બીજ જાવંત્રી હિંગ અને અજમો દરેક વસ્તુ એસીડીટીને ઓછું કરવા માટે મદદરૂપ છે.

ઉબકા : ઈલાયચીના છાલ ઉપર કારગર રીતે કામ કરે છે. તે મૂળ પ્રેશરની જેમ કામ કરે છે. તથા તે તમારા મૂડને તૈયારીમાં જ બદલે છે. તેની સાથે જ બદહજમીના કારણે ઉબકા આવવાથી આ બંને ચૂર્ણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તે સિવાય ઈલાયચીની છાલનું તમે પાણી પણ પિય શકો છો તેની માટે તમારે ઈલાયચીના છાલને પાણીમાં નાખીને ઉકાળવાં આ છે. ત્યાર બાદ તેને ગાળો હવે ઠંડુ થવા માટે મુકો અને તેમાં મધ ઉમેરીને આ પાણીનું સેવન કરો આ રીતે ઈલાયચીનું પાણી પાચનતંત્રથી લઈને વજન ઓછું કરવા માટે ખુબ જ મદદરૂપ છે. તો તમે કોઈ પણ વસ્તુમાં ઇલાયચીનો ઉપયોગ કરો છો અને તેના છાલને ફેંકી દો છો તો આ આદતને છોડીને ઈલાયચીના છાલનો આ રીતે ઉપયોગ કરો.

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment