રોજ સવારે ઉઠતાની સાથે જ કરો આ કામ… અને પ્રસન્ન કરો લક્ષ્મીજીને જરૂર બનશો ધનવાન.

🏠 રોજ સવારે ઘરનો મુખ્ય દરવાજો ખોલતાની સાથે સૌથી પહેલા કરો આ કામ અને રોડપતિમાંથી બનો કરોડપતિ.. 🏠

🏠 મિત્રો આપણા બધાનું ઘર આપણા માટે ખુબ જ મહત્વનું હોય છે. જ્યાં આપણને સુકુન મળતું હોય છે તેથી જ તો કેહવાયું છે કે દુનિયાનો છેડો ઘર જ હોઈ છે. તેમજ આપણા ઘર પરથી અમુક લોકોને  આપણો અંદાજો લગાવતા જોયા હશે. એવામાં આપણા ઘરનો મુખ્ય દરવાજો આકર્ષણનું કેન્દ્ર હોય છે. મિત્રો કેહવાય છે કે જે ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુ પ્રમાણે હોય તો તે ઘર હંમેશા આપણા માટે શુભ રહે છે. તેવા મકાનમાં રહેવાથી અનેક લાભો થાય છે ખાસ કરીને ધન લાભ તેમજ તે ઘરમાં રહેતા સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો પણ ખુબ ઓછો કરવો પડે છે. આ ઉપરાંત વાસ્તુ પ્રમાણે દરવાજો રાખેલો હોય ઘર બનાવતી વખતે તો તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે. મિત્રો કહેવાય છે કે ઘરની સુંદરતાનો અંદાજો ઘરના મુખ્ય દરવાજા પરથી આવે છે.

🏠 આપણો એક દોષ છે આપણા ઘરનો મુખ્ય દ્વાર. ઘણી વાર ત્યાંથી નકારાત્મક ઉર્જાના પ્રવેશવાથી આપણો સમય ખરાબ આવે છે. પરંતુ આપણે ત્યારે તેને આપણું દૂર્ભાગ્ય સમજીને ભાગ્યને ચમકાવવાના ઉપાયો કરતા હોઈએ છીએ. તમે ઘણા ઉપાયો કરતા હોવ પણ તે કામ નથી કરતા. પરંતુ આજે અમે જે ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ તે ઉપાય એકવાર જરૂર પ્રયત્ન કરજો.

🏠 મિત્રો તમે પૂરા વિશ્વાસ અને શ્રધ્ધા સાથે આ ઉપાયો કરશો તો ક્યારેય પણ તમારા ઘરમાં અશાંતિ કે દુઃખ નહિ આવે તેમજ તમને લાભ થશે. મિત્રો એવું માનવામાં આવે છે કે તમે સવાર સવારમાં તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલો ત્યારે આ કામો કરો તો લક્ષ્મીજી તમારા ઘરે આવે છે અને તમે રોડપતિની હાલત હોવા છતાં પણ કરોડપતિ બની જશો.

🏠 વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરનો મુખ્ય દ્વાર આપણને ઘણી બધી મુસીબતોથી બચાવે છે. તો ચાલો જાણીએ મુખ્ય દ્વાર પર એવા ક્યાં ઉપાયો કરવા જેથી મુસીબત દૂર રહે.

🏠 જ્યારે તમારા ઘરમાં નાની મોટી મુસીબતો આવતી હોય ત્યારે તેનાથી બચવા સૌથી પહેલા તો ઉઠતાની સાથે મુખ્ય દરવાજો ખોલો અને અને થોડું ગંગા જળ અથવા તો હળદર વાળા પાણીનો છંટકાવ કરો અને ઘરના દરવાજાને પ્રણામ કરો તેમજ આટલું કર્યા બાદ પાછા ફરો અને ઘરની અંદર પ્રવેશ કરો.

🏠 મિત્રો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કંઇકને કંઇક તો લગાવવાનું છે. લક્ષ્મીજી, સ્વસ્તિક એટલે કે સાથીયો, શુભ લાભ, ગણેશજી અથવા તો કુબેરજી વગેરેમાંથી કોઈ વસ્તુ તમારા ઘરના મુખ્ય દરવાજા પર લગાવેલુ હોવું જોઈએ. આ ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર પર રોજે કેરીના પાંદડા અથવા તો આસોપાલવના પાંદડાથી બનાવેલું તોરણ રોજે લગાવવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જાઓ દૂર રહે છે અને દૂર્ભાગ્ય પ્રવેશતું નથી.

🏠 આ ઉપરાંત તમારા ઘરના મુખ્ય દ્વારનો દરવાજોનો રંગ પણ ઘણું બધું કહી જાય છે. જેમ કે તમારા ઘરના દરવાજાનો રંગ ક્યારેય કાળો કલર તેમજ બ્લુ કલર ન હોવો જોઈએ. બની શકે તો દરવાજાનો રંગ પીળો અને લાલ પસંદ કરવો આ ઉપરાંત જો તેવું ન બની શકતું હોય તો દરવાજા પર એવી પેઈન્ટીંગ કરવી અથવા તો લગાવી દેવી લગાવી દેવી જેમાં પીળો અથવા લાલ કલર આવતો હોય.

🏠 આ ઉપરાંત વૃક્ષો આપણા જીવનમાં રંગ ભરે છે પરંતુ અમુક છોડ અને વૃક્ષો આપણને બીમારીઓથી પણ બચાવે છે માટે ઘરના મુખ્ય દ્વારની આસપાસ કોઈ છોડ તો જરૂર હોવા જોઈએ. કંઈ ન હોય તો ખાલી એક તુલસીનો છોડ તો અવશ્ય રાખવો તેનાથી બીમારીઓ ઘરથી દૂર રહે છે.

🏠 આ ઉપરાંત મિત્રો તમારે મુસીબતથી દૂર રહેવું હોય તેમજ તમારા ઘરના ધનમાં વધારો કરવો હોય તો તમારા ઘરના મુખ્ય દરવાજાની અંદર જમણી બાજુ એક કાચના વાસણમાં થોડું પાણી અને તેમાં રોજ થોડા તાજા ફૂલ રાખવાના છે. તમારે તે પાણી રાખવાનું નથી તેને પણ સાંજે ફેંકી દેવાનું છે. ઘરની બહાર આ પાણી ફેંકી દેવાનું છે. આવું કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment