સ્નાન સમયે આ વસ્તુને પાણીમાં નાખીને સ્નાન કરો…. પછી જુઓ ચમત્કાર, એવું થશે કે તમે વિચાર્યું પણ નહિ હોય

સ્નાન સમયે આ વસ્તુને પાણીમાં નાખીને સ્નાન કરો…. પછી જુઓ ચમત્કાર, એવું થશે કે તમે વિચાર્યું પણ નહિ હોય

આપણા આયુર્વેદમાં ઘરની ઘણી બધી જીવનજરૂરી વસ્તુઓના ઉપયોગથી મોટા મોટા આરોગ્યને લગતા રોગોને મટાડી શકાય છે. તો આજે અમે તમને તેવી જ વસ્તુઓના ફાયદા વિશે જણાવશું. જેનો ઉપયોગ સ્નાનના પાણીમાં નાખીને કરવામાં આવે તો ઘણા બધા રોગોના ઈલાજ થઇ શકે છે. તે વસ્તુ છે મીઠું. હા મિત્રો, મીઠાનો ઉપયોગ જમવાની સાથે સાથે ઘણા બધા રોગોના ઈલાજ માટે પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય એવું નહિ સાંભળ્યું હોય કે મીઠા વાળા પાણીથી સ્નાન કરવામાં આવે તો તેના ઘણા ફાયદા થાય. મીઠામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સોડીયમ જેવા ઘણા મિનરલ્સ હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. જે આપણી બાહ્ય ત્વચાને ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે મીઠા વાળા પાણીથી સ્નાન કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ કે શું થાય છે એ ફાયદાઓ.

આજકાલ ખાન પાન વ્યવસ્થિત ન હોવાના કારણે મોટા ભાગના લોકો પેટ સંબંધી રોગો અને એસીડીટીથી પીડાતા હોય છે. જો તમને પણ આ સમસ્યા છે તો તમારે અન્ય કોઈ ઉપાય અપનાવતા પહેલા મીઠા વાળા પાણીથી સ્નાન કરવાનું શરૂ કરવું જોઈએ. કારણ કે મીઠામાં અમુક તત્વો એવા હોય છે જે આપણા શરીરના આયરનને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે અને તમને એસીડીટીથી છુટકારો અપાવે છે.

મીઠાના પાણીથી સ્નાન કરવામાં આવે તો માંસ પેશીઓનો દુઃખાવો પણ દુર થાય છે. કલાકો સુધી કામ કરવાથી, કોઈ વસ્તુ વાગવાથી કે શુગરના કારણે માંસપેશીઓમાં દુઃખાવો થવો તે સામાન્ય બાબત છે. આવું થવાથી લોકો મોટાભાગે દવાનો સહારો લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે મીઠાના પાણીથી સ્નાન કરવામાં આવે તો માંસપેશીઓનો દુઃખાવો દુર થાય છે. માંસપેશીના દુઃખાવામાં રાહત મેળવવા માટે મીઠા વાળા પાણીનું સ્નાન અવશ્ય કરવું જોઈએ.

મીઠા વાળા પાણીના સ્નાનથી માનસિક તણાવ દુર થાય છે અને શરીરને ખુબ જ આરામ મળે છે. આ ઉપરાંત તે આપણા મનમાં સકારાત્મક વિચારો પેદા કરે છે. જેનાથી વ્યક્તિ ખુશ થઇ જાય છે. એટલુ જ નહિ પરંતુ એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે મીઠા વાળા પાણીના સ્નાનથી મગજ સંબંધી રોગો થતા નથી. તેનાથી ઊંઘ પણ ખુબ જ સારી આવે છે અને અનિંદ્રા જેવી સમસ્યાથી પણ છુટકારો મળી જાય છે.

આ ઉપરાંત મીઠા વાળા પાણીથી સ્નાન કરવું તે ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક છે. મીઠામાં મેગ્નેશિયમ હોય છે. જે પાણીને ત્વચામાં વધારે સમય સુધી રોકી રાખે છે અને ત્વચાને મોઈસ્યુરાઈઝ કરે છે. જેનાથી ત્વચાની નમી કાયમ રહે છે. મીઠા વાળા પાણીના સ્નાનથી ત્વચાની ડેડ સ્કીન નીકળી જાય છે અને ત્વચા ચમકદાર બની જાય છે. એટલું જ નહિ મિત્રો મીઠા વાળું પાણી ત્વચાને ગોરી અને મુલાયમ પણ બનાવે છે. કેમ કે મીઠામાં રહેલો ક્ષાર આપણી ત્વચામાંથી મેલને ખેંચી લે છે. જેના કારણે ત્વચા ચોખ્ખી બની જાય છે.

એવું પણ કહેવાય છે કે મીઠા વાળા પાણીમાં રહેલ મિનરલ્સના કારણે ત્વચામાં દાગ અને કરચલીઓ પણ નથી થતા. તેથી મીઠા વાળું પાણી ત્વચાને યુવાન બનાવી રાખે છે. ચમકદાર, મુલાયમ, ગોરી અને સ્વસ્થ ત્વચા માટે મીઠા વાળા પાણીથી રોજ નહાવું જોઈએ. આ પાણીના સ્નાનથી આપણી ત્વચાની ગંદકી તો દુર થાય છે. તેની સાથે તે આપણી ત્વચાના રોમ છિદ્રોને પણ ખોલે છે. એટલું જ નહિ તે આપણી ત્વચામાં તેલની ઉત્પાદન માત્રને પણ સંતુલિત રાખે છે અને શરીરનું વધારાનું તેલ પણ શોષાઈ જાય છે. જેથી ત્વચાને ઉચિત પોષણ પણ મળે છે.

ત્વચામાં થતા કોઈ પણ પ્રકારના સંક્રમણથી મીઠા વાળું પાણી બચાવે છે. જો શરીરમાં સોજો ચડી ગયો હોય તો પણ તે મીઠા વાળા પાણીના સ્નાનથી સોજો પણ દુર થાય છે. આ ઉપરાંત મીઠા વાળું પાણી ત્વચા માટે એક સ્ક્રબ જેવું કાર્ય કરે છે. જેથી ત્વચાની ગંદકી સરળતાથી સાફ થઇ જાય છે અને ત્વચાને એક પ્રાકૃતિક નિખાર મળે છે.

તો મિત્રો આ રીતે મીઠા વાળા પાણીથી સ્નાન કરવું અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.

Leave a Comment