માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

મિત્રો ઘઉંનો ફણગાવેલા  ભાગ એ ઘઉંનો સૌથી મહત્વનો અને ફાયદાકારક ભાગ છે. તેમાં અનાજની બધી ખૂબીઓ ભરેલી હોય છે. એક ઘઉંના દાણાના ત્રણ ભાગ હોય છે એક બહારી પરત હોય છે, ત્યાર બાદ ઘઉંનો બીજો ભાગ એન્ડોસ્પર્મ હોય છે અને ત્રીજો ભાગ અંકુર હોય છે. જે અનાજનો સૌથી મધ્યનો ભાગ હોય છે. ઘઉંનો 2.5 % થી લઈને 3.8 % ભાગ જ ફણગાવેલા  ભાગ હોય છે. તે ભાગ અનાજના અન્ય ભાગોની તુલનાએ સૌથી વધારે પૌષ્ટિક હોય છે.

માટે માત્ર ઘઉંની જગ્યાએ જો આપણે સાત દિવસ સુધી ફણગાવેલા ઘઉંનું સેવન કરીએ તો તેનાથી આપણે વિચાર્યું પણ ન હોય તેવા ચમત્કારિક ફાયદા થઇ શકે છે. તો આજે અમે ફણગાવેલા એટલે કે ફણગાવેલા ઘઉંના ફાયદાઓ વિશે જણાવશું કે ફણગાવેલા ઘઉંના સેવનથી આપણને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે.

સૌથી પહેલો ફાયદો છે કબજીયાત દુર કરે છે. મિત્રો બેઠાડું જીવનના કારણે અથવા પાચનશક્તિ નબળી પડવાના કારણે કબજીયાતની સમસ્યા રહેતી હોય છે અને કબજીયાત આપણા દિવસને અને કાર્યોને ખરાબ કરે છે. સામાન્ય રીતે આ સમસ્યા આપણે ખાધેલા ખોરાકમાં ફાયબરની કમીના લીધે થાય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ફણગાવેલા ઘઉંમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તેથી તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા રહેતી નથી.

ત્યાર બાદ ફણગાવેલા ઘઉં આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. મિત્રો સારા ફાઈબરયુક્ત ખોરાકનો આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખુબ પ્રભાવ જોવા મળે છે. ફણગાવેલા  ઘઉં પેટમાં રહેલ હાનિકારક જીવાણું અથવા રોગાણુઓને સાફ કરે છે અને સારા બેક્ટેરિયાને પ્રસાર કરવામાં મદદ કરે છે. માટે ફણગાવેલા ઘઉં રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ લાભદાયી સાબિત થાય છે.

મિત્રો ડાયાબીટીશના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફણગાવેલા ઘઉંમાં ડાયટરી ફાયબર ખુબ સારી માત્રામાં હોય છે જે ભોજન બાદ બ્લડ ગ્લુકોઝની પ્રતિક્રિયાને કાર્ય કરવામાં મદદ કરે છે. માટે જો તમારા આહારમાં થોડા ફણગાવેલા ઘઉંનો સમાવેશ કરવામાં આવે તો ટાઈપ 2 ડાયાબીટીસથી બચવામાં મદદ મળે છે.

હૃદય રોગ માટે ખુબ જ લાભદાયી નીવડે છે. ફણગાવેલા ઘઉં હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહિ પરંતુ હેલ્થ એક્સપર્ટ પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલા  ઘઉંનું સેવન કરવાની સલાહ આપે છે. ફણગાવેલા ઘઉંમાં ન્યુટ્રીશન્સનું ખુબ વધારે પ્રમાણ હોય છે જે હૃદય રોગની તકલીફો સામે રક્ષણ આપે છે. તેમજ હૃદય રોગના જોખોમો નહીવત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં ઘણા લોકો મોટાપાનો શિકાર બની જતા હોય છે અને આપણે જાણીએ જ છીએ કે મોટાપો અન્ય ઘણી સમસ્યાઓને પણ જન્મ આપે છે માટે વધતું વજન અને ચરબી ઘટાડવું આવશ્યક બને છે.

તે હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓમાં રાહત રૂપ છે.અન્ય અસંખ્ય બીમારીઓમાં તો સુધારો તો ખરો જ. તો તે સમસ્યા માટે ફણગાવેલા  ઘઉંનું સેવન વરદાન સ્વરૂપ છે. કારણ કે ફાયબરયુક્ત આહાર દ્વારા વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે અને ફણગાવેલા ઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારની જરૂરીયાત નથી પડતી. માટે જો તમે વેઇટ લોસ કરવા માંગો છો તો ફણગાવેલા  ઘઉંનો તમારા આહારમાં અવશ્ય સમાવેશ કરવો જોઈએ.

તો આ રીતે ફણગાવેલા  ઘઉં આપણા સસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે તેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત થોડા થોડા ફણગાવેલા ઘઉંનું સેવન કરવું જોઈએ.

2 thoughts on “માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય”

Leave a Comment