વગર દવાએ કબજિયાતથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપાય.

વ્યસ્ત જીવનશૈલી અને અમુક સ્વાદિષ્ટ ભોજનના ચક્કરમાં લગભગ લોકો બહારના ભોજનનું સેવન કરે છે, અને સ્વાદના ચક્કરમાં અઠવાડિયામાં એક વખત તો બહાર ભોજન કરે જ છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. આપણા સ્વાસ્થ્ય માટે બહારનું ભોજન સમાન માનવામાં આવે છે અને ખાસ કરીને જે લોકો અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ દરરોજ માત્ર બહારનું અનહેલ્થી, ઓઇલી અને સ્પાઈસી ફૂડનું સેવન કરે છે. તેમને શારીરિક સમસ્યાઓ પણ થવા લાગે છે અને આ સમસ્યાઓની શરૂઆત કબજિયાતથી થાય છે. આમ તો કોઈ પણ વ્યક્તિને કબજિયાત થવું ખૂબ જ સામાન્ય બાબત છે, અને તમારી બગડેલી જીવનશૈલી સંપૂર્ણ રીતે તેની ઉપર જવાબદાર માનવામાં આવે છે.

તે પેટમાં સોજો અને ગેસની સમસ્યા ઊભી કરે છે. કબજિયાત થાય ત્યારે પેટમાં ગડબડ રહે છે અને વારંવાર આપણે મળત્યાગ કરવા જવું પડે છે. ખરેખર આ સ્થિતિ ખૂબ જ દર્દનાક હોય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ અથવા ત્રણ થી ઓછી વખત મળ ત્યાગ કરે છે તેનો અર્થ છે કે તે કબજિયાતથી પીડિત છે, એવામાં મળત્યાગની અવધિ વધારવા માટે જીવન શૈલીમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી થઇ જાય છે. યોગ્ય પ્રકારથી આહારની સાથે તમે આ સ્થિતિને દૂર કરવા માટે જરૂરથી પ્રયાસ કરી શકો છો, તો આવો જાણીએ કે કબજિયાતથી રાહત મેળવવા માટે આખરે કયા ખાદ્ય પદાર્થોને પોતાના આહારમાં સામેલ કરવા જોઇએ.

 કબજિયાત થાય ત્યારે લીલા શાકભાજીનું સેવન કરો

લીલા શાકભાજી તમારા આંતરડાની ગતિ ને આસાન બનાવવા નો સૌથી સારો ઉપાય છે. પાલક, બ્રોકલી, સ્પ્રાઉટ જેવા શાક પોષક તત્વોથી ભરપુર હોય છે. અને તે પોતાના ફાઇબર સામગ્રીને કારણે ખૂબ જ જાણીતા છે. તે તમારા પેટ માટે ખૂબ જ સારા રહેશે જેનાથી આંતરડાની ગતિમાં સુધારો આવશે અને કોઇ જ તકલીફ પડશે નહીં. શાકભાજીનું સેવન કરતી વ્યક્તિને કબજિયાતથી જોડાયેલી સમસ્યાઓમાં ખૂબ જ રાહત મળે છે.

2017ના એક અધ્યયનમાં સ્વસ્થ લોકો એ ચાર અઠવાડિયા સુધી દરરોજ 20 ગ્રામ કાચી બ્રોકલી અથવા 20 ગ્રામ ફણગાવેલા કઠોળનું સેવન કર્યું. શોધકર્તાઓમાં જોવા મળ્યું કે જે લોકોએ બ્રોકલી ખાધી તેમને કબજિયાતના લક્ષણો ઓછા હતા અને તેમનું મળ ત્યાગ પણ તીવ્ર હતું.

કબજિયાતમાં રાહત આપશે અળસીના બીજ

ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થો સિવાય અળસીના બીજ તમારા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસીમાં વિરેચક ગુણ હોય છે તેથી તેનું સેવન કરવાથી મળ ત્યાગવામા આસાની રહે છે. તેનો ઉપયોગ મળાશયની સફાઈ કરવા માટે થાય છે. તેનું સેવન કરવાથી ખૂબ જ સારા પરિણામ મળી શકે છે પરંતુ ધ્યાન રાખો કે તેનું વધુ સેવન ન કરો. કારણ કે તેને પચાવવું થઈ જાય છે.

 કબજિયાતમાં ફાયદાકારક પ્રોબાયોટિક

પ્રોબાયોટિક એક જીવિત બેક્ટેરિયા છે, જે સ્વાભાવિક રૂપે દહીં, કોમ્બુચા, કિમચી અને ટેમ્પેહ જેવા ખોરાકમાં જોવા મળે છે. તે પેટની કાર્યપ્રણાલીમાં સુધારો કરીને ડાયજેશન યોગ્ય રાખે છે. અધ્યયનમાં જોવા મળ્યું છે કે પ્રોબાયોટિક ગટ માઇક્રોબાયોમ વધારે છે, રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરીને કોઇપણ પ્રકારનો સોજો ઓછો કરવામાં અને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મદદ કરે છે.

કબજિયાતથી રાહત આપે દાળ

દાળ ઘણા પ્રકારની આવે છે લગભગ બિન્સ, દાળ, ચણા અને વટાણા માં વધુ ફાઇબર હોય છે. જે પાચનને વધારો આપે છે અને કબજિયાતને ઓછું કરે છે. 2017ના એક અધ્યયનમાં જોવા મળ્યું કે 100 ગ્રામ બાફેલી દાળ યુએસમાં અનુચિત દૈનિક ફાઇબર સેવનના લગભગ 26 ટકા પ્રદાન કરે છે. દરરોજ 100 ગ્રામ દાળ કબજિયાતથી રાહત અપાવી શકે છે.

 સારા ડાયજેશન માટે ફળનું સેવન કરો

કિવી, નારંગી, નાસપતિ, અને સફરજન જેવા ફળ પાચન માટે ખુબ જ સારી માનવામાં આવે છે. કબજિયાતથી પરેશાન રહેતા લોકો આ ફળનું સેવન કરીને રાહતનો અનુભવ લઇ શકે છે. આ દરેક પળમાં ફાઈબરની માત્રા ખૂબ જ સારી હોય છે અને તે સિવાય તેમાં પર્યાપ્ત માત્રામાં પાણી, સોર્બીટોલ અને ફ્રુકટોસ હોય છે. જે કબજિયાત નો ઈલાજ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.

નાસ્તામાં સેવન કરો ઓટમિલ

કબજિયાતથી દૂર રહેવા માટે તમારે દિવસની શરૂઆત કોઈ પણ સ્વસ્થ ભોજનથી કરવી જોઈએ તો ખૂબ જ સારું રહેશે. સૌથી સારી રીત નાસ્તામાં વાટકી ભરીને ઓટમીલ નું સેવન કરવું. તેમાં ઘૂલનશીલ અને અઘુલનશીલ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. પહેલા તો તે પાણીમાં આસાનીથી ઓગળીને જેલ જેવું સ્વરૂપ લઇ લે છે. જ્યારે અઘુલનશીલ ફાઇબર ની માત્રા માં જોડાઈને ખાદ્ય પદાર્થને નરમ બનાવે છે. અને પેટ થતા આંતરડા થી પસાર થવામાં આસાની થાય છે. આ રીતે મળ ત્યાગ કરવા માટે જોર લગાવવાની જરૂર પડતી નથી અને કબજીયાતથી છુટકારો મળે છે.

 પાણીથી દૂર થશે કબજિયાતની સમસ્યા

તમારા આંતરડા મા સુધારો કરવા માટે એક બીજો ઉપાય છે, પાણી વસ્તુ પાચનતંત્રને મેળવવા માટે તમારે હાયડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી છે. તેની માટે તમારે દિવસ પર માં ઘણું બધું પાણી પીવું જોઈએ. શરીરમાં તરલ પદાર્થની ઉણપ કબજિયાતનો પહેલું કારણ હોય છે. તેથી દિવસભરમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ. તેનાથી તમે ઊર્જાવાન રહેશો અને આંતરડા પણ સારી રીતે કાર્ય કરશે.

અહીં જણાવેલ ખાદ્ય પદાર્થ કબજિયાતના શરૂઆતનાં આ લક્ષણોને સમાપ્ત કરવા માટે પેટના સ્વાસ્થ્ય અને યોગ્ય રાખવામાં મદદ કરશે. પરંતુ ઘણા લોકોને હાઈ ફાઈબર મળ ત્યાગ કરવામાં તકલીફ ઉભી કરી શકે છે. તેથી જ તમારા માટે શું યોગ્ય છે આ સંબંધમાં તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે જ છે. વધુ જાણકારી માટે હંમેશા ડોક્ટરનો સંપર્ક કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment