ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ન ખાવું જોઈએ આ સસ્તું શાક, માતા અને બાળક માટે બની શકે છે ખતરાનું મૂળ કારણ… જાણો ક્યું છે એ શાક…

ગર્ભાવસ્થા દરમિયાન ખાનપાનમાં વિશેષ કાળજી રાખવી પડે છે. મહિલાઓએ એવા ભોજનનું સેવન કરવું જોઈએ, જેનાથી તેને તેમજ તેના બાળક બંનેને પોષણ મળી રહે. તમે કદાચ સાંભળ્યું હશે કે, ગર્ભાવસ્થામાં રીંગણાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી બાળક તેમજ માતાને નુકશાન થઈ શકે છે. પરંતુ શા માટે રીંગણા ન ખાવા જોઈએ. તેના વિશે તમે કદાચ નહિ જાણતા હો. ચાલો તો આ વિશે વધુ વિસ્તારથી જાણી લઈએ.

ગર્ભાવસ્થામાં અકસર મહિલા ખાનપાનને લઈને દુવિધામાં રહે છે. ગર્ભાવસ્થામાં ખાનપાનનું યોગ્ય ધ્યાન ન રાખવાથી મહિલાઓને અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગર્ભાવસ્થામાં તમે જે ભોજન કરો છો તેની સીધી અસર ગર્ભમાં રહેલ બાળક પર થતી હોય છે. ગર્ભાવસ્થામાં ખુબ જ ગરમ વસ્તુ ખાવી, ઠંડુ ભોજન કરવું, અને ખાટું ભોજન કરતી વખતે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અક્સર ગર્ભવતી મહિલા ચિંતિત રહે છે કે, ગર્ભાવસ્થામાં શું ખાવું અને શું નહિ ? રીંગણાને લઈને અલગ અલગ શોધ અને અધ્યયન થયું છે. પરંતુ એ માનવામાં આવે છે કે, ગર્ભાવસ્થામાં ખોટી રીતે રીંગણાનું સેવન ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન શા માટે રીંગણા ન ખાવા જોઈએ ? : રીંગણામાં શરીર માટે જરૂરી ખનીજ, વિટામીન અને બીજા અનેક પોષક તત્વ રહેલા છે. પરંતુ આયુર્વેદમાં તેને લઈને અલગ અલગ મત રહેલા છે. આયુર્વેદ અનુસાર રીંગણાનું વધુ સેવન શરીર માટે ફાયદાકારક નથી. રીંગણામાં વધુ પ્રમાણમાં ફાઈટોહોર્મોન રહેલ છે. જે ગર્ભાવસ્થામાં તમારી સમસ્યા વધારી શકે છે. ગર્ભાવસ્થામાં રીંગણાનું વધુ સેવન કરવાથી તમને પેશાબની સમસ્યા પણ થઈ શકે છે. આ સિવાય ગર્ભવતી મહિલાએ તેનું વધુ સેવન કરે છો તો માસિકને ઉત્તેજન મળે છે. આથી ગર્ભાવસ્થામાં તેનું સેવન વધુ ન કરવું જોઈએ.

માસિકને લગતી સમસ્યા : ગર્ભાવસ્થામાં રીંગણાનું સેવન કરવાથી અથવા દરરોજ તેનું સેવન કરવાથી માસિકને લગતી સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં રીંગણામાં ફાઈટોહોર્મોન તમારા માસિક નીસ્ટમ્યુલેશન વધારી શકે છે. આથી ગર્ભાવસ્થામાં રીંગણાનું વધુ સેવનથી બચવું જોઈએ. આ દરમિયાન રીંગણાનું સેવન ડોક્ટરની સલાહ અનુસાર કરવું.

એસિડીટી અને પાચનને લગતી સમસ્યા : ગર્ભવતી મહિલા જો રીંગણાનું વધુ સેવન કરે છે તો તેનાથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. રીંગણા પચવા પણ થોડા ભારે હોય છે. આથી તેના વધુ સેવનથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. આથી ગર્ભાવસ્થામાં રીંગણાનું વધુ સેવન ન કરવું જોઈએ. અથવા સીમિત માત્રામાં કરવું. જો કે ગર્ભાવસ્થામાં મહિલાઓને પાચનને લગતી સમસ્યા હોય છે તેવામાં રીંગણાનું સેવન તમારી સમસ્યા વધારી શકે છે.

ગર્ભપાતનું જોખમ : ગર્ભાવસ્થા દરમિયાન રીંગણાનું વધુ સેવન કરવાથી ગર્ભપાતનું જોખમ વધી શકે છે. રીંગણાની તાસીર ગરમ હોય છે, અને ગર્ભમાં રહેલ બાળક માટે પણ તે નુકશાનકારક માનવામાં આવે છે. આથી તમારે ગર્ભાવસ્થા દરમિયાન રીંગણાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ગર્ભાવસ્થામાં રીંગણાનું સેવન કરી રહ્યા છો તો ડોક્ટરની સલાહ અનુસાર કરવું.

પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ : ગર્ભાવસ્થા દરમિયાન વધુ પ્રમાણમાં રીંગણાનું સેવન કરવાથી તમને પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ થઈ શકે છે. વાસ્તવમાં રીંગણાને ટોક્સોપ્લાજ્મોસીસ યુક્ત માટીમાં ઉગાવવામાં આવે છે, અને તેનું વધુ સેવન પ્રીમેચ્યોર ડિલીવરીનું કારણ બની શકે છે. આ સ્થિતિથી બચવા માટે તમારે હંમેશા રીંગણાને સારી રીતે ધોઈને બનાવવા જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન રીંગણાનું સેવન તમારી સમસ્યા વધારી શકે છે. આથી તમારે રીંગણાનું વધુ સેવન કરતા પહેલા ઉપર આપેલ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ રીંગણાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment