Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સવાર નું કેહવાતું અમૃત પણ જીન્દગી માટે ઝેર સાબિત થઇ શકે છે.

Social Gujarati by Social Gujarati
April 1, 2018
Reading Time: 2 mins read
0
સવાર નું  કેહવાતું અમૃત પણ જીન્દગી માટે ઝેર સાબિત થઇ શકે છે.

આપણામાં મોટાભાગના ગુજરાતી લોકોને સવારે ચા નથી મળતી તો તેનો પૂરો દિવસ જ ખરાબ જાય છે. ગુજરાતીઓ માટે તો શું તમામ ભારતીયો માટે ચાનું આટલું જ મહત્વ છે, આજે તમે કોઈ પણ જગ્યાએ જાવ તો બીજું કઈ ના મળે તો કંઈ નહીં પણ ચા તો જરૂર મળે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ચાને સવારનું અમૃત કહેનારા લોકોની સંખ્યા પણ આપણા ગુજરાતીઓમાં ઓછી નથી. આપણે ત્યાં કોઈના ઘરે જાવ તો ત્યાં ફોર્માલીટી સ્વરૂપે ૭૦% ચા જ હોય છે, હા હમણાં કેટલાક સમયથી “ગ્રીન ટી” પીવા વાળાની સંખ્યા પણ જોવા મળે છે. પણ હજુ ચાને આંટી મારી શકે એવું કોઈ પીણું દેખાતું નથી.

આપણે સૌએ ચાથી થતા નુકશાન વિશે કદાચ બહુ ઓછું સાંભળ્યું હશે પણ એ હકીકત છે કે, ચા કેટલીક રીતે આપણને નુકશાન પણ પહોચાડે છે. તો ચાલો જોઈએ કે ચા પીવાથી ક્યાં ક્યાં નુકશાન થઇ શકે છે.

(1) ચામાં રહેલું “કેફીન” તત્વ તમને વ્યાસની બનાવે છે.

કેટલાક લોકોને સમયસર ચા નથી મળતી તો તે ઉદાસ, થાકેલા, ગુસ્સે થઇ જાય છે. આનું કારણ એ છે કે વધુ પડતું કેફીન તમને ધીમે ધીમે વ્યાસની બનાવે છે. આ કેફીન લાંબા સમયે કીડની પર પણ ખરાબ પ્રભાવ પડે છે. તેમજ કીડની સબંધી પેશાબની બીમારી, તેમજ કીડની સબંધી અન્ય બીમારી થવાની સંભાવના રહેલી હોય છે.

(2) દાંતોની સફેદી ઝાંખી કરી નાખે છે.

તમે જો વારંવાર ચા પીવાની આદત ધરાવો છો, તો ગરમ ચા અને ચાના કલરને લીધે તમારા દાંતોમાનું જે સફેદી ધરાવતું પડ છે તે ઝાંખું પડી જાય છે, એટલે જો શક્ય હોય તો ચા પીધા બાદ તમે એકદમ હળવેથી બ્રશ કરી શકો છો અને તેમ ના શક્ય હોય તો પાણીના કોગળા અવશ્ય કરી નાખવા કે પાણી પી લેવું. જેથી તમારી દાંતોની સુંદરતા જળવાઈ શકે.

(3) ચા પીવાથી આ બીમારીઓ આવી શકે છે.

વધુ પડતી ચા પીવાથી ચા માં રહેલું કેફીન તમને નર્વસ કરી શકે છે. તમારા સ્વભાવમાં પણ ચિડીયાપણું વધી શકે છે. કેફીન તત્વ એટલું હાનીકારક છે  કે તે શરીરમાં વધી જાય ત્યારે ક્યારેક ઉબકા આવે છે, અને ઉબકા આવવાની સાથે તમારા હદયના ધબકારા પણ અનિયમિત થઇ શકે છે. કેફીન તમને અનિંદ્રાનો ભોગ પણ બનાવી શકે છે. અને વજન પણ વધી શકે છે. સાથે ક્યારેક બ્લડ પ્રેશરની પણ સમસ્યા થઇ શકે છે.

(4) શરીરને આર્યન(લોહતત્વ)  મળતું અટકાવે છે.

આપણા આહારમાં આયર્ન(લોહતત્વ)ની મહત્વપૂર્ણ ભૂમિકા છે કારણ કે તે રક્ત કણો દ્વારા શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનનું પરિવહન કરે છે. એટલે (આયર્ન) લોહતત્વ એવી પ્રક્રિયાઓનો એક ભાગ કે જે શરીર માટે અતિ આવશ્યક છે. આર્યન આપણામાં અતિઆવશ્યક એવી ઊર્જા ઉત્પન્ન કરે છે. આયર્નની ઉણપથી ઉર્જાની કમી અને સતત થાક લાગે છે.

જો આપણે પૂરતા લોહતત્વ વાળો સમૃદ્ધ ખોરાક ખાવા છતાં જો તમે વધુ ચા પીવો તો એ ગેરેંટી નથી કે પુરતું આયર્ન અમારા શરીરને મળી શકે. કેમ કે આયર્ન મળવાની ક્રિયામાં ચા આડઅસર પેદા કરે છે.

એટલે સંશોધકો સૂચવે છે કે ચા ક્યારેય ભોજન પહેલાં કે ભોજન પછી તરત ના લેવી અને ભોજનની સાથે પણ ના લેવી. ચા પીવાનો યોગ્ય સમય એ છે કે બે ભોજનના વચ્ચેના સમયમાં પીવી.

(5) પેટની સમસ્યાઓ થઇ શકે છે.

જો તમને વધુ ચા પીવાની આદત છે તો તમને પેટનો દુખાવો, ખાટા ઓડકારો, પેટમાં લોચા વળવા(ગભરામણ) થવી અને ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લક્સ બિમારી (જીઇઆરડી) જેવી તકલીફો થઇ શકે છે.

જો તમને પહેલેથી જ પેટની સમસ્યાઓ હોય તો માત્ર 1 થી 2 કપ પીવા ચા પીવા માં જ શાણપણ છે.

(6) શુગરનું પ્રમાણ વધી શકે છે. (ડાયાબીટીસ)

જો તમને એમ લાગતું હોય કે ચામાં તો સુગર ક્યાં એટલી બધી આવે છે, તો તમને જણાવી દઈએ કે તમે જો આખો દિવસમાં ૩ કપ ચા પીઓ તો તેમાં ૪૫-૫૦ કેલેરી આવી જાય, અને બીજા શબ્દોમાં કહીએ તો માણસ દરરોજ  ૧૦૦ થી ૧૦૫ કેલેરીથી નીચે ગ્રહણ કરે તો તે યોગ્ય કહેવાય પણ જો તે ૫૦ કેલેરી ખાલી ચા દ્વારા જ મેળવી લે તો તે બીજા ખોરાક દ્વારા મળતી શુગરનું પ્રમાણ બહુ વધી જાય. ડાયાબિટીસણે પણ આમંત્રણ આપી શકે છે.

(7) પ્રોસ્ટેટ કેન્સર પણ થઇ શકે છે.

સ્કોટલેંડના એક અભ્યાસ મુજબ જે લોકો જે લોકો દિવસ ભરમાં વધુ ચા પીવે છે તેમને પ્રોસ્ટેટ કેન્સર થઇ શકે છે, હવે આ શંસોધન અનુસાર સંશોધન કર્તાઓ પાકા પાયે તો આની વિશે માહિતી નથી મેળવી શક્યા કેમ કે, તેઓને આ વિષય પર સંશોધન માટે અપોઈન્ટ ના કર્યા હતા પણ આડકતરી રીતે તેમને આ માહિતી આપી છે.

ગ્લાસગો યુનિવર્સિટીના આરોગ્ય અને સુખાકારી સંસ્થાના અભ્યાસના નેતા ડો. કાસીફ શફિકે મીડિયાને કહ્યું હતું, “અમને ખબર નથી કે ચા એક જોખમી પરિબળ છે કે નહિ પણ જો ચાના પીનારા સામાન્ય રીતે તંદુરસ્ત હોય અને વૃદ્ધાવસ્થામાં જીવંત હોય તો પ્રોસ્ટેટ કેન્સર વધુ સામાન્ય હોય છે. તેઓના કહેવા પ્રમાણે સામાન્યતઃ  7 કપથી વધુ ચા પીવા વાળા લોકોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધુ હોય છે.    

આમ આ માહિતી અમે ચાના શોખીનો માટે લઇ આવ્યા હતા, જો તમને પણ ચા પીવાનો ખુબ શોખ હોય તો થોડો તેના પર કાબુ રાખી ચાનું પ્રમાણ ઘટાડજો. કેટલી ચા પીવા પર બધાના અલગ અલગ અભિપ્રાયો છે, પરંતુ સંશોધન અનુસાર દિવસ દીઠ 2 થી 3 કપ સારી તેનાથી પ્રમાણ ના વધવું જોઈએ.

તો ચાલો, આ આર્ટીકલ બીજા વધુ પડતા ચાના શોખીનો ને શેર કરો જેથી તે પણ કોઈ ચાને લગતી બીમારીનો ભોગ ના બને. અને ચાના આ નુકશાનો વિષે માહિતી મેળવી શકે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

Tags: cancermorning teaSide Effects of Drinking Tea?teatea disadvantagestea is batter for health
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આવી રીતે અંજીર ખાવ પગથી લઈ માથા સુધીની બધીજ બીમારીઓ થઈ જશે જડમૂળથી દૂર.. ફાયદા જાણી વિશ્વાસ નહીં આવે

આવી રીતે અંજીર ખાવ પગથી લઈ માથા સુધીની બધીજ બીમારીઓ થઈ જશે જડમૂળથી દૂર.. ફાયદા જાણી વિશ્વાસ નહીં આવે

કેવા પુરુષ સાથે લગ્ન કરવા કેવા સાથે નહિ. આ છે પુરુષોના  પ્રકાર…| દરેક સ્ત્રીઓએ  આ જાણવું.

કેવા પુરુષ સાથે લગ્ન કરવા કેવા સાથે નહિ. આ છે પુરુષોના પ્રકાર…| દરેક સ્ત્રીઓએ આ જાણવું.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.

જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.

June 16, 2019
શરીરમાંથી તમામ પ્રકારની ગંદકી અને કચરો બહાર કાઢવો હોય, તો જાણી લો આ પાણી પીવાની આ રીત… શરીરને સાફ કરવા સહિત થશે અઢળક સ્વાસ્થ્ય ફાયદા…

શરીરમાંથી તમામ પ્રકારની ગંદકી અને કચરો બહાર કાઢવો હોય, તો જાણી લો આ પાણી પીવાની આ રીત… શરીરને સાફ કરવા સહિત થશે અઢળક સ્વાસ્થ્ય ફાયદા…

March 31, 2025
કંગનાનો શિવસેના પર હુમલો જારી, કહ્યું અન્યાય ગમે એટલો શક્તિશાળી હોય પણ…..

કંગનાનો શિવસેના પર હુમલો જારી, કહ્યું અન્યાય ગમે એટલો શક્તિશાળી હોય પણ…..

September 12, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.