આ છે શારીરિક કમજોરી, યૌન દુર્બળતા, પાચન જેવી ખામીઓ દુર કરી શરીરને તાકાતવર કરવાનો જોરદાર ઈલાજ… લગ્નજીવનમાં આવી જશે અઢળક આનંદ…

મિત્રો તમે કદાચ ડુંગળી અને ઘીનું સેવન કરતા હશો. જો કે ડુંગળી એ દરેક ઋતુમાં તમને હેલ્દી રાખવાનું કામ કરે છે. જ્યારે ઘી નું સેવન કરવાથી તમને ઘણા પોષક તત્વો મળે છે. આજે અમે તમને આ લેખમાં ડુંગળી અને ઘીના ફાયદાઓ વિશે જણાવશું.

ડુંગળીનો ઉપયોગ ભારતના લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. શિયાળો કે ઉનાળો હોય ડુંગળીનો ઉપયોગ દરેક ઋતુમાં કોઈને કોઈ રૂપમાં જરૂર કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે તેને ખુભ જ ગુણકારી માનવામાં આવે છે. ડુંગળીમાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે, જે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પુરુષો માટે ડુંગળીનું સેવન ખુબ જ ગુણકારી છે. જો તમે શારીરિક કમજોરી, શીઘ્રપતન જેવી સમસ્યાથી પરેશાન છો તો તમારે આનું સેવન કરવું જોઈએ. ડુંગળી અને ઘીનું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ મળે છે. અને પુરુષની ઘણી સમસ્યાઓ દુર કરવામાં મદદ મળે છે. ડુંગળી અને ઘીમાં રહેલ અનેક પોષક તત્વ શારીરિક કમજોરી અને શરીરની અન્ય સમસ્યાઓમાં રાહત આપે છે.

ડુંગળી અને ઘી ના ફાયદાઓ : ડુંગળી અને ઘીનું સંયોજન પુરુષો માટે ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. ડુંગળી અને ઘી માં રહેલ પોષક તત્વો પુરુષો સાથે જોડાયેલ સમસ્યા જેમ કે વીર્યની કમી, શારીરિક કમજોરી, શીઘ્રપતન વગેરેમાં ઉપયોગી છે. ઠંડી અને ગરમીની ફરિયાદમાં પણ ડુંગળી અને ઘીનું સેવન ખુબ જ ઉપયોગી છે. પુરુષોની ઘણી એવી સમસ્યા છે જેના વિશે તેઓ સ્પષ્ટ વાત નથી કરતા. તેવામાં આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ડુંગળી અને ઘી નું સેવન કરી શકાય છે.

શીઘ્રપતનની સમસ્યામાં ડુંગળી અને ઘીનું સેવન ફાયદાકારક છે. શારીરિક સંબંધ બનાવતી વખતે જો તમને શીઘ્રપતનની સમસ્યા થાય છે, તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડુંગળી અને ઘીનું સેવન કરી શકો છો. આ માટે તમે ડુંગળીના રસને કાઢી લો. હવે તેમાં એક ચમચી ઘી મિક્સ કરીને સેવન કરો. આવું થોડો સમય સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મળી જશે.

ડુંગળીને ઘીમાં શેકી અથવા તળીને ખાવાથી તમારી શારીરિક શક્તિ વધે છે. શારીરિક સંબંધ બનાવતી વખતે કમજોરીની સમસ્યામાં ડુંગળી અને ઘીનું એકસાથે સેવન કરી શકાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે સૌથી પહેલા ડુંગળીને ઝીણી સમારી લો. ત્યાર પછી તેને ઘીમાં તળીને દરરોજ રાત્રે સુતા પહેલા સેવન કરો. આવું થોડો સમય કરવાથી તમારી આ સમસ્યા દુર થઈ જશે.

ડુંગળીના રસમાં ઘી મિક્સ કરીને ખાવાથી તમને વીર્યની કમીની સમસ્યાથી છુટકારો મળે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે સૌથી પહેલા ડુંગળીનો રસ કાઢી લો, ત્યાર પછી તેમાં ઘી મિક્સ કરો અને તેનું સેવન કરો. દરરોજ એક ચમચી ડુંગળીના રસમાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

પેટની સમસ્યાઓમાં દરરોજ સવારે ખાલીપેટ ડુંગળીના રસમાં ઘી મિક્સ કરીને સેવન કરવાથી ફાયદો થાય છે. ડુંગળી પાચન માટે ઉપયોગી છે. જો તમને પાચનતંત્રને લગતી સમસ્યા છે તો તેનાથી છુટકારો મેળવવા માટે દરરોજ ડુંગળીના રસમાં ઘી મિક્સ કરીને સેવન કરો. આવું થોડા દિવસ કરવાથી રાહત મળે છે.

પથરીની સમસ્યા આજના સમય સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવામાં સફેદ ડુંગળીનો ઉપયોગ ફાયદાકારક છે. પથરીના દર્દી માટે ડુંગળીનો રસ ઉપયોગી છે.તમે સવારે ખાલી પેટ સફેદ ડુંગળીના રસમાં બે ટીપા ઘીના મિક્સ કરીને સેવન કરો. આમ દરરોજ એન ચમચી ડુંગળીના રસમાં બે ટીપા ઘીના મિક્સ કરીને સેવન કરવાથી તમને ફાયદો થાય છે.

આમ ઉપર આપેલ સમસ્યાઓમાં ડુંગળી અને ઘી નું સેવન ફાયદાકારક છે. પણ તેનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment