Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

વિક્રમ વૈતાલ શ્રેણી…- શા માટે વિક્રમ જ વૈતાળને લેવા માટે જાય છે, વિક્રમ જ કેમ બીજું કોઈ કેમ નહિ… જાણો તેનું રહસ્ય.

Social Gujarati by Social Gujarati
June 15, 2018
Reading Time: 2 mins read
0
વિક્રમ વૈતાલ શ્રેણી…- શા માટે વિક્રમ જ વૈતાળને લેવા માટે જાય છે, વિક્રમ જ કેમ બીજું કોઈ કેમ નહિ… જાણો તેનું રહસ્ય.

વિક્રમ વેતાળ

RELATED POSTS

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

શા માટે સમ્રાટ વિક્રમાદિત્યને વેતાળને લેવા જવું પડ્યું.

મિત્રો તમે સમ્રાટ વિક્રમાદિત્યના ઈતિહાસ તેમજ તેમન અમૂલ્ય નવરત્નો વિષે આગળના આર્ટીકલ  ગયા. મિત્રો આપણે આગળ જોઈ ગયા તેમાં વેતાળ ભટ્ટ રાજા વિક્રમના નવ રત્નોમાનો એક રત્ન છે. કહેવાય છે કે, વિક્રમ વેતાળની વાર્તાઓ તેના જ અનુસંધાનમાં છે. તો મિત્રો આજે અમે આ લેખ દ્વારા વિક્રમ વેતાળની રોમાંચક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ.

આ વાર્તા દ્વારા જાણવા મળશે કે, શા માટે સમગ્ર વિશ્વમાંથી માત્ર સમ્રાટ વિક્રમાદિત્યને જ પસંદ કરવામાં આવ્યા વેતાળને લાવવા માટે. મિત્રો આ વાર્તા ખુબ જ રસપ્રદ છે અને રહસ્યમય પણ છે. જરૂરથી વાંચો આ વાર્તા.

એક વાર સમ્રાટ વિક્રમાદિત્યના મહેલમાં રાજસભા ભરાય હતી. રાજા વિક્રમાદિત્ય સભામાં ઉપસ્થિત મંત્રીઓને તેમજ પ્રજાને પૂછતા હતા કે, રાજ્યમાં કોઈ સમસ્યાઓ તો નથી ને, કોઈ ની કઈ ફરિયાદો નથી ને. પરંતુ મિત્રો જે રાજ્યના રાજા વિક્રમાદિત્ય જેવા મહાન અને પ્રમાણિક રાજા હોય ત્યાં લગભગ સમસ્યાઓનું પ્રમાણ સાવ ઓછું હોય છે. મંત્રીઓએ જવાબ આપતા કહ્યું રાજ્યમાં કોઈ પ્રશ્ન કે કોઈ ફરિયાદ નથી પરંતુ બહાર એક સાધુ આવ્યા છે. તે તમારી રાહ જોવે છે. રાજા વિક્રમે તેમને અંદર પધારવાની અનુમતિ આપી. સાધુ સભમાં આવ્યા. રાજાએ જોયું કે તે સાધુની આંખમાંથી દિવ્યતા છલકાય રહી હતી. રાજાએ સાધુને પ્રણામ કર્યા અને સભામાં આવવાનું કારણ પૂછ્યું. સાધુએ જણાવ્યું કે, “હું તમને એક ફળ ભેટ આપવા માંગું છું.” મારી ભેટનો સ્વીકાર કરો. રાજાએ ભેટનો સ્વીકાર કર્યો. પછી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. સમ્રાટ વિક્રમાદિત્યએ સાધુએ આપેલ ફળ સાચવીને રાખવાની આજ્ઞા કરી.

બીજા દિવસે ફરી તે સાધુ રાજાને ફળ ભેટમાં આપવા આવ્યા. રાજાએ થોડા આશ્વર્ય સાથે તે ભેટનો સ્વીકાર કર્યો. આમ, ઘણા દિવસો સુધી સાધુ રોજ એક ફળ રાજાને ભેટમાં આપતા.

એક વાર રાજાએ મંત્રીને બોલાવી અને કહ્યું કે દીવાલની પાળ પર વાંદરો બેઠો છે તેને આ ફળ ખાવા માટે આપો. અને તેમને રાજાની આજ્ઞા પ્રમાણે ફળ વાંદરાને આપ્યું. વાંદરાએ તે ફળ ખાધું પણ અદ્દભુત વાત એ છે કે તે ફળમાંથી કિંમતી રત્ન નીકળ્યો.

રાજાએ આજ્ઞા કરી કે હું દરેક ફળ કાપીને તપાસવા માંગું છે. રાજા સમક્ષ સાધુએ બધા ફળ સાચવેલા હતા તે રાખવામાં આવ્યા.  રાજાએ દરેક ફળ કાપીને તપાસ્યું. દરેક ફળમાંથી અલગ અલગ કિંમતી અને બહુમુલ્ય રત્નો નીકળ્યા.

રાજા  આશ્વર્યમાં પડી ગયા. બીજા દિવસે સભમાં તે સાધુ આવ્યા રાજાએ સાધુને તે બહુમુલ્યો રત્નો પાછળનું કારણ પૂછ્યું કે, “શા માટે તમે મને આટલી મુલ્યવાન ભેટ આપી તેની પાછળ તમારો કોઈ સ્વાર્થ છે કે પછી તમે તમારૂ  સામર્થ્ય બતાવવા માંગો છો.”

સાધુએ જવાબ આપતા કહ્યું કે, “મેં મારા સ્વાર્થ માટે તમને ભેટ આપી હતી. જો હું આવું ણ કરેત તો કદાચ તમે મારી વાત પર આટલું ધ્યાન ણ આપ્યું હોત. માટે મારી પાસે તેના સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.”

રાજાએ તે ભેટ પાછી આપતા કહ્યું કે, હું કોઈના સ્વાર્થ માટે આટલી બહુમુલ્ય ભેટ ન સ્વીકારી શકું. તમારે કોઈ કામ હોય તો આજ્ઞા કરો હું રાજીખુશીથી  કરી આપીશ.

સાધુએ કહ્યું, હું આજે રાજા  વિક્રમાદિત્યની પાસે નથી આવ્યો પણ એક વ્યક્તિ વીર વિક્રમાદિત્ય પાસે આવ્યો છું મને જાણ છે કે, મારું કામ માત્ર તમે  જ કરી છો મને તમારા સામર્થ્ય પર પૂરો ભરોસો છે. માત્ર તમે જ મને મદદ કરી શકો છો.

રાજાએ કહ્યું, “આજ્ઞા કરો  હું જરૂર તમારી મદદ કરીશ.”    

સાધુએ કહ્યું, “હું ઘણા દિવસોથી તપ  કરું છું, સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તમારી મદદની જરૂર છે. તેના માટે રાત્રે અંધકારમાં તમારે જંગલમાં મારા તપના સ્થાને આવવું પડશે. અને હા તારી સાથે બીજા કોઈને આવવાની અનુમતિ નથી. માત્ર તું એકલો જ આવી શકે છે.”

રાજાએ સંમતી આપતા કહ્યું કે, “જેવું તમે કહ્યું તે પ્રમાણે જ હું આવીશ.” રાત થતા રાજા મહેલમાંથી વીરતા પૂર્વક સાધું પાસે જવા નીકળ્યા. એકદમ ખુમારી અને વીરતાથી ઘોડેસવારી કરતા કરતા સાધુ પાસે પહોંચ્યા અને પ્રણામ કરી કહ્યું બોલો શું મદદ કરી શકું હું તમારા માટે ?

સાધુએ જણાવ્યું “આજે મારા તપ માટે મારે એક મડદાંની જરૂર છે. જો તે મડદું અહી લાવવામાં  આવે તો જ મારું તપ સફળ થશે અને મને તે સિદ્ધિઓ પ્રાપ્ત થશે. અને તે સિદ્ધિઓ પ્રજા કલ્યાણના હિત માટે ખુબ જ મહત્વની છે. માટે અહીંથી દક્ષીણે એક ગાઢ જંગલ છે. ત્યાં જંગલને પાર કરતા એક સ્મશાન આવશે તેમાં એક  મડદું હશે તે મડદું તારે અહીં લાવવાનું  રહેશે.

સમ્રાટ  વિક્રમાદિત્યએ જવાબ આપતા કહ્યું કે, “હું મારા પ્રજાકલ્યાણ માટે કોઈ પણ સમસ્યાનો સામનો કરવા તૈયાર છું. તે સિદ્ધિઓ પ્રજાના હિત માટે જ છે. હું તે મડદાને લેવા માટે અવશ્ય જઈશ.”

ત્યાર બાદ રાજા વિક્રમાદિત્ય વીરતા પૂર્વક પોતાના કાર્ય પર લાગી ગયા. અને ગાઢ અને ભયંકર જંગલમાંથી ખંત પૂર્વક આગળ વધતા રહ્યા. અંતે એક ઝાડ પર તેમને એક મડદું ઉલટું લટકાયેલું દેખાયું. તેણે તે મડદાને પોતાની પીઠા પર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. મડદું પણ ખુબ તાકાતવર હતું. આસાનીથી કોઈના હાથમાં આવે તેમ ણ હતું. પણ મિત્રો બળવાન, પરાક્રમી અને  બુદ્ધિમાન સમ્રાટ વિક્રમાદિત્ય પાસે તે મદદની શું વિસાત. અંતે તેમનો પ્રયત્ન સફળ થયો અને તેમણે મડદું પીઠ પર ઉઠાવી લીધું અને આગળ ચાલતા થયા.

મડદાએ કહ્યું, “વાહ રાજાન તારી વીરતા પર કોઈ સંદેહ નથી. હું વેતાળ તારા જેવા વીર રાજાની જ રાહ જોઈ રહ્યો હતો અંતે  તું આવી જ ગયો.”

વેતાળે કહ્યું, “તું મને લઇ જઈ શકે છે.  પરંતુ, મારી શરતો છે. જેનું તારે પાલન કરવું પડશે.

વેતાળે પોતાની શરતો જણાવતા કહ્યું કે, “મારી બે શરતો છે. પહેલી કે “તું કઈ બોલીશ નહિ.” જો તુ એક પણ  શબ્દ બોલીશ તો હું પાછો તે ઝાડ પર ચડી જઈશ. અને મારી બીજી શરત એ છે કે, હું તને વાર્તા કહીશ, પરિસ્થિતિઓ કહીશ અને  અંતે હું તેમાં રહેલ રહસ્યો પૂછીશ. તારે તે રહસ્યો ઉકેલાવવ પડશે. જો તું તે રહસ્ય નહિ જણાવે તો તારા માથાના બે ટુકડા થઇ જશે.” હસતા હસતા વેતાળે આગળ જણાવ્યું કે, “હું જાણું છું તું એક સત્યવાદી અને ન્યાયી રાજા છે. તેમજ નિયમાનુસાર રાજા છો માટે તું મારી શરતોનું અવશ્ય પાલન કરીશ.” આટલું કહી વેતાળ હસવા લાગ્યો.

વૈતાળની કહેલી ૨૫ વાર્તાઓ અમે આગળના આર્ટીકલથી શરુ કરીશું… આ વાર્તાઓ ખાલી મનોરંજન માટે જ નથી, તેમાં ન્યાય શાસ્ત્રના તેમજ સમજદારીના ગુઢ રહસ્યો છુપાયેલા છે, અને આજની પેઢી ડીજીટલ યુગ આવતા આવી કથાઓ વાંચવાનું પસંદ નથી કરતી તો અમે તમારા માટે અહીંજ આ સમજવા લાયક અને જ્ઞાનથી ભરપુર વિક્રમ અને વૈતાલની વાર્તા અહીં આપણી સમક્ષ આવતા અંકમાં લાવીશું.

મિત્રો આ વાત હતી કે શા માટે વિક્રમાદિત્ય વેતાલને લાવવા માટે ગયા. તેમજ સાધુએ કઈ રીતે પોતાની વાતનો પ્રસ્તાવ મુક્યો રાજા પાસે.

પરંતુ મિત્રો વેતાળની શરત અનુસાર વેતાળ વાત કહેશે અને પ્રશ્ન તથા રહસ્યો પૂછશે. તે કોઈ આખા રસ્તે ચુપ તો નહિ જ રહે તે રાજાને બોલવા માટે અનેક વાર મજબુર કરશે. તો તે વાર્તા જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે આગળની વાર્તા આવતા અંકે……

અમારો આ આર્ટીકલ તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો તેમજ વિક્રમ વેતાળની વાર્તા માટેના તમારા વિચારો મંતવ્યો કોમેન્ટ દ્વારા અવશ્ય શેર કરજો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Tags: INDIstoryUJJAINVAITALVIKRAM
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….
ટૂંકી વાર્તાઓ

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

September 9, 2022
પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે
ટૂંકી વાર્તાઓ

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

December 16, 2022
રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…
ઇતિહાસ

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

July 21, 2019
જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું
ટૂંકી વાર્તાઓ

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

April 10, 2021
આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.
Inspiration

આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.

June 5, 2019
18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……
ટૂંકી વાર્તાઓ

18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……

June 3, 2019
Next Post
વિક્રમ- વૈતાળ (વાર્તા-૧)… કન્યાનો સાચો પતી કોણ ???  આ પ્રશ્નનો વિક્રમ રાજા શું જવાબ આપે છે એ વાંચો.

વિક્રમ- વૈતાળ (વાર્તા-૧)... કન્યાનો સાચો પતી કોણ ??? આ પ્રશ્નનો વિક્રમ રાજા શું જવાબ આપે છે એ વાંચો.

વિક્રમ-વૈતાળ (વાર્તા-૨)… કોનું બલિદાન સૌથી મોટું…… વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો જવાબ શું આપે છે….

વિક્રમ-વૈતાળ (વાર્તા-૨)... કોનું બલિદાન સૌથી મોટું...... વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો જવાબ શું આપે છે....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ટૂંક સમયમાં જ રોકેટ બની ગયો આ શેર, માત્ર 2 ,મહિનામાં જ રોકાણકારોને આપ્યું 5 ગણું રિટર્ન… જાણો કેટલો આગળ વધી રહ્યો આંકડો…

ટૂંક સમયમાં જ રોકેટ બની ગયો આ શેર, માત્ર 2 ,મહિનામાં જ રોકાણકારોને આપ્યું 5 ગણું રિટર્ન… જાણો કેટલો આગળ વધી રહ્યો આંકડો…

September 17, 2022
આ દેશી નુસખાઓની દીવાની છે દુનિયા | સુંદર, દેખાવડી અને ગોરી બતાવા વિદેશી મહિલાઓ પણ લગાવે છે આ વસ્તુઓ…

આ દેશી નુસખાઓની દીવાની છે દુનિયા | સુંદર, દેખાવડી અને ગોરી બતાવા વિદેશી મહિલાઓ પણ લગાવે છે આ વસ્તુઓ…

September 16, 2022
શિલાજીત સાથે કરો આ 1 વસ્તુનું સેવન, પરણિત પુરુષો અને મહિલાઓમાં અંગત પળોનો આનંદ ડબલ કરી, માનસિક અને શારીરિક શક્તિમાં કરશે બેગણો વધારો…

શિલાજીત સાથે કરો આ 1 વસ્તુનું સેવન, પરણિત પુરુષો અને મહિલાઓમાં અંગત પળોનો આનંદ ડબલ કરી, માનસિક અને શારીરિક શક્તિમાં કરશે બેગણો વધારો…

August 3, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.