Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જો આવી નિશાની મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે.- જાણો ક્યાં ક્યાં કારણે થાય છે લીવર ખરાબ.

Social Gujarati by Social Gujarati
April 12, 2018
Reading Time: 2 mins read
0
જો આવી નિશાની મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે.- જાણો ક્યાં ક્યાં કારણે થાય છે લીવર ખરાબ.

જો આવી નિશાની મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે.

આપણું શરીર અવનવા અવયવોનું બનેલું છે. આ તમામ અવયવો પોતપોતાનું કામ કરીને પુરા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. જો આમાંનો એક અવયવ પણ ખરાબ થાય તો પુરા શરીરનું સંતુલન બગડી જાય છે. તેથી આપની ફરજ છે કે, તમામ અવયવોની યોગ્ય માવજત કરી તેને તંદુરસ્ત રાખવા.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ચાલો તમને પહેલા શરીરના સૌથી મોટા-મોટા અવયવોની માહિતી આપીએ તે તમારું જ્ઞાન વધારવા ઉપયોગી થશે. આપણા શરીરના ટોપ- ૧૦ મોટા અવયવો નીચે મુજબ છે.

(1)ચામડી – શરીરનું સૌથી મોટુ અવયવ છે. અંદાજે તેનું એવરેજ કુલ વજન 1.8 કિ.ગ્રા.જેટલું  હોય છે.  (2) લીવર 1560 વજન ગ્રામ હોય છે. (3) મગજ  126૩ ગ્રામ  (4) ફેફસા 1090 ગ્રામ (5) હદય 315 ગ્રામ(પુરુષ) અને 265 ગ્રામ (સ્ત્રી)  (6) કીડની 290 ગ્રામ   (7) બરોળ 170 ગ્રામ (8) સ્વાદુપિંડ 98 ગ્રામ  (9) થાઈરોઈડ 35 ગ્રામ  (10) પ્રોસ્ટેટ ગ્રંથી ૨૦ ગ્રામ.

આજે આપણે વાત કરવાની છે આપણા શરીરના બીજા નંબરના સૌથી મોટા અવયવ “લીવરની”. આપણા શરીરમાં લીવર પણ એક મહત્વનું અંગ છે. તે આપણા શરીરમાં પેટની ઉપર જમણા ભાગમાં આવેલું હોય છે. લીવર આપણા શરીરમાં રહેલા દુષિત પદાર્થને ફિલ્ટર કરીને આપણા લોહીને શુદ્ધ બનાવે છે અને આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તમને ખબર નહિ હોય પણ આપણું લીવર શરીરના લગભગ 350 કરતા પણ વધુ કર્યો કરવામાં મદદ કરે છે. કોઈ કામ સીધી રીતે કરે છે અને કોઈ કોઈ કામ બીજા અંગો જેમકે, આંતરડા, કીડની, હદય, મગજ વગેરે સાથે સાંકળીને કરે છે.

પણ જયારે શરીરમાંનું લીવર નબળું પડે ત્યારે આપણા શરીરમાં મોટા ભાગના કામ ખોરવાઈ જતા હોય છે. તેમજ અગણિત બીમારીઓનો સામનો કરવાનો સમસ્ય આવી જાય છે. પણ જયારે આપણું લીવર થોડું નબળું પડે ત્યારે આપણું શરીર આપણને નાની બીમારીઓ રૂપે સંકેત આપે છે. જો તે બીમારીઓને આપણે અવગણીએ તો આપણને લાંબા સમયે અસાધ્ય બીમારીઓ થઇ શકે છે.

તો ચાલો જોઈએ કે તે ક્યાં સંકેત છે કે, જેનાથી ખબર પડી શકે કે આપણું લીવર ખરાબ કે નબળું પડતું જાય છે.

(1) પેટનું વારંવાર ખરાબ રહેવું કે વધુ પડતા ઓડકાર ખાવા.

પેટનું વારંવાર ખરાબ રહેવું, ગભરામણ થવી, વધુ પડતા ઓડકાર ખાવા, અપચો રહેવો આ બધા લીવર ખરાબ હોવાના શરૂઆતના લક્ષણ છે. જયારે શરીરમાં બહુ દુષિત પદાર્થની માત્ર વધી જાય ત્યારે આપણું લીવર બરોબર ખોરાક પચાવી શકતું નથી. તેનાથી ચયાપચયની ક્રિયા ઠીકથી થઇ શકતી નથી. જો આવી પેટની બીમારી તમને વારંવાર થતી હોય તો કદાચ આનો સબંધ તમારા લીવર સાથે પણ હોય શકે છે. તેથી ડોક્ટર પાસે જઈને લીવરની તપાસ કરાવવી જરૂરી છે.

(2) વજન સામાન્ય કરતા વધુ વધી જવો.

શરીરના વધુ પડતા દુષિત પદાર્થોને લીધે જયારે લીવર પર વધુ ભાર વધે છે ત્યારે લીવરમાં રહેલા ટોક્સીન્સ શરીરના ફેટ સેલ્સમાં જમા થવા લાગે છે. અને ધીમે ધીમે ચરબી વધતી જાય છે. આ ચરબી લાંબા સમયે મોટાપા તરીકે પણ ઓળખવા લાગે છે. જે લોકો નિયમિત જીમ કરતા હોય તેમ છતાં તેની ચરબી તેમજ વજનમાં જરા સરખો પણ ફેર ના પડતો હોય તો તેમને એક વાર લીવર તરફ પણ નજર કરી લેવી જોઈએ.

(3) મોં માંથી દુર્ગંધ આવવી.

આપણી કેટલીક ખરાબ ખાનપાનની રીતને લીધે મો માંથી ખરાબ દુર્ગંધ આવવા લાગે છે. તમને ખબર જ હશે કે આપણા શરીરના અંગો એક બીજા સાથે સાંકળીને કાર્ય કરે છે, જયારે લીવર ખરાબ થાય તો તેનાથી પેટ પણ ખરાબ થાય છે પરિણામ સ્વરૂપ આપણા મોં માંથી ખરાબ દુર્ગંધ આવવા લાગે છે. જો સરખું મોં સાફ કાર્ય પછી પણ દુર્ગંધ આવે તો લીવર પર ધ્યાન આપવું આવશ્યક છે.

(4) પગમાં તેમજ ઘૂંટીમાં સોજા ચડવા.

જયારે આપનું લીવર ખરાબ હોય ત્યારે તે ખુદ જ આપમેળે ઠીક થવાની કોશિશ કરે છે. જયારે લીવર આટલું બધું કામ એક સાથે કરે છે ત્યારે તે ખુબજ ધીમું પડી જાય છે. તેનાથી આપણા શરીરના નીચલા ભાગમાં એટલે કે, ગોઠણથી નીચેના ભાગમાં સોજો આવવા લાગે છે. આ સોજો મોટાભાગે પગ અને ઘૂંટીમાં સોજો આવવા લાગે છે. આ સોજામાં આમ તો ક્યારેય દુખાવો થતો નથી. પણ આ સોજાને નજરઅંદાજ કરવા નહિ.

(5) આંખો, ત્વચાનો રંગ પીળો થવો.

મોટે ભાગે આપણે પીળા રંગની બિમારીને કમળાના નામથી ઓળખીએ છીએ. પણ આ કમળો જ લીવર ખરાબ થવાથી થાય છે. જયારે લીવર નબળું પડી જાય છે ત્યારે શરીરમાં “બીલુરુબીન” નામના પીળા રંગના તત્વની માત્ર વધી જાય છે. આ તત્વ વધવાનું એક કારણ લીવરનું નબળું પડવું પણ છે.

(6) ભૂખ ઓછી લાગવી.

જયારે આપણને ભૂખ ઓછી લાગે છે ત્યારે તેનું એક કારણ લીવરનું ખરાબ થવું પણ છે, કેમ કે જયારે આપણું શરીર ઠીકથી પાચન નથી કરી શકતું તેથી શરીરની સીસ્ટમ ધીમી પડી જાય છે, અને આપણને ભૂખ ઓછી લાગે છે. જમ્યા બાદના ઉબકા, ચક્કર, અપચો એ બધા નબળા લીવરના લક્ષણો પણ કહેવાય છે.

(7) વધુ પરસેવો વાળવો.

જયારે આપણને જરૂર કરતા પણ વધુ પરસેવો વળે છે ત્યારે તે પણ આપણા લીવર માટે ઠીક સંકેત નથી કેમ કે, જેમ થાકી ગયેલું એન્જીન વધુ ગરમ થાય છે તેમ આપણું ખરાબ લીવર પણ વધુ ગરમી પેદા કરે છે અને તેનાથી શરીરનું તાપમાન પણ ગરમ રહે છે તેથી આપણને જરૂરત કરતા પણ વધુ પરસેવો થાય છે.

આ હતા કેટલાક એવા લક્ષણો કે, જેનાથી ખબર પડે કે આપણા લીવરની તંદુરસ્તી થોડી ઓછી થઇ ગઈ છે તેથી આપણે લીવરને તંદુરસ્ત રાખવા માટે ના પ્રયત્નો શરુ કરી દેવા જોઈએ અને ડોક્ટરની સલાહ પણ લઇ લેવી જોઈએ.

જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરીને અમને પ્રોત્સાહન આપી શકો છો. તમારા પ્રોત્સાહન થી અમે વધુ સારા લેખો પોસ્ટ કરવા પ્રોત્સાહિત થઈશું.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

Tags: bilirubinfathealthliverliver problemsmetabolismweight
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
રાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. – (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)

રાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. - (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)

શ્રીકૃષ્ણએ કહ્યું : કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી ..

શ્રીકૃષ્ણએ કહ્યું : કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહિલાઓને અન્ડરગારમેન્ટ પહેરવા પર થાય છે સજા… જાણો આ દેશો મહિલાઓ વિશે રાખે છે આવા વિચારો..

મહિલાઓને અન્ડરગારમેન્ટ પહેરવા પર થાય છે સજા… જાણો આ દેશો મહિલાઓ વિશે રાખે છે આવા વિચારો..

June 25, 2019
આ એક કામ જો તમે વિસર્જન સમયે કરી નાખશો તો,…. રિદ્ધિ સિદ્ધિ દુર કરી દેશે તમારા તમામ કંગાળ યોગને

આ એક કામ જો તમે વિસર્જન સમયે કરી નાખશો તો,…. રિદ્ધિ સિદ્ધિ દુર કરી દેશે તમારા તમામ કંગાળ યોગને

September 23, 2018
આ લીલી ઔષધી શરીર માટે છે 100% ચમત્કારિક, પેટ, પાચન અને શરીરને સાફ કરી, હૃદય અને ત્વચાને રાખશે સાફ… શરીરના ઝેરી તત્વો નીકળી જશે બહાર….

આ લીલી ઔષધી શરીર માટે છે 100% ચમત્કારિક, પેટ, પાચન અને શરીરને સાફ કરી, હૃદય અને ત્વચાને રાખશે સાફ… શરીરના ઝેરી તત્વો નીકળી જશે બહાર….

September 2, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.