દિવસે-દિવસે કથળતી જીવનશૈલી અને ખાવાની આદતોના કારણે, આજે 10 માંથી 9 લોકોને હાથ-પગમાં દુખાવાની સમસ્યા રહે છે. ઘણા લોકો તેને સામાન્ય રીતે અવગણે છે, પરંતુ તે નસોમાં અવરોધની નિશાની હોય શકે છે, જેને વેરીસોજ નસો તરીકે પણ કહેવામાં આવે છે. બંધ નસો હાથ-પગ સાંધામાં તો દુખાવો કરે છે, સાથે જ, તે કોરોનરી ધમની રોગ, બ્રેન સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ પણ વધારે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ઘણા ઘરેલુ ઉપાયોને જાણવશું, જેનાથી અવરોધિત નસો ખૂલી જશે. આ ટીપ્સની મદદથી તમે તમારી બંધ નસને પણ ખોલી શકો છો. તેમજ નસ બંધ થવાની આ સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો.
સૌથી પહેલા અવરોધિત નસો વિશે જાણીએ : શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ સર્ક્યુલેશન ખરાબ થઈ જાય છે અને લોહી ધીમે-ધીમે ઘાટું થવા લાગે છે, જે બ્લોકેજનું મૂળ કારણ બની શકે છે. આ સિવાય ઈજા થવાથી, એક જ પોઝિશનમાં બેસી રહેવાથી, ફિઝીકલ એક્ટિવિટીની ખામી, જૂની કબજિયાત, જાડાપણું, શરીરમાં વિટામિન-સી ની ખામીના કારણે નસો અવરોધિત થઈ શકે છે. તો ચાલો હવે જાણીએ બ્લોકેજ નસોને ખોલવાની રીત વિશે.
ગ્રીન-ટી : હેલ્થ એક્સપર્ટની સલાહ મુજબ, દિવસમાં ઓછામાં ઓછી 2 વાર ગ્રીન-ટી પીવાથી લોહી પાતળું થાય છે અને બંધ નસો ખુલ્લી જાય છે. આ સિવાય ગ્રીન-ટી બીજા અનેક ફાયદાઓ પણ તમને મળે છે.
તુલસી : બંધ નસોને ખોલવા માટે તમે તુલસીનો ઉકાળો પણ પીય શકો છો. આ માટે તુલસીના પાંદડા, તજ અને કાળા મરીને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો, જ્યારે તે અડધું થઈ જાય ત્યારે તેમાં મધ નાખીને સેવન કરો.
લસણ : 1 ગ્લાસ પાણીમાં અથવા દૂધમાં લસણની 3 કળી નાખીને ઉકાળો અને પછી તેનું સેવન કરો. આ સિવાય લસણની ચા પણ બંધ નસોને ખોલે છે.
હળદળ : હળદળમાં રહેલ સલ્ફર કમ્પાઉન્ડ અને સક્રિય સયોંજન કર્ક્યુમીન બંધ નસોને ખોલવામાં અસરકારક છે. ખોરાકમાં હળદળનો વધુ ઉપયોગ કરો અથવા તેનો ઉકાળો પીવો. આમ પણ હળદર એ અનેક રોગોને દુર કરવા માટેનો રામબાણ ઈલાજ છે.
અર્જુન છાલ : અર્જુનની છાલ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. આ માટે અર્જુનની છાલને ગરમ પાણીની અંદર રાતભર પલાળીને રાખી દો અને દરરોજ સવારે આ પાણીને પીવો. તે હૃદયના સ્નાયુઓના સંકોચનને પણ પ્રોત્સાહન આપે છે.
અળસી અને ચિયા બીજ : અળસી અને ચિયા બીજ આ નાના બીજ સ્વસ્થ ઓમેગા-3 ફેટી એસિડથી ભરેલ હોય છે, જે લોહીના ગંઠા રોકવામાં મદદ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે.
ફુદીનાનું તેલ : ફુદીનાના તેલથી બ્લોકેજ વાળા સ્થાન પર મસાજ કરો. નિયમિત મસાજ કરવાથી બંધ નસો ખૂલી જશે અને સોજાની સાથે દુખાવાથી પણ રાહત મળે છે.
આ બાબતોની પણ પરેજી રાખો : તમારા રોજિંદા ડાયટમાં ફ્રૂટ અને શાકભાજીનું વધુ સેવન કરો અને હેલ્દી ભોજન જ જમો. મીઠું અને ખાંડ, આઇસ્ક્રીમ, તળેલી વસ્તુઓ, પ્રોસેસ્ડ ફ્રૂડસ, સેચ્યુરેટેડ અથવા ટ્રાંસ ફેટ ફૂડ્સનું ઓછું સેવન કરો.
રિફાઈન્ડ જંક અને નોનવેજથી જેટલું બની શકે એટલા દૂર રહો, તણાવ અથવા ટેન્શન ન લો અને દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનીટ સુધી કસરત કરો અને સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલો. આમ તમે અહીં આપેલ થોડી ઘરેલું ટીપ્સની મદદથી બંધ થયેલ નસને ફરીથી ખોલી શકો છો અને બ્લડનું સર્ક્યુલેશન સારું કરી શકો છો. આ તમને હેલ્દી રાખવા માટે ખાનપાનની પરેજી રાખવી પણ જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
I so please n wish to meet dada on phone,cause I m in Ahmedabad,n due penic attack’cannot do long journey.
But so thankful,for such best golden article
K.d.bhatt.