ખાવાની આ 15 વસ્તુ પેટમાં જતાની સાથે જ બની જાય છે એસિડ, સેવન કરતા પહેલા જાણી લો આ માહિતી… નહિ થશે આવી બીમારીઓ….

આજના સમયમાં એસીડીટી અને પાચન સંબંધી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તમે જે કંઇ પણ ખાઓ છો તેને પચાવવા માટે પેટમાં એસિડ ગેસ્ટ્રીક એસિડ હોય છે. આ એક પાણી જેવો રંગ વગરનો પ્રવાહી પદાર્થ છે જે તમારી પેટની પરત દ્વારા પણ થાય છે. આને સામાન્ય ભાષામાં પેટનો એસિડ પણ કહી શકાય છે. આ અત્યંત એસિડિક છે અને પાચન માટે ખોરાકને તોડવામાં મદદ કરે છે. આ તમારા શરીરના પોષક તત્વોને વધુ સરળતાથી અવશોષિત કરવામાં મદદ કરે છે કારણ કે ભોજન તમારા પાચનતંત્રથી થઈને પસાર થાય છે.

ગેસ્ટ્રીક એસિડનું શું કામ છે? માસથી લઈને સખત, રેસાદાર ખાવાની વસ્તુઓ સુધી બધાને તોડવા માટે પેટના એસિડને વધારે એસિડિક હોવું જોઈએ. દરરોજ ખાવામાં આવતી વસ્તુઓ એસિડ બનાવે છે અને કેટલીક વસ્તુઓ કુદરતી રૂપે ક્ષાર યુક્ત હોય છે, લોહીનું pH સ્તર 7.3 થી 7.4 ની વચ્ચે છે. 7 નો અર્થ તટસ્થ છે, 7 ની ઉપર ક્ષારયુક્ત છે,  7 ની નીચે એસિડિક છે.સ્વસ્થ રહેવા માટે એસિડ અને ક્ષાર સંતુલનની સ્થિતિમાં હોવું આવશ્યક છે. કેટલીકવાર તમારી સિસ્ટમ આને બેલેન્સ કરવામાં અસફળ રહે છે. એ વાતનું ધ્યાન રહે કે એસિડનું વધુ ઉત્પાદન અને ઓછું ઉત્પાદન બંને સ્થિતિઓ ખતરનાક છે. આના વધવા અને ઘટવાથી તમને અનેક ગંભીર સમસ્યાઓ નું જોખમ રહે છે.

પેટમાં ઓછું એસિડ બનવાથી શું થાય?:- પેટમાં એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ લેવલના રૂપમાં માપી શકાય છે. પેટના એસિડના ph સ્તરમાં સમયાંતરે ઉતાર-ચઢાવ થવો એ સામાન્ય વાત છે. દવા અને તણાવ જેવી કેટલીક સ્થિતિ પેટમાં એસિડ ને અવરોધી શકે છે. આમ થવાથી તમને આ લક્ષણો નો અહેસાસ થઇ શકે છે. બર્પિંગ, સોજો, ખરાબ પેટ, પેટમાં બળતરા, ઝાડા અપચો, ઉલટી સાથે ઉબકા, ગેસ, વાળ ખરવા વગેરે.પેટમાં વધારે એસિડ બનવાથી શું થાય?:- જો તમારા ગેસ્ટ્રિક જ્યૂસ માં એસિડનું સ્તર વધારે છે તો તમારા પેટમાં લાળ કામ કરવાનું બંધ કરી શકે છે. પેટમાં એસિડના સ્તરના કારણે અસંખ્ય જટિલતાઓ જન્મે છે જેમાં સામેલ છે – ગેસ્ટ્રિક અલ્સર, એસિડ રિફ્લક્સ, ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ, ઉચ્ચ એચસીએલ 

પેટની સમસ્યા જે ખાલી પેટ પર વધુ ખરાબ થઈ શકે છે:- ઝાડા, પેટમાં બળતરા,ભૂખ ન લાગવી, કારણ વગર વજન ઘટવું.કઈ વસ્તુઓ વધુ એસિડ બનાવે છે:- કોફી, સોફ્ટ ડ્રિન્ક, ચોકલેટ, તળેલો ખોરાક, ખાંડવાળી વસ્તુઓ, મેંદો, દારૂ, કેક, પેસ્ટ્રી, બેકન, ઇંડા, મોટાભાગના અનાજ, ચિકન, બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઈસ, કૃત્રિમ સ્વીટનર, પેટમાં એસિડ બનાવતા ખોરાક.

પેટમાં એસિડ ની માત્રા કેવી રીતે નિયંત્રિત કરાય:- મોટા, કેલરીવાળા ભોજનને બદલે આખા દિવસ દરમિયાન ઓછું ખાવાનો પ્રયાસ કરો. જમ્યા પછી 2 થી 3 કલાક સુધી સૂવાનું ટાળો અને સૂવાના બે થી ત્રણ કલાક પહેલા ખાવાથી બચો. જે તમારા પેટ પર દબાણ કરે તેવા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો. તમારા ભોજનમાં ફાઇબરનું પ્રમાણ વધારો. ખાવામાં કેલરીની માત્રા ઓછી રાખો. ધૂમ્રપાન કરવાનું ટાળો. તમારા ભોજન ને સારી રીતે ચાવો, હાઇડ્રેટેડ કહો, પૂરતી માત્રામાં ઊંઘ લો અને વજન પર નિયંત્રણ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment