Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ZODIAC

રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું… જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા

Social Gujarati by Social Gujarati
December 3, 2022
Reading Time: 1 min read
3
રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું… જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા

રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું… જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો હિંદુ ધર્મમાં રાંદલ માતાના લોટા તેડવાની પ્રથા ખુબ જ પ્રચલિત છે અને ગુજરાતમાં તો ખાસ કરીને આ પ્રથા ખુબ જ જોવા મળે છે. દિકરાના લગ્ન હોય કે ઘરે દિકરાનો જન્મ થયો હોય, તો તે શુભ પ્રસંગોમાં રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે. જેને આપણે માતાજી તેડયા અથવા તો રાંદલ તેડ્યા એવું પણ કહેતા હોઈએ છીએ. એમાં આપણા ગુજરાતી લોકો ખુબ જ હોંશે હોંશે રાંદલમાંના લોટા તેડતા હોય છે. જેમાં તેઓ નાની નાની દીકરીઓને જમાડે છે. તેમજ લોટામાં રાંદલમાંનો શણગાર કરીને તેનું બાજોટ પર સ્થાન કરવામાં આવે છે અને અખંડ દીવો કરવામાં આવે છે. તેમજ સ્થાપનની જગ્યા પર માતાજીના ગરબા પણ ગાવામાં આવે છે અને ઘોડો ખુંદવામાં આવે છે.

પરંતુ મિત્રો આ વાત તો સામાન્ય છે કે બધા ગુજરાતીઓને ખબર હશે કે રાંદલ માતાના લોટા ક્યારે અને કેવી રીતે તેડવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે રાંદલ માતાના લોટા તેડવા પાછળનું મહત્વ શું છે. શા માટે રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે.

મિત્રો માતા રાંદલ ભગવાન સૂર્યદેવના પત્ની છે. આ ઉપરાંત યમરાજા અને નદી યમીનીના માતા પણ છે. જ્યારે શનિદેવ અને તાપી નદી રાંદલ માતાની છાંયાના સંતાનો છે. તમને જણાવી દઈએ કે સૂર્યદેવે માતા અદિતિની ઈચ્છાને માન આપીને રાંદલ માતા સાથે લગ્ન કર્યા હતા. એક વખત માતા અદિતિ સૂર્યદેવને લગ્ન માટે કહે છે અને સૂર્યદેવ માની જાય છે. ત્યારે સૂર્યદેવના માતા અદિતિ રાંદલ માતાના માતા કંચના દેવી પાસે રાંદલ માતાનો હાથ સૂર્યદેવ માટે માંગવા જાય છે.

ત્યારે રાંદલમાંના માતા કંચના દેવી આ સંબંધ માટે ના પાડે છે અને કહે છે કે તમારો દીકરો તો આખો દિવસ બહાર રહે અને મારી દીકરી ભૂખે મરી જશે. ત્યાર પછી થોડા સમય બાદ એક દિવસે માતા કંચના દેવી આદિતી દેવીના ઘરે તાવડી માંગવા માટે જાય છે, ત્યારે અદિતિ માતા કહે છે કે હું તાવડી તો આપું, પરંતુ જો તૂટી જશે તો હું ઠીકરીની જગ્યાએ દીકરી માંગીશ. જ્યારે કંચના દેવી તાવડી લઈને ઘરે જતા હોય છે ત્યારે રસ્તામાં બે આખલા અથડાય છે અને જેના કારણે કંચનાં દેવીનાં હાથમાં રહેલી તાવડી તૂટી જાય છે.

ત્યાર બાદ કંચના દેવી માતા અદિતિની શરત મુજબ રાંદલ માતાના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે કરાવે છે. પરંતુ રાંદલ માતા સૂર્યદેવના તેજને સહન કરી શકતા ન હતા. તેથી રાંદલ માતાએ પોતાનું બીજું રૂપ પ્રગટ કર્યું જે તેમની છાયા કહેવાયું. પોતાનું બીજું રૂપ પ્રગટ કર્યા બાદ રાંદલ માતા રિસાઈને પોતાના પિયર જતા રહે છે.

પરંતુ જ્યારે રાંદલ માતા પોતાના પિતાના ઘરે આવે છે તો તેના પિતા જણાવે છે કે દીકરી હંમેશા સંસારે જ શોભે. આવા તિરસ્કાર ભર્યા શબ્દો સાંભળીને રાંદલ માતા પૃથ્વી પર ઘોડીનું સ્વરૂપ ધારણ કરે છે અને એક પગે ઉભા રહીને તપ કરે છે. તો બીજી બાજુ રાંદલ માતાની છાંયાને સૂર્યદેવ રાંદલ માતા જ સમજે છે. તે સમયે પૂત્ર શનિદેવ અને તાપીનો જન્મ થાય છે.

એક સમયે યમ અને શનિદેવ વચ્ચે ખુબ લડાઈ થાય છે. તે સમયે યમને છાંયા સ્વરૂપ શ્રાપ આપે છે. આ સાંભળી સૂર્યદેવને શંકા જાય છે કે છાંયા તે યમની માતા છે અને માતા ક્યારેય પોતાના દીકરાને શ્રાપ નથી આપતી અને નક્કી વાતમાં કોઈ રહસ્ય તો છે. ત્યારે સૂર્યદેવ છાંયા સ્વરૂપને બધું સત્ય જણાવવા માટે કહે છે.

સૂર્યદેવના પુછવાથી છાંયા જણાવે છે કે, હું રાંદલની છાંયા છું. રાંદલ તો પૃથ્વી પર ઘોડી સ્વરૂપે તપ કરી રહ્યા છે. આ વાત જાણીને ભગવાન સૂર્ય પણ ઘોડાનું સ્વરૂપ લઈને પૃથ્વી પર આવે છે અને રાંદલ માતાનું તપ ભંગ કરે છે. ત્યારે અશ્વિની ઘોડાના નસકોરામાંથી અશ્વિની કુમારોની ઉત્પત્તિ થાય છે. ત્યાર બાદ સૂર્યનારાયણ માતા રાંદલના કહેવાથી પોતાનું તેજ ઓછું કરે છે અને પૃથ્વીને તેના પ્રચંડ તાપથી બચાવવાનું વચન આપે છે.

આ ઉપરાંત સૂર્યદેવ માતા રાંદલના તપથી પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે કે જે કોઈ રાંદલ માતાના લોટા તેડશે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આવશે. હંમેશા રાંદલમાંના કોઈ પણ એક પ્રસંગ માટે બે લોટા માનવામાં આવે છે. જેમાં એક રાંદલ માતાનો હોય છે અને બીજો તેમની છાંયાનો. જો રાંદલમાંના લોટા તેડવામાં આવે તો સુર્યદેવની સાક્ષાત કૃપા આપણા પર થાય છે. જેના કારણે વ્યક્તિના જીવનનો ઉદય થાય છે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

Tags: amazingNCIENICERANDAL MASURYA DEV
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
બોલીવુડની ફ્લોપ હિરોઈન કરે છે આવા આવા કામ… જે કામ વિશે તમે જાણશો તો ચોકી જશો.

બોલીવુડની ફ્લોપ હિરોઈન કરે છે આવા આવા કામ… જે કામ વિશે તમે જાણશો તો ચોકી જશો.

છ બહેનોનો એક માત્ર ભાઈ અને એ પણ માનતાનો | બહેને ભાઈ માટે આપ્યું આવું બલિદાન જે કોઈ વિચારી ના શકે

છ બહેનોનો એક માત્ર ભાઈ અને એ પણ માનતાનો | બહેને ભાઈ માટે આપ્યું આવું બલિદાન જે કોઈ વિચારી ના શકે

Comments 3

  1. Jay sinh manek says:
    6 years ago

    Very good

    Reply
    • Milan says:
      6 years ago

      Jay randhal ma

      Reply
  2. Manoj says:
    6 years ago

    Jay ho

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વજન ઓછું કરવા માટે અજમાવો સરળ અને મફત 3 ટીપ્સ, એએક જ અઠવાડિયામાં જોવા મળશે ફરક. જાણો એવું તો શું કરવાનું છે

વજન ઓછું કરવા માટે અજમાવો સરળ અને મફત 3 ટીપ્સ, એએક જ અઠવાડિયામાં જોવા મળશે ફરક. જાણો એવું તો શું કરવાનું છે

July 8, 2022
રોજ દિવસમાં એક વાર આ રીતે કરવી જોઈએ હનુમાન ચાલીસા…. ધનવાનથી લઈને મોક્ષ સુધીનો માર્ગ થઇ જાય છે સરળ… જાણો હનુમાન ચાલીસાના અદ્દભુત ફાયદા

રોજ દિવસમાં એક વાર આ રીતે કરવી જોઈએ હનુમાન ચાલીસા…. ધનવાનથી લઈને મોક્ષ સુધીનો માર્ગ થઇ જાય છે સરળ… જાણો હનુમાન ચાલીસાના અદ્દભુત ફાયદા

April 11, 2025
અપ-ડાઉન થતા શેર માર્કેટમાં ખરીદી લો આ 4 શેર, આપશે ભુક્કા કાઢી નાખે એવો નફો અને વળતર… જાણો ક્યાં છે એ પાવરફુલ શેર…

અપ-ડાઉન થતા શેર માર્કેટમાં ખરીદી લો આ 4 શેર, આપશે ભુક્કા કાઢી નાખે એવો નફો અને વળતર… જાણો ક્યાં છે એ પાવરફુલ શેર…

June 27, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.