શા માટે કરવામાં આવે છે ઉંમરાની પૂજા? જાણો તેનું રહસ્ય? જો તમે ઉંમરાની પૂજા નથી કરતા તો ખાસ જાણો આ માહિતી

શા માટે કરવામાં આવે છે ઉંમરાની પૂજા? જાણો તેનું રહસ્ય? જો તમે ઉંમરાની પૂજા નથી કરતા તો ખાસ જાણો આ માહિતી

ભારત દેશએ તમામ દેશો કરતા આધ્યાત્મિકતાની દ્રષ્ટીએ જુદો પડે છે. કારણ કે, ભારતમાં જેટલો ભક્તિભાવ, આધ્યાત્મ, શાસ્ત્ર, દર્શન શાસ્ત્રનો પ્રભાવ જોવા મળે છે એટલો પ્રભાવ ક્યાય જોવા મળતો નથી.

યોગ, તેમજ વેદ, શાસ્ત્ર જેવી અમુલ્ય ભેટો ભારતે સમગ્ર વિશ્વને આપી છે. તેમાંથી માણસે કેમ તંદુરસ્ત, શિક્ષિત અને જીવન નિર્વાહ કરવો તે સમજાવવામાં આવ્યું છે. મનું સ્મૃતિ નામના ગ્રંથમાં પણ માણસે કેવી રીતે જીવન જીવવું તેનું આલેખન કરવામાં આવ્યું છે.

માણસએ પોતાની આસપાસ રહેલી વસ્તુઓમાંથી અમુક વસ્તુઓનો ત્યાગ કરવો, અમુકનો સંગ્રહ કરવો, અમુક વસ્તુની પૂજા કરવી તેમજ અમુક વસ્તુ ખાવી કે ના ખાવી એવું પણ હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે તે પણ વિજ્ઞાનિક રીતે સાબિત પણ થયું છે.  એવી જ રીતે આજ આપણે જોઈશું કે ઘરના ઉંમરાની પૂજા કેમ કરવામાં આવે છે. ઉંમરાની પૂજા કરવા પાછળ શું લાભ થાય? તે વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીએ શું મહત્વ ધરાવે છે? જે પૂરી માહિતી જાણશો તો તમને આશ્વર્ય થશે.

એમ માનવામાં આવે છે કે આપના ઘરનો ઉંમરો આપનું રક્ષણ કરે છે, આમ જોવા જઈએ ઉંમરાને લક્ષ્મણજી એ દોરેલી લક્ષ્મણ રેખા સાથે પણ સરખાવવામાં આવે છે તેનું કારણ એ છે કે, જેમ સીતાજીને પણ લક્ષ્મણજીએ ચેતવણી આપી હતી, તેવી જ રીતે ઘરમાં રહેલો ઉંમરો એ આજની સ્ત્રીને ચેતવણી આપે છે કે જો કોઈ અનિષ્ટ માણસો અવાજ આપે તો તેને જવાબ ઉંમરાની અંદર રહીને જ આપી દેવો, તે બોલાવે તો પણ બહાર ના જવું.

ઘરનો ઉંમરો સ્ત્રીમાટે ઘરના વડીલ જેવી ભૂમિકા ભજવે છે કેમ કે, પહેલા ઘરના ઉમરા સહેજ ઊંચા રાખવામાં આવતા, તો સામાન્ય રીતે તેને ઉંમરો ઓળંગવો એમ કહેવામાં આવતું, તો કોઈ સ્ત્રી ખરાબ કામ કરવા માટે ઉંમરો ઓળગતા પહેલા વિચાર કરી લેતી હતી, કે આનું પરિણામ શું આવશે? કારણ કે, તેને ખબર હતી કે આ ઉંમરાનું મહત્વ કેટલું છે તે…

કોઈ અજાણ્યો માણસ પહેલા ઘરે આવતો હતો તો પણ સ્ત્રી તેને ઘરમાં આવવા ના દેતી હતી, કેમ કે તે આવનારો માણસ કેવી પ્રકૃતિ ધરાવતો હતો તે ખબર ના હોય… જો સ્ત્રીને એમ લાગે કે આ કોઈ સજ્જન છે તો જ તેને ઘરમાં પ્રવેશ મળતો હતો. એટલે તે વખતે ઉંમરાનું મહત્વ ઘરના વડીલ જેવું ગણાતું…

પુરુષ જયારે સાંજે કામ કરીને ઘરે આવે ત્યારે તે પહેલા તેના પગ અને મોં ઘરની બહાર રહેલા બાથરૂમમાં ધોઈને જ ઘરમાં પ્રવેશ મળતો, કેમ કે એવું કહેવાતું કે પુરુષ દિવસ દરમિયાન ઘણા સારા અને ખરાબ લોકોને મળ્યો હોય, તો તે બધા લોકોની અસર ઘરમાં ખરાબ રીતે ના પડે એટલા માટે તે હાથ પગ ધોઈને જ ઘરનો ઉમરો ઓળગવાનો રીવાજ હતો.

પુરુષ ઘણી વખત કમાઈને ઘરમાં આવતો ત્યારે તેને પૂછવામાં આવતું કે આ કમાણી નીતિની જ છે ને? જો અનીતિની કમાણી હોય તો ઘરના ઉંમરાની બહાર જ મુકીને ઘરમાં આવજો, આમ ઘરના માલિક એવા પુરુષને પણ ઉંમરો વિચારવા મજબુર કરી દેતો હતો…

સ્ત્રી ઘણી વખત ઉંમરાની પૂજા કરતી વખતે એમ પણ કહે છે કે, હે મારા ઘરના રખેવાળ એવા ઉંમરા મારા ઘરમાં હંમેશા નીતિનો રૂપિયો, મર્યાદા વાળી ઉત્તમ વાણી, મનમાં સંતોષ અને ઘરમાં શાંતિ સ્થાપિત કરજો. અને અનિષ્ટ તત્વો, લોભ, મોહ અને ક્રોધ જેવા તત્વો મારા ઘરમાં ના પ્રવેશે તેનો ખ્યાલ રાખજો. મારા ઘરે અતિથીનો સદાય વાસ રાખજો, સાધુ સંતો તેમજ સજ્જન વ્યક્તિઓથી મારા ઘરને સદાય મહેકતું રાખજો.

જેમ આપણે તરસ લાગે ત્યારે ગંદુ પાણી કેમ નથી પિતા? ચોખ્ખું પાણી કેમ ગ્રહણ કરીએ છીએ ? એવી રીતે ઉંમરો એ વડીલની જેમ ઘરમાં પ્રવેશતા ખરાબ, અનિષ્ટ તત્વોને દુર રાખીને સારા, સકારાત્મક અને સંસ્કૃત્તિક તત્વોને પ્રવેશ આપે એ માટે તમામ સ્ત્રીઓએ એક વડીલની જેમ ઘરમાં રહેલા ઉંમરાની પૂજા દરરોજ કરવી જોઈએ… અને આ મહત્વ આપણને ઋષિમુનીઓના વખતથી કહેવામાં આવ્યું છે.

શું તમે દરરોજ ઘરમાં ઉંમરાની પૂજા કરો છો?  અથવા તમારા ઘરમાં ઉંમરાની પૂજા થાય છે? તો કોમેન્ટમાં yes જરૂર લખજો… જો નથી કરતા તો આજથી જ પૂજા જરૂર કરજો..

Leave a Comment