ઘરઆંગણામાં જ ભીંડાના થઈ જશે ઢગલા | ઘરે જ ઉગાડો આ ટેકનીકથી કુદરતી અને કેમિકલ વગરનો શુદ્ધ ભીંડો…

આજે લગભગ મોટાભાગના લીલા શાકભાજીમાં કેમિકલનો ઉપયોગ થતો હોય છે. મોટાભાગના લોકોને લીલોતરી શાકમાં ભીંડો ખુબ જ પસંદ હોય છે. બજારનો ભીંડો કેમિકલ વાળો આવે છે તો કેમિકલ રહિત શુદ્ધ ભિંડાના છોડને કુંડામાં તમારા ઘરે કેવી રીતે ઉગાવવો તે અમે તમને અહીં જણાવીશું. ચાલો તો તેના વિશે વધુ જાણીએ.

આજે બજારમાં જાત-જાતનો ભીંડા આવે છે. એમાં ભીંડો કેટલાક પ્રકારના કેમિકલ વાળો આવે છે, જે તમને ધીમે-ધીમે કરીને બીમાર કરી દે છે અને તમને ખબર પણ નથી રહેતી. એટલા માટે આજે પણ તમને કેમિકલ વગરનો ભીંડો કેવી રીતે ઉગાવવો તે જણાવવા જઈ રહ્યા છીએ. તમે તમારા ઘરે જ સહેલાઈથી ભીંડાના છોડને ઉગાવી શકો છો. આ માટે તમારે થોડો સામાનની જરૂર પડશે. તો ચાલો જાણીએ કે ભીંડાના છોડને એક નાના એવા કુંડામાં ઘરમાં જ કેવી રીતે ઉગાડી શકાય.જરૂરી સામગ્રીઓ : સૌથી પહેલા તો બીજ, ખાતર, એક કૂંડું, થોડી માટી કુંડામાં સમાય એટલી અને પાણી.

બીજ કેવું હોવું જોઈએ : કોઈ પણ પાકની શુદ્ધતા તેના બીજ પર નિર્ભર હોય છે. જો બીજ જ શુદ્ધ નહીં હોય તો તમે લાખ પ્રયત્ન કરશો તો પણ પાક સારો નહીં થાય. એટલા માટે જરૂરી છે કે પાકને સારો ઉગાડવા માટે થઈને બીજને શુદ્ધ પસંદ કરવું. જ્યારે બીજ બરાબર હશે તો પાકની સાથે પાક પણ સારો થશે. ભીંડાના બીજને ખરીદવા માટે તમે ગમે તે દુકાન પરથી ન ખરીદતા, તેના બદલે, ભિંડાના બીજ ખરીદવા માટે, તમારે કોઈ પણ બીજ સ્ટોર પર જવું જોઈએ. બીજ ભંડારમાં તમને સહેલાઈથી શુદ્ધ બીજ મળી જશે.

માટી કરો તૈયાર : બીજને પસંદ કર્યા પછી હવે તમારે માટી તૈયાર કરવાની છે. કુંડામાં માટી નાખ્યા પછી માટીને એક-બે વાર સ્ક્રબ કરવી જોઈએ. માટી સ્ક્રબ કરવાનો એ અર્થ છે કે, માટી જેટલી નરમ થશે પાક એટલો જ સારો થશે. માટીને સ્ક્રબ કર્યા પછી માટીને થોડી વાર સૂર્ય પ્રકાશમાં રાખો. તડકામાં રાખવાથી તેની નરમાશ છે તે જતી રહે છે. જો માટી નરમ હોય તો બીજ નાબૂદ થવાનો અને સડી જવાનો ભય રહે છે.જૈવિક ખાતરનો કરો ઉપયોગ : લેખની સ્ટાર્ટમાં જ આના વિશે વાત કરી હતી કે જ્યારે પણ તમે બજારમાંથી ભીંડો ખરીદો છો ત્યારે તે રાસાયણિક મુક્ત હોય છે. કેમ કે ખાતરના રૂપમાં કેટલાક લોકો રસાયણ ખાતરનો ઉપયોગ કરે છે. પરંતુ, જ્યારે તમે કુંડામાં ભીંડાનો છોડ ઉગાવો છો ત્યારે, તમે પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરો. જેમ કે, ગાય, ભેંસ વગેરેનું ગોબર અથવા તો જૈવિક ખાતર અને કમ્પોસ્ટ ખાતર જ વાપરવું. માટી સ્ક્રબ કરતી વખતે અને બીજ નાખતી વખતે ખાતરને જરૂરથી નાખવું જોઈએ. કુંડામાં બીજને 2 થી 3 ઇંચ ઊંડું જરૂરથી નાખવું. તેનાથી છોડની નીવ મજબૂત થાય છે અને પાક સારો થાય છે.

હવામાનનું ધ્યાન અને સિંચાઈ : કુંડામાં બીજને નાખ્યા પછી તમે તેને થોડા દિવસ તડકામાં ન રાખો તો વધુ સારું રહેશે. કારણ કે ભારે તડકો લાગવાથી બીજ ઘણી વાર બળી જાય છે. આથી બીજ જ્યાં સુધી ફૂટીને બહાર ન આવે ત્યાં સુધી તેને તડકામાં ન રાખો. જેવા બીજ ફૂટવા લાગે એટલે તેને તડકામાં રાખી શકો છો. હવામાનનું ધ્યાન રાખવાની સાથે જ છોડની સિંચાઈ પણ જરૂરી છે. છોડ લગાવ્યા પછી એકથી બે મગ પાણી જરૂરથી છોડને આપો. ત્યાર પછી જેવા બીજ અંકુરિત થાય એટલે માટીને સ્ક્રબ કરી તેમાં પાણી જરૂરથી નાખો. આવી જ રીતે તમે રોજ જરૂરથી પાણી નાખતા રહો.વધારાના ઘાસને દુર કરો : ઘણી વખત અમુક સમયે કુંડાની અંદર વધારાનું ઘાસ ઉગી જતું હોય છે. જે ભીંડાને નુકસાન કરી શકે છે. આવા સમયે તમારા માટે જરૂરી બની જાય છે કે તમે અમુક સમયના અંતરે કુંડાની સફાઈ કરતા રહો. આ સિવાય તમારે વધારાના ઘાસને કાઢતી વખતે તેમાં જૈવિક ખાતર પણ નાખવું જોઈએ. જ્યારે આજકાલ કેમિકલ વિહીન દવાઓ બજારમાં મળે છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો. અઠવાડિયામાં એક થી બે વખત દવા છાંટો.

લગભગ એકથી બે મહિનામાં છોડ પર ભીંડો આવવા લાગશે. તમે તેના ભજીયા પણ બનાવી શકો છો. અથવા સરસો મસાલો બનાવવા માટે તેને થોડા દિવસ વધુ રહેવા દઈ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment