ગમે તેવો જૂનામાં જૂનો આંતરડામાં ચોટેલો મળ ગણતરીની મિનિટોમાં તોડી કાઢી નાખશે બહાર, જાણો કોઈ પણ નુસ્ખા વગર કબજિયાત તોડવાનો બેસ્ટ ઉપાય…

મિત્રો ખાવા પીવાની ખરાબ આદતો અને સુસ્ત જીવનશૈલીના કારણે કબજિયાત એક મોટી સમસ્યા બની ગઈ છે. આજકાલ મોટાભાગના લોકો કબજિયાતની ફરિયાદ કરે છે. આ સમસ્યા શિયાળામાં વધી જાય છે. તેથી આજે અમે ખૂબ જ સરસ યોગાસન વિશે જણાવી શું જેથી તમે કબજિયાતનો એકદમ મફતમાં જ ઈલાજ કરી શકશો.

કબજીયાત કેવી રીતે દૂર કરવો?:- કબજિયાતથી રાહત મેળવવાના અનેક ઉપાય અને દવાઓ હાજર છે પરંતુ તમે કબજિયાતથી છુટકારો મેળવવાના ઉપાયના રૂપમાં યોગાસનની મદદ લઈ શકો છો. જોકે જ્યારે વાત કબજિયાતની આવે છે તો યોગ સૌથી પહેલા મગજમાં નથી આવતો, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે યોગ કરવાથી કબજિયાતને દૂર કરવામાં મદદ મળે છે. તેઓ જણાવે છે કે યોગ ન માત્ર કબજિયાત દૂર કરે છે પરંતુ પાચનતંત્રને સ્વસ્થ અને મજબૂત બનાવવા તથા પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓને પણ મટાડવામાં મદદ કરે છે.

કબજિયાત મટાડે છે યોગ:- યોગ એક્સપર્ટ નું માનવું છે કે કેટલાક યોગ એવા છે જેનું નિયમિત રૂપે અભ્યાસ કરવાથી પાચનતંત્ર પર સારી અસર થાય છે અને પાચનતંત્રને મળ કે ગેસ નીકાલ કરવા માટે મદદ મળે છે. જેનાથી કબજિયાતથી રાહત મળે છે.

1) વજ્રાસન:- વજ્રાસન કરવાથી આપણા પાચન તંત્રને અનેક પ્રકારે મદદ મળે છે. આ આપણા પગ અને જાંઘ માં રક્ત પ્રવાહને અટકાવે છે અને તેને આપણા પેટના ક્ષેત્રમાં વધારે છે, જેનાથી આપણા મળ ત્યાગમાં સુધારો થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે.

વજ્રાસન કેવી રીતે કરવું:- ઘૂંટણ ટેકવવાની સ્થિતિમાં શરૂઆત કરો. ત્યારબાદ ધીમે ધીમે તમારા પગ પર પાછા બેસો. તમારા ઘૂટણો પરથી વજન ઓછું કરો. ઘૂંટણો ની વચ્ચે ચાર આંગળી નું અંતર રાખો અને નિતંબને એડિયો પર ટેકવીને સીધા બેસી જાઓ. બંને પગના અંગૂઠા એકબીજાને સ્પર્શ કરવા જોઈએ. તમારા હાથને તમારા ઘૂટણો પર રાખો અને તમારી પીઠ ને સીધી રાખો. ધીમે ધીમે શ્વાસ લઈને તમારા ફેફસામાંથી બહાર કાઢો. પાંચથી દસ મિનિટ સુધી આ સ્થિતિમાં રહેવાનો પ્રયાત્ન કરો. 2) ઉષ્ટ્રાસન:- આ આસનના ઘણા બધા લાભ છે, જેમકે તણાવને દૂર કરે, મનને શાંત કરે, પરીસંચરણમાં સુધાર કરે, જાંઘ ના ભાગમાં ચરબી ઓછી કરે, પાચનમાં સુધારો કરે અને માસ પેશીઓને મજબૂત કરે વગેરે સામેલ છે. આ આસન પગની આંગળીઓ અને પેટના નીચેના ભાગના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.   

કેવી રીતે કરવું ઉષ્ટ્રાસન:- ઘૂંટણોના બળે ઉભા થઈ જાઓ. જંઘો ને એકદમ સીધી રાખો. ઘૂંટણો અને પગને મેળવીને રાખો. પાછળની દિશામાં નીચા નમો. ધીરે ધીરે વધારે પાછળ જાઓ. જમણા હાથથી જમણી એડી અને ડાબા હાથથી ડાબી એડી સુધી પહોંચો.નિતમ્બ ને આગળ ની દિશામાં ધકેલો. જાંઘ સીધી રાખવી. પછી માથા અને કરોડરજ્જુને શક્ય હોય ત્યાં સુધી તણાવ વગર પાછળની તરફ વાળો. શરીર અને પીઠના સ્નાયુઓને આરામ આપો. શરીરનું વજન પગ અને હાથ પર સમાન રીતે રાખો.3) પવન મુકતાસન:- આ મળ ત્યાગ માટે યોગની એક અસરકારક મુદ્રા છે. જે કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમારા આંતરડાની માલિશ અને ઉત્તેજિત કરે છે. દરરોજ તેનો અભ્યાસ કરવાથી તમારું પાચનતંત્ર પણ સારું બને છે.

કેવી રીતે કરવું પવન મુકતાસન:- તમારી બાજુઓ સાથે પીઠના બળે સૂઈ જાઓ. ધીમેધીમે તમારા ઘૂંટણને તમારી છાતી તરફ ખેંચો અને તેની આસપાસ તમારા હાથને પકડો. તમારા જમણા ઘૂંટણને પકડીને તમારા ડાબા ઘૂંટણને છોડી દો.

તમારા ડાબા પગને જમીન પર લંબાવો અને 50-60 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો. હવે તમારા ડાબા ઘૂંટણને છાતી પર પાછા લાવો અને જમણો પગ છોડો. આ સ્થિતિમાં  50-60 સેકન્ડ સુધી રહો. બંને પગ છોડો અને શરૂઆતની સ્થિતિમાં પાછા આવો. કબજિયાતથી રાહત મેળવવા માટે તમારે નિયમિત રૂપે આ યોગની સાથે ખાવા પીવાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તમારા ભોજનમાં ફાઇબરથી ભરપૂર વસ્તુઓને શામેલ કરવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment