અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 શા માટે પહેરવામાં આવે છે ગળામાં ચેન… અને આપણને તેનો શું લાભ થાય છે….? 💁
👑 મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર સોનુંં પહેરવાથી અનેક લાભ થાય છે. જેની આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર પડતી હોય છે. આમ સ્વાસ્થ્ય પર અસર કરે છે પરંતુ સોનું ધારણ કરવાથી તમારી ધન સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે અને હા આ બાબત પર વાસ્તુશાસ્ત્રમાં પણ ખાસ જણાવેલ છે.
👑 જે વ્યક્તિ ગળામાં સોનાનો ચેન પહેરે છે તેનાથી મહાલક્ષ્મી તેના પર પ્રસન્ન થાય છે અને ખુબ જ ધનવાન બનાવે છે. તો ચાલો જણીએ કે સોનાનો ચેન ગળામાં પહેરવાથી શું લાભ થાય છે.
💍 જે વ્યક્તિ ગળામાં સોનાનો ચેન પેહરે છે તેના પર સકારાત્મક અસર પડે છે. તે જ્યારે કોઇપણ કાર્ય કરવા માટે જાય છે ત્યારે તેને હંમેશા કાર્યમાં સફળતા મળે છે.
💍 સોનુંં ધારણ કરવાથી સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે. જેમ કે ગળાના રોગો, હાથ પગના દુખાવા, નીંદર ન આવવી, હૃદય સંબંધિત બીમારી, કાનના દુખાવા દરેક બીમારીને દૂર કરવા માટે ગળામાં સોનાનો ચેન પહેરવો ખુબ જ લાભદાયક સાબિત થાય છે. આમ ગળામાં પહેરેલો ચેન 20 પ્રકારની બીમારીઓને દૂર કરી શકે છે. સોનું એ શરીરમાં ઠંડક રૂપી કાર્ય કરે છે. તે તમારા મગજને ખૂબ ઠંડક પહોંચાડે છે.
👸 મિત્રો જે કોઈ પણ વ્યક્તિને સન્માન અથવા તો રાજકીય અધિકારીઓ પાસેથી સહયોગ મેળવવો હોય તો તેને સોનું જરૂરથી પહેરવું જોઈએ. ખાસ કરીને આ બાબત માટે ગળામાં સોનાનો ચેન પહેરવો જોઈએ. ગળામાં પહેરેલો ચેન એ દરેકને આકર્ષિત કરે છે અને આ ધારણ કરેલ ચેનના કારણે તમને લોકો માન સન્માન આપવા લાગે છે.
👸 ખાસ કરીને ગળામાં સોનાનો ચેન પહેરવો એ શુભ માનવામાં આવે છે. જો મિત્રો તમારે પણ અમીર બનવું હોય તો ગળામાં સોનાનો ચેન પહેરવો જોઈએ. કહેવામાં આવ્યું છે કે સોનું, સોનું તરફ આકર્ષાય છે.
👰 મિત્રો આજના સમયમાં આપણે માં અને પુત્ર વચ્ચે ઝઘડા થતા જોયા જ હશે અને તેમાં મુખ્ય કારણ એ હોય છે કે માંની વાતો અત્યારના સમયમાં પુત્ર નથી માનતા હોતા. તેથી આ સમસ્યાના નિરાકરણ માટે માં એ ગળામાં સોનાનો ચેન પહેરવો જોઈએ. આમ કરવાથી પુત્ર માં ની દરેક વાત માનવા લાગે છે.Image Source :
👰 મિત્રો શરીરની તંદુરસ્તી એ ખુબ જ જરૂરી હોય છે. જુઓ શરીર તંદુરસ્ત હશે અને હૃષ્ટપુષ્ટ હશે તો દરેક કાર્યો સરળતાથી થઈ શકે છે. તેથી જો તમે દૂબળા હોવ અથવા વજન વધારવા માગતા હોવ તો ગળામાં સોનું પહેરવું હિતાવહ છે. જેમ તમે ગળામાં સોનુંં વધુ પહેરશો તેમ તમારો વજન ઝડપથી વધશે.
👑 આ સાથે જ મિત્રો અમે તમને એક બીજી સોના સંબંધિત ખાસ વાત જણાવી દઈએ કે તમારે સોનું સાચી દિશામાં રાખવું જોઈએ. જેથી તમને વધુ ધનલાભ થાય. એ માટે તમારે સોનાને ઇશાન અથવા તો નેઋત્ય ખૂણામાં જ રાખવું જોઈએ. અને હા, ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે સોનું રાખી રહ્યા હોવ ત્યારે તેને લાલ કપડામાં બાંધીને જ રાખવું જોઇએ. જેથી તમારા સોનામાં વધારો થઇ શકે.
👑 તો મિત્રો ગળામાં સોનાના ચેન પહેરવાના લાભ વિશે કંઈ પણ જાણવું હોય તો તમે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે તમારી સમસ્યાનું સમાધાન જરૂરથી કરીશું.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી