Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પાકિસ્તાનને લાગશે મોટો ઝટકો… મુખ્ય આતંકવાદી મસુદ અઝહરને લઈને UNSC લેવાયો આ નિર્ણય…

Social Gujarati by Social Gujarati
March 1, 2019
Reading Time: 2 mins read
0
પાકિસ્તાનને લાગશે મોટો ઝટકો… મુખ્ય આતંકવાદી મસુદ અઝહરને લઈને UNSC  લેવાયો આ નિર્ણય…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પાકિસ્તાનને લાગશે મોટો ઝટકો… મુખ્ય આતંકવાદી મસુદ અઝહરને લઈને UNSC લેવાયો આ નિર્ણય.. જાણો આ નિર્ણય વિશે.. 

મિત્રો આજકાલ આપને જોઈએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તંગદીલી વાળો માહોલ ચાલે છે. પરંતુ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને મસુદ અઝહર માટે એક નિર્ણય કર્યો છે. જાણો શું છે એ નિર્ણય. તેનાથીન પાકિસ્તાનને પણ ભોગવવું પડશે ખુબ જ નુકશાન. તો ચાલો જાણીએ કે UNSC માં શું લેવાયો છે નિર્ણય.

આખું વિશ્વ જાણે છે કે પાકિસ્તાન પહેલાથી જ પોતાની જમીન પર ઉભરી રહેલ ઉપદ્રવીઓનો બચાવ કરતું આવ્યું છે. એટલું જ નહિ, પરંતુ 14 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતમાં પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ જૈશ-એ-મહોમ્મદનો મુખ્ય આતંકવાદી પણ પાકિસ્તાનની ભૂમિ પર આરામથી રહે છે. અને આ જ કારણ હતું કે ભારતે 26 ફેબ્રુઆરીના દિવસે વાયુ સેનાની મદદથી એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો.

ભારતીય વાયુસેના દ્વારા થયેલ એર સ્ટ્રાઈક દરમિયાન જૈશ-એ-મહોમ્મદના ઘણા કેમ્પ અને 300 થી વધારે આતંકવાદીઓ ઢેર થયા હતા. પરંતુ જૈશ-એ-મહોમ્મદનો મુખ્ય આતંકવાદી જે પુલવામા જેવા અટેકનો માસ્ટર માઈન્ડ રહી ચુક્યો છે તે આજે પણ પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાન એ માનવા તૈયાર નથી કે તેના સંબંધો જૈશ-એ-મહોમ્મદ સંગઠન સાથે સારા નથી. પાકિસ્તાન આ સંગઠન સાથે જોડાયેલું છે તેમાં કોઈ પણ સંદેહ નથી. પરંતુ પાકિસ્તાન આખી દુનિયાને મુર્ખ માને છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

આ પરિસ્થિતિમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો કુટનીતિક મોરચો ચલાવી રહ્યું છે. જેને હવે મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. બુધવારે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSC માં જૈશ-એ-મહોમ્મદ સંગઠનના મસૂદ અઝહરને બ્લેક લીસ્ટ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તે પ્રસ્તાવમાં જણાવેલું છે કે પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાનો જવાબદાર મસૂદ અઝહર જ હતો. જે પુલવામામાં શહીદ થયેલ ભારતીય CPRF ના જવાનોની શહાદતનો જવાબદાર છે.

15 સભ્યો વાળી આ UNSC માં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે એવો મત આપ્યો કે મસૂદ અઝહરની વૈશ્વિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે અને આ સાથે તેની બધી સંપતિને જપ્ત કરી લેવામાં આવે. તેમજ હથિયાર બેનની પણ વાત કરવામાં આવી. મિત્રો તમને જણાવી દઈએ કે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ ત્રણેય દેશ વીટો પાવર ધરાવે છે જેના કારણે તેમણે આવો પ્રસ્તાવ રાખવાનો અધિકાર છે. તેની સંપૂર્ણ પાને આઝાદી છીનવી લેવામાં આવે નહિ તો પાકિસ્તાનને તેનો જવાબ આપવો પડશે.

પ્રસ્તાવ અનુસાર જૈશ-એ-મહોમ્મદ સંગઠનના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ઉપદ્રવી ઘોષિત કરવાની માંગ કરી છે. જ્યા એક બાજુ UNSC માં જઘન્ય કાયરાના હુમલાની કટાક્ષ શબ્દોમાં નિંદા કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ પાકિસ્તાનનો મિત્ર દેશ ચીન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન UNSC નો પરમનંટ મેમ્બર છે માટે ચીનનો મત પણ આ નિર્ણય લેવામાં અહેમ ભૂમિકા ભજવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ચીન પહેલા પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરના બ્લેક લીસ્ટ પ્રસ્તાવને વીટો કરી ચુક્યું છે. ચીન ઘણા મોકા પર જૈશ-એ-મહોમ્મદને પ્રાધાન્ય આપતું દેખાયું છે. હવે સવાલ એ છે કે આવનાર સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ઉપદ્રવી ઘોષિત કરવાનો આ પ્રસ્તાવ સ્વીકૃત થશે કે નહિ.

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જો સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને બ્લેક લીસ્ટ કરવામાં આવે તો તેનાથી પાકિસ્તાનને મોટો જટકો લાગશે. ત્યાર બાદ પાકિસ્તાન ન ઇચ્છતું હોય તો પણ તેણે મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે. મિત્રો તમને જણાવી દઈએ કે 1 માર્ચના દિવસે અબુ ધાબીમાં ઇસ્લામિક દેશોની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ઇન્ડિયન ફોરન મીનીસ્ટર સુષ્મા સ્વરાજને પણ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. કહેવાય છે કે સુષ્મા સ્વરાજ તે બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે.

આ રીતે ભારત સરકાર પોતાના કૂટનીતિક મોરચા દ્વારા સમગ્ર વિશ્વમાં જૈશ-એ-મહોમ્મદ આતંકવાદી સંગઠન અને પાકિસ્તાનના સંબંધોને ઉજાગર કરવામાં પાછી પાની નથી કરી રહ્યા. આ ઉપરાંત ભારતે જૈશ-એ-મહોમ્મદ અને પાકિસ્તાનની મિલી ભગતના ઘણા પુરાવાઓ પણ રજુ કર્યા છે. આ મોરચામાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા ઘણા પશ્ચિમી દેશો ભારત સાથે છે. એટલું જ નહિ પરંતુ UAE અને સાઉદી અરેબિયા જેવા ઇસ્લામિક દેશો પાસેથી ભારતને સમર્થન મળી રહ્યું છે. એવામાં આવનારા સમયમાં પાકિસ્તાનની હાલત વધારે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: air strikesindiaMASUD AZHARPAKISTANsocial gujaratiUNSC
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સરહદ પર અભિનંદન સાથે રહેલી મહિલા કોણ હતી? જાણો તે મહિલા વિશે નો સાચો જવાબ જે કોઈ નથી જાણતું.

સરહદ પર અભિનંદન સાથે રહેલી મહિલા કોણ હતી? જાણો તે મહિલા વિશે નો સાચો જવાબ જે કોઈ નથી જાણતું.

હવે 6 દિવસ સુધી નહિ ઉતરે તમારી બેટરી.. PUBG ના શોખીનો માટે ખાસ... જાણો બીજી કઈ ખાસિયત છે આમાં..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનાની વેક્સીન લીધા પછી શું તમે સંપૂર્ણ સુરક્ષિત છો ? જાણો તેની માહિતી શું કરવું અને શું ન કરવું…

કોરોનાની વેક્સીન લીધા પછી શું તમે સંપૂર્ણ સુરક્ષિત છો ? જાણો તેની માહિતી શું કરવું અને શું ન કરવું…

March 14, 2021
શરીરમાં આ 6 લક્ષણ દેખાત તો થઇ જાવ સાવધાન, નહિ મળતું હોય તમારા મગજને લોહી… જાણો લક્ષણો અને બચવાના ઉપાય…

શરીરમાં આ 6 લક્ષણ દેખાત તો થઇ જાવ સાવધાન, નહિ મળતું હોય તમારા મગજને લોહી… જાણો લક્ષણો અને બચવાના ઉપાય…

December 23, 2022
એક થી નવ અંક પરથી જાણો  કે તમે પાછળના જન્મમાં શું હતા. તમારા મિત્રો જોડે શેર કરો

એક થી નવ અંક પરથી જાણો કે તમે પાછળના જન્મમાં શું હતા. તમારા મિત્રો જોડે શેર કરો

December 10, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.