પત્ની હોવા છતાં પુરુષોને બીજી સ્ત્રીઓમાં કેમ રસ હોય છે, તથ્યો સાથે જાણો 5 મૂળ કારણો… લગભગ સ્ત્રીઓ નહિ જાણતી હોય આ હકીકત…

મિત્રો જયારે કોઈ પુરુષ લગ્ન થઇ ગયાં પછી પણ બીજી મહિલાના દીવાના થઇ જાય છે એવું તમે કદાચ ઘણા કિસ્સામાં જોયું હશે. પણ આમ થવા પાછળનું કારણ શું હોય છે. શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે ખરું? ચાલો તો આજે આપણે આ લેખમાં પરિણીત પુરુષ શા કારણે બીજી મહિલાના દિવાના બને છે. તે વિસ્તારથી જાણી લઈએ.  

આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્રના સિદ્ધાંત જો કોઈએ પોતાના જીવનમાં આત્મસાત કરી લીધા તો તે સારું જીવન જીવી શકે છે. ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પરિવાર, સંબંધો, મર્યાદા, સમાજ, દેશ અને દુનિયાની સાથે ઘણી વસ્તુઓને લઈને સિદ્ધાંતો આપ્યા છે. ચાણક્યના નીતિશાસ્ત્રના સિદ્ધાંત સૌથી વધારે પ્રાસંગિક છે. એવામાં ચાણક્યએ પતિ-પત્નીના સંબંધો પર પોતાના સિદ્ધાંતો આપ્યા છે જેને જાણવા ખૂબ જરૂરી છે. આમ તો એવું કહેવામા આવે છે કે, સ્ત્રી હોય કે પુરુષ કોઈ અન્ય માટે આકર્ષણ સામાન્ય વાત છે. એ ખોટું પણ નથી પરંતુ તે ત્યારે ખોટું થાય છે જ્યારે આ આકર્ષણ કોઇની પ્રસંશા કરવા કે વાત કરવાથી આગળ વધીને કઈંક બીજું દેખાવા લાગે.સામાન્ય સિદ્ધાંત કહે છે કે, આકર્ષણ મનુષ્યની અંદરનો સ્વભાવ છે. પરંતુ તેના કારણે તમારા લગ્નમય જીવનમાં તણાવ ઉત્પન્ન થાય તો તે માત્ર આકર્ષણ નથી. એવામાં પરણેલા લોકોના એકસ્ટ્રા મેરિટલ અફેયર ઘણા કારણે થાય છે અને જો સમય રહેતા તેને સરખું કરી લેવામાં આવે તો તમારા માટે સારું રહેશે. એવામાં અમે 5 એવા કારણો વિશે જણાવીશું જેના કારણે લગ્નમય જીવન સમાપ્ત થઈ જાય છે અને પુરુષ પોતાની પત્નીને મૂકીને બીજી અન્ય સ્ત્રીના દિવાના થઈ જાય છે. 

1) નાની ઉંમરમાં લગ્ન:- નાની ઉંમરમાં લગ્ન ઘણી વખત એવી સમસ્યા લઈ આવે છે જેને નજરઅંદાજ કરી શકાતી નથી. એક તો તમે સમજદારીના લેવલ પર ખૂબ જ નીચેના પગથિયે હોય છો અને બીજું તમારી પાસે પહેલેથી જ કરિયર અને અન્ય વસ્તુઓને લઈને સમસ્યા બની રહેતી હોય છે. એવામાં જ્યારે કરિયર થોડું સરખું બને તો લોકોને એવું લાગે છે કે તેમણે પાછળ ઘણી એવી વસ્તુઓ છોડી દિધી જે તેમને મેળવવી જોઈતી હતી અને પછી લોકો એકસ્ટ્રા મેરિટલ અફેયર તરફ પગલાં ભરે છે.2) શારીરિક સંતુષ્ટિ:- શારીરિક સંતુષ્ટિ ન મળવાને કારણે જ મોટા ભાગના કેસમાં પતિ-પત્ની વચ્ચે ઓછું આકર્ષણ સાફ જોવા મળે છે. એવામાં પ્રમુખ કારણ હોય છે કે લોકો એકસ્ટ્રા મેરિટલ અફેયર તરફ આગળ વધે છે. શારીરિક સંતુષ્ટિનો મતલબ માત્ર પથારીમાં એકબીજાને સંતુષ્ટ કરવું જ નથી હોતું પરંતુ મન અને વચનથી પણ એકબીજા પ્રત્યે ઉદાર રહેવાનુ છે.

3) સંબંધોમાં વિશ્વાસની ઉણપ:- અમુક લોકોમાં જોવા મળ્યું છે કે તેઓ એકસ્ટ્રા મેરિટલ અફેયરને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે એવામાં જિવનસાથીનું એકબીજા પ્રત્યે સમર્પણ અને સેક્સ લાઈફ કામિયાબ હોવી ખૂબ જરૂરી છે. નહીં તો તમારા સંબંધોમાં જલ્દી જ ગાંઠ પડવા લાગે છે.4) મોહભંગ થવો:- તમે તમારા જિવનસાથીને સૌથી સુંદર માની તેની કેર કરો નહીં તો, બીજાની સુંદરતા અને તમારા જિવનસાથી તમને કદરૂપા દેખાવા લાગે તો તે તમારા જીવનમાં અને લગ્નમય જીવનમાં સમસ્યાઓ સિવાય બીજું કઈં જ નહીં આપે. જ્યારે તમને તમારા સાથીના ગુણ અવગુણ દેખાવા લાગે તો સમજવું કે તમારા પરિવારની વિખરાવાની સ્થિતિ બની રહી છે. 

5) બાળકનું હોવું:- કોઈ પણ સ્ત્રી પુરુષ જેવા માં-બાપ બને તો તેમની પ્રાથમિકતા બદલાઈ જાય છે. તેમના જીવનમાં મોટો બદલાવ આવી જાય છે. એવી સ્થિતિમાં પુરૂષોને પોતાની સ્ત્રીથી મોહભંગ થવા લાગે છે. આવું થવાનું કારણ મહિલાઓનું પોતાના બાળકો સાથે વધારે સમય પસાર કરવો છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment