પેટમાંથી આવતા ગુડગુડ અવાજને બે જ મિનીટમાં કરો શાંત, અજમાવો સરળ અને મફત ઘરેલું ઉપાય…. કરી નાખશે પેટની સફાઈ પણ…

આપણને ઘણી વખત પેટની અંદરથી ગુડગુડ અવાજ આવે છે. મેડિકલ ભાષામાં તેને સ્ટોમક ગ્રોલિંગ નામથી જાણવામાં આવે છે. લગભગ આ પ્રકારનો અવાજને ભોજન પહોંચવાથી જોડીને જોવામાં આવે છે. ખાસ કરીને પાચન દરમિયાન આ પ્રકારના અવાજ પેટ અને આંતરડાના અંદરથી આવે છે. પરંતુ આંતરડા ખાલી હોય છે. તેથી જ્યારે તે ભોજન ત્યાંથી પસાર થાય છે. ત્યારે એવો અવાજ આવે છે. તેને લગભગ સામાન્ય માનવામાં આવે છે. પરંતુ વારંવાર સામાન્ય રૂપે પેટમાંથી અવાજ આવે ત્યારે પાચનતંત્રની અંદર કોઈ ગંભીર સ્થિતિનો સંકેત હોય શકે છે. જેને નજરઅંદાજ કરવો જોઈએ નહીં.

જ્યારે ભોજન નાના આંતરડામાં પહોંચે છે. ત્યારે શરીર ખાદ્ય પદાર્થોને તોડીને પોષક તત્વોને અવશોષિત કરીને એન્જાઈમ જ્યારે કરે છે. તેને પાચનની આ ક્રિયા દરમિયાન એવો અવાજ આવી શકે છે. ઘણી બધી વખત કંઈ ન ખાવાના કારણે શરીર નિયમિત રૂપે પાચનની પ્રક્રિયા શરૂ કરી દે છે. એવું માનવામાં આવે છે કે, એક વખતમાં આ પ્રકારનો અવાજ લગભગ 20 મિનિટ સુધી આવી શકે છે અને ભોજન લીધાના દર કલાકે ફરીથી શરૂ થઈ શકે છે.

ઉત્તરી અમેરિકાના એન્ડ ટેકનોલોજી એન્ડ મેટાબોલિઝમ ક્લિનિક દ્વારા પ્રકાશિત કરેલ એક લેખ અનુસાર જ્યારે તમે ભૂખ્યા હોય ત્યારે મસ્તિષ્કમાં હોર્મોન્સ જેવા પદાર્થ ભોજનની ઈચ્છાને સક્રિય કરે છે. જે ત્યારે આંતરડા અને પેટને સંકેત મોકલે છે અને તેના કારણે તમારા પાચનતંત્રમાં માંસપેશી સંકોચાવા લાગે છે અને અવાજનું કારણ બને છે.

પેટમાં અવાજ આવવાના સામાન્ય અને ગંભીર કારણો : ભૂખ લાગવી અને પાચન થવું આ બંને સામાન્ય કારણ છે. પરંતુ આ પ્રકારના અવાજની પાછળ અમુક કારણ પણ હોય શકે છે. ક્રોહન રોગ ફૂડ એલર્જી, ઝાડા, જઠરાંત્રિય રક્તસ્રાવ, ચેપી એન્ટરિટિસ અને મોટા આંતરડામાં બળતરા જેવી ગંભીર બીમારીઓના કારણે પણ આવો અવાજ આવી શકે છે. જેની માટે તૈયારીમાં જ તપાસ કરાવવી ખુબ જ જરૂરી છે. જો તમને અવાજની સાથે પેટમાં કંઈક બીજી ગડબડીનો અનુભવ થઈ રહ્યો છે. તો તમે ડોક્ટરનો સંપર્ક કરો. તો ચાલો જાણીએ પેટના અવાજને રોકવાના ઉપાય શું છે.

પાણી : એક ગ્લાસ પાણી પીવું પેટના અવાજને રોકવાનો એક પ્રભાવી ઉપાય હોય શકે છે. ખાસ કરીને જો સમય ઉપર કંઈક ખાવાનું સંભવ ન હોય, તો પાણી પેટ ભરવાની સાથે સાથે પાચનક્રિયામાં પણ મદદ કરે છે. આ બંને ક્રિયાઓ પેટ વધતું રોકવામાં અથવા તેના અવાજને ઓછું કરવામાં મદદ કરી શકે છે. સારા રીઝલ્ટ માટે સંપૂર્ણ દિવસમાં ધીમે ધીમે પાણી પીવું જોઈએ.

ખાવું : પેટ ખાલી હોય ત્યારે એવું થઈ શકે છે. તેથી જ એક સંકેત છે કે, પેટને કંઈક જોઈએ છે. થોડો નાસ્તો ખાવાથી અસ્થાયી રૂપથી આ અવાજ બંધ થઈ શકે છે. પેટ ભરેલું રહેવાથી પેટ વધવાની માત્રા ઓછી થઈ શકે છે. તમે દિવસમાં ત્રણ વખત મોટા ભોજન સિવાય દિવસમાં ચારથી છો નાના ભોજન લઈ શકો છો.

હર્બલ-ટી : ફુદીના આદુ અને વરિયાળીથી બનાવેલ હર્બલ ટી તમારા પાચનમાં મદદ કરી શકે છે અને તમારા આંતરડા અને માંસપેશીઓને આરામ આપી શકે છે. આદુ સોજાને ઓછો કરે છે અને ફુદીનો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલના લક્ષણોને દૂર કરવા માટે સક્ષમ છે.

લસણ : લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે, આ રસાયણ ગેસ્ટ્રીટીસ વાળા લોકોને મદદ કરી શકે છે. એલિસ ઇન પેટના સોજાને ઓછું કરવામાં મદદ કરે છે. તમારા પાચનમાં મદદ કરવા માટે સવારે સૌથી પહેલા લસણના કાચા ટુકડાનું સેવન કરો.

પાચનને તંદુરસ્ત રાખતી વસ્તુ : પાચનને વધારો આપવા માટે અને પેટને તંદુરસ્ત રાખવા માટે હંમેશા પોતાના ભોજનમાં દહીં, ક્વિનોઆ, બીટ, આદું કીમચિ અને માછલી વગેરેને સામેલ કરો. તે સિવાય શરીરને હાઇડ્રેટેડ રાખવાનું બિલકુલ ન ભૂલો. કારણ કે સ્વસ્થ પાચન માટે પાણીની ખાસ જરૂર હોય છે.

કોફીની જગ્યાએ ગ્રીન ટી ટ્રાય કરો : કોફી એક અમ્લીય ભોજન છે. તેના વધુ પડતા સેવનથી પેટ ખરાબ થઈ શકે છે. તે સિવાય એક કપ ગ્રીન ટી ટીવી તે ખૂબ જ સારો વિકલ્પ છે. તે સોજા અને પેટના ગેસને દૂર કરી શકે છે. પેટમાં થયેલ અલ્સરમાં પણ સહાયક છે. ગ્રીન ટીમાં હેલ્ધી બાયો એક્ટિવ યોગિક અને એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment