Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

શરદી ઉધરસ માથાનો દુઃખાવો જેવા 50 થી પણ વધુ રોગોમાં 100% અસરકારક છે આનું સેવન. છાતીમાં જામેલા કફનો પણ કરી દેશે સફાયો…

Social Gujarati by Social Gujarati
October 8, 2022
Reading Time: 1 min read
0
શરદી ઉધરસ માથાનો દુઃખાવો જેવા 50 થી પણ વધુ રોગોમાં 100% અસરકારક છે આનું સેવન. છાતીમાં જામેલા કફનો પણ કરી દેશે સફાયો…

મિત્રો નાગરવેલના પાંદ વિશે તો મોટાભાગના લોકો જાણતા હશે, પરંતુ તેના અદ્દભુત ફાયદાથી ઘણા લોકો અજાણ હોય છે. નાગરવેલના પાન સામાન્ય રીતે આપણે મુખવાસના રૂપમાં ઉપયોગ કરીએ છીએ. જો કે મોટાભાગના લોકો આ પાનનો ઉપયોગ તેમાં સોપારી, તમાકુ તેમજ ચૂનો નાખીને કરે છે. પરંતુ તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી નુકસાન થઈ શકે છે. પણ જો તમે નાગરવેલના આ પાનને એકલા જ ખાવ છો તો તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણા લાભ થઈ શકે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

જો કે નાગરવેલના પાનના ઉપયોગની વાત કરવામાં આવે તો આ પાનનો ઉપયોગ પૂજામાં તેમજ અનેક ધાર્મિક કાર્યોમાં પણ કરવામાં આવે છે. તેમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન, વિટામીન સી અને ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. ચાલો તો જાણીએ નાગરવેલના પાંદના ફાયદાઓ વિશે જણાવી દઈએ.

નાગરવેલના પાનનું સેવન પાચનક્રિયા માટે : જો કે આ પાનના પાંદને ચાવવા માટે મહેનત કરવાની જરૂર પડે છે જેના કારણે તમારી લાળ ગ્રંથી વધુ કામ કરે છે. જે લાળને રિલીઝ કરે છે, જે પાચનનું પહેલું ચરણ હોય છે, કારણ કે તેમાં એન્જાઈમ વિભિન્ન ખાદ્ય પદાર્થને તોડે છે, જેના કારણે તે પચવામાં સરળ રહે છે.

કબજિયાત માટે : જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમારા માટે નાગરવેલના પાનનું સેવન ખુબ જ સારું રહેશે. આ પાનમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે, તે શરીરમાંથી મુક્ત કણને દુર કરે છે. તે ખરાબ પેટના સામાન્ય PH ના સ્તરને ફરી સ્થાપિત કરે છે. જેના કારણે કબજિયાતનું પ્રમાણ ઘટે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

ગેસ્ટ્રીક સમસ્યાઓનું સમાધાન : જીઈઆરડીમાં સુધારો કરવા માટે નાગરવેલના પાનનું સેવન ખુબ જ ઉપયોગી છે. તે પાચનતંત્રને હાનિકારક મુક્ત કણ અને વિષાક્ત પદાર્થથી મુક્ત કરે છે. તે પેટના અસંતુલિત PH સ્તરના કારણે અમ્લતાને ઓછું કરે છે. PH સ્તર સારું કરે છે અને સોજાથી રાહત આપે છે.

તમારી ભૂખમાં વધારો : શું તમે જાણો છો કે, તમારી ભૂખ ઓછી થવાથી પણ તમારું પેટ ખરાબ થઈ શકે છે. સામાન્ય PH સ્તર ભૂખ હાર્મોનને નિશાનો કરવા માટે વધુ પ્રમાણમાં સક્રિય થાય છે. નાગરવેલના પાન પેટના બધા જ ઝેરીલા પદાર્થ કાઢીને સામાન્ય PH સ્તર બનાવી રાખવામાં મદદ કરે છે. આથી તે ભૂખને વધારે છે.

નાગરવેલના પાનના સેવનથી દાંતને લાભ : આ પાન શ્વાસને તાજી રાખવામાં પણ મદદ કરે છે. તે મોઢાના રોગાણુઓ, બેક્ટેરિયા અને અન્ય મૌખિક રોગજનકોથી બચાવે છે. જ્યારે તમે એક નાગરવેલનું પાન ચાવો છો ત્યારે તે તમારા મોઢાને સાફ કરે છે. તે દાંતના ક્ષયને રોકે છે. પેઢાને મજબુત બનાવે છે. મૌખિક રક્તસ્ત્રાવને રોકે છે. તમે તેનો ઉપયોગ કરવા માટે પહેલા થોડા પાન પાણીમાં ઉકાળીને તેનાથી કોગળા કરો, આથી તમારા ખરાબ ગળાને તે રાહત આપે છે.

ઉધરસ અને કફના ઇલાજમાં : શ્વસન સંબંધી સમસ્યાઓના ઈલાજમાં આ પાનના પાંદ ખુબ જ સારા માનવામાં આવે છે. તે ઉધરસ અને ઠંડીનો ઈલાજ કરવામાં મદદ કરે છે. તે બંધ છાતી, ફેફસાઓ અને અસ્થમાના દર્દીઓને ખુબ જ રાહત પહોંચાડે છે. તે શ્વાસ લેવાની સમસ્યામાં મદદ કરે છે. તમે નાગરવેલના પાંદમાં સરસવનું તેલ લગાવી તેને ગરમ કરો, અને છાતી પર રાખો. તેમજ બે કપ પાણીમાં એલચી, લવિંગ, ક્યુબ્સ અને તજ નાખીને તેને ઉકાળી લો. આ પાણી 1 ½ કપ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. તેનું દિવસમાં ત્રણ વખત સેવન કરો. તેના એન્ટી બાયોટીક ગુણ કફ અને ઉધરસમાં તરત જ રાહત આપે છે.

પેશાબની સમસ્યા : નાગરવેલના પાંદને એક સારો એવો મુત્રવર્ધક માનવામાં આવે છે. આ માટે એક પાનને પીસીને તેનો રસ કાઢી લો, તેમાં થોડું પાતળું દૂધ મિક્સ કરીને સેવન કરો. તે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. આથી ઓછું અથવા બંધાયેલ પેશાબથી પીડિત લોકોને રાહત આપે છે.

ઈજાના ઉપચાર : નાગરવેલના પાનમાં ઈજા અને સંક્રમણનો ઉપચાર કરવાના ગુણ રહેલા છે. પહેલા થોડા પાનને ક્રશ કરી લો, તેનો રસ કાઢો, તેને ઈજા અથવા સંક્રમણ વાળી જગ્યાએ લગાવો. પછી તેના પર એક પાન લગાવીને કપડાથી બાંધી દો, તમને થયેલ ઈજા બે દિવસમાં રૂઝાઈ જશે.

માથાનો દુઃખાવો : માથાના દુઃખાવાથી પીડિત લોકો માટે નાગરવેલના પાન ખુબ જ ઉપયોગી છે. તેમાં એનાલજેસિક અને કુલીંગ ગુણ હોય છે. માથાના દુઃખાવાને ઓછો કરવા માટે તમે આ પાનને માથા પર લગાવો. તમે પાનના પાંદનું તેલ પણ લઈ શકો છો.

ખીલની સમસ્યાનો ઘરેલું ઉપચાર : આ પાન ખીલ, બ્લેક હેડ્સ વગેરે માટે સારો ઉપાય છે. તેનાથી ઈજા, એલર્જી, ખંજવાળ અને શરીરની ગંધનો ઈલાજ કરવામાં મદદ મળે છે. થોડા પાનને પહેલા ક્રશ કરી લો, તેનો રસ કાઢો, તેમાં થોડી હળદર મિક્સ કરીને ખીલ અને એલર્જી વાળી જગ્યાએ લગાવો. આમ તે ત્વચા સંબંધી સમસ્યાના ઈલાજ માટે ઉપયોગી છે. તે ત્વચાને સંક્રમણથી બચાવે છે.

સોજાને ઓછો કરવા : આ નાગરવેલના પાનના તેલમાં ફીનોલ હોય છે, જેને મિથાઈલ કહે છે, તેમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. સાંધા અને ઓર્કાઈટીસ જેવી ગંભીર સ્થિતિમાં સોજાનો ઈલાજ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ડાયાબિટીસ : નાગરવેલના પાનના અર્કનો ઉપયોગ રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા માટે થાય છે. તેમાં એન્ટી ડાયાબિટીક ગુણ રહેલા છે.નાગરવેલના પાનના અન્ય ફાયદાઓ : 1 ) જો તમે કાનમાં દુઃખાવો રહે છે તો તેના માટે તમે નાગરવેલના પાનનો રસ અથવા તેલને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને કાનમાં બે ટીપા નાખી દો. તેનાથી તરત જ રાહત મળી જશે.
2 ) યોનીમાં થતી ખંજવાળ અને યોની સ્ત્રાવથી પીડિત મહિલાઓ માટે પહેલા પાનના પાંદને ઉકાળો અને તેનાથી ગુપ્તાંગની સફાઈ કરો. ઘણા દેશમાં તેનો ઉપયોગ બાળકના જન્મ પછી મહિલાઓ માટે વધુ કરવામાં આવે છે.

3 ) નાગરવેલના પાંદ શરીરની ગંધ રોકવામાં મદદ કરે છે. આખો દિવસ તાજગી માટે તમે સ્નાનના પાણીમાં તેનો રસ નાખીને સ્નાન કરો. તે પરસેવો અને માસિક ધર્મની અપ્રિય ગંધને દુર કરે છે.
4 ) નાગરવેલના પાન નસકોરી માટે સારો ઉપચાર છે. ગરમી લાગવાથી નાકમાંથી લોહી નીકળે છે આથી શરીરને ઠંડક આપવા માટે તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો.5 ) જો તમે થાકનો અનુભવ કરી રહ્યા છો અને તમને સુસ્તીનો અનુભવ થઈ રહ્યો છે તો મધની સાથે પાનનો રસ એક ટોનિકની જેમ કામ કરે છે.
6 ) તેમાં એન્ટી ફંગલ ગુણ રહેલા છે આથી તે ફંગલ સંક્રમણથી બચાવે છે.
7 ) જો તમે પીઠના નીચેના ભાગમાં દુઃખાવો રહે છે તો તેના માટે નાગરવેલ પાંદ સારો ઉપાય છે. આ માટે પાનના રસને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને પીઠના નીચેના ભાગે માલીશ કરો. તેનાથી દર્દમાં તરત જ રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: belet leaf benefitscough and nagarvel paneffective in diseaseshealth tipsnagarvel leafnagarvel pannagarvel pan benefitsnagarvel pan in health benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ રીતે કેરી ખાશો તો શરીર બની જશે ખોખલું, મોટાભાગના લોકો નથી જાણતા કેરી ક્યારેય અને કેટલી ખાવી ફાયદાકારક ગણાય…

આ રીતે કેરી ખાશો તો શરીર બની જશે ખોખલું, મોટાભાગના લોકો નથી જાણતા કેરી ક્યારેય અને કેટલી ખાવી ફાયદાકારક ગણાય...

શાકભાજી સમાર્યા બાદ હાથમાં પડી જતા કાળા દાગ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, હાથ પર લગાવીલો આ એક વસ્તુ…

શાકભાજી સમાર્યા બાદ હાથમાં પડી જતા કાળા દાગ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, હાથ પર લગાવીલો આ એક વસ્તુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મુસ્લિમ પરિવારે લગ્નની કંકોત્રીમાં છપાવ્યો હિંદુ દેવતાનો ફોટો.   જાણો તેનું  કારણ..

મુસ્લિમ પરિવારે લગ્નની કંકોત્રીમાં છપાવ્યો હિંદુ દેવતાનો ફોટો. જાણો તેનું કારણ..

December 5, 2019
ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્દી વસ્તુ, નહિ તો સુંદર ચહેરો થઈ જશે ખીલ અને દાગ વાળો… જાણો ચહેરો સુંદર રાખવા શું ન ખાવું જોઈએ…

ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્દી વસ્તુ, નહિ તો સુંદર ચહેરો થઈ જશે ખીલ અને દાગ વાળો… જાણો ચહેરો સુંદર રાખવા શું ન ખાવું જોઈએ…

July 17, 2022
મોદી સરકારની મોટી તૈયારી, સરકારી અને પ્રાઈવેટ નોકરિયાતોને થશે આ મોટો ફાયદો… લાગુ થશે ફાયદા વાળો આ નિયમ…

મોદી સરકારની મોટી તૈયારી, સરકારી અને પ્રાઈવેટ નોકરિયાતોને થશે આ મોટો ફાયદો… લાગુ થશે ફાયદા વાળો આ નિયમ…

August 1, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.