Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

કોઈ વાત પર અડગ નથી રહી શકતા? હિંમત હારી જાવ છો? વિવેકાનંદની આ એક વાત જાણી લો.. પર્વત જેમ અડગ રહેશો

Social Gujarati by Social Gujarati
May 8, 2019
Reading Time: 2 mins read
0
કોઈ વાત પર અડગ નથી રહી શકતા? હિંમત હારી જાવ છો?  વિવેકાનંદની આ એક વાત જાણી લો.. પર્વત જેમ અડગ રહેશો

કોઈ વાત પર અડગ નથી રહી શકતા? હિંમત હારી જાવ છો? વિવેકાનંદની આ એક વાત જાણી લો.. પર્વત જેમ અડગ રહેશો

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે આપણા કર્મોનું ફળ આપણને અહીં જ મળે છે અને આ વાતને ધ્યાનમાં રાખીને ઘણા લોકો તેનું પાલન પણ કરતા હોય છે. પરંતુ જે લોકો પુરેપુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કર્તવ્ય પાલન કરે છે તેમને પણ ક્યારેક દુઃખોનો સામનો કરવો પડતો હોય છે. બીજી બાજુ અનીતિથી ચાલતા વ્યક્તિઓ ખુબ ખુશ હોય છે ત્યારે આપણા મનમાં એવો સવાલ આવે કે મેં તો કોઈનું કંઈ ખરાબ નથી કર્યું તો મારી સાથે કેમ ખરાબ થાય છે ? ત્યાર બાદ આપણે ક્યારેક પોતાને અથવા તો ભગવાનને કોસતા હોઈએ છીએ.

તો આજે આ જ વાત અમે એક ખુબ જ સરસ વાર્તા અને સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સંવાદ દ્વારા સમજાવીશું. મિત્રો જે લોકો કર્મના સિદ્ધાંત પર ચાલે છે. તે લોકોએ આ સંપૂર્ણ લેખ અવશ્ય વાંચવો જોઈએ. આ લેખ વાંચ્યા બાદ દરેક દુઃખોનો સામનો તમે નીડરતાથી હસતા હસતા કરી શકશો.

મિત્રો સૌથી પહેલા આપણે આ વસ્તુને એક વાર્તા દ્વારા સમજીએ. એક ગામમાં એક વેપારી રહેતો હતો. તે એક કૃષ્ણ ભક્ત હતો તેથી તે દરેક કાર્યો પ્રમાણિકતાથી કરતો, ક્યારેય કોઈનું ખોટું ન કરતો અને ભગવાનને રોજ પ્રાર્થના કરતો. સવારે તે રોજ મંદિરે જતો ત્યાર બાદ જ પોતાની ઓફિસે જતો.

હવે મિત્રો બને છે એવું કે તે જે મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં રોજ સવારે એક ચોર પણ આવે છે, તે મંદિરે દર્શન કરવા આવે અને ચોરી કરીને જતો રહે. જાનવરો અને માણસોને સતાવતો તેમજ દારુ પીતો અને જુગાર રમતો. જેટલો વેપારી સારો માણસ હતો તેટલો જ દુરાચારી ચોર હતો.

એક દિવસ ખુબ વરસાદ હતો તો મંદિરમાં કોઈ આવ્યું ન હતું ત્યારે પેલો ચોર ત્યાં પહોંચી ગયો અને મોકાનો ફાયદો ઉઠાવીને મંદિરમાં રહેલું ધન ચોરીને ભાગી ગયો. ત્યાર બાદ  વેપારી મંદિરે આવ્યો તો લોકોને એવું લાગ્યું કે મંદિરમાં વેપારીએ ચોરી કરી છે અને લોકો તેના પર આરોપો લગાવવા લાગ્યા. વેપારીએ પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ ત્યાં તો લોકો તેને મારવા લાગ્યા.

ત્યાર બાદ વેપારી એન કેન પ્રકારે ત્યાંથી જીવ બચાવીને બહાર ભાગ્યો ત્યાં તે એક ઝડપથી આવતી કાર સાથે અથડાયો અને પડી ગયો. આ ઘટનામાં કાર માંથી એક બેગ બહાર પડી ગઈ. આ બેગ પેલો ચોર જોઈ ગયો અને તેને બેગ લઇ લીધું અને તેમાં જોયું તો તેમાં અઢળક પૈસા હતા. આ જોઈ ચોર ખુબ જ ખુશ થઇ ગયો અને બેગ લઈને ત્યાંથી જતો રહ્યો.

આ ઘટના બાદ વેપારી ખુબ ગુસ્સે થયો અને ભગવાન પરથી જાણે તેને વિશ્વાસ જ ઉઠી ગયો. ઘરે આવ્યો અને ભગવાનના ફોટા હતા તે ફેંકી દીધા અને બાળકો તેમજ પત્નીને પણ ભગવાનની ભક્તિ કરવાની ના પાડી દીધી અને કહેવા લાગ્યો ભગવાન જેવું કંઈ છે જ નહિ તે માત્ર એક ભ્રમ છે. જો ભગવાન હોત તો મારી સાથે આટલું ખરાબ ન થવા દે અને પેલા ચોરનુ આટલું સારુ ન થયું હોત. માટે ભગવાન છે જ નહિ તેવું સાબિત થઇ ગયું.

ત્યાર બાદ વેપારી રાત્રે સમગ્ર ઘટનાનો વિચાર કરતા કરતા સુઈ ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેના સપનામાં આવ્યા અને તેને જણાવ્યું  કે આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ હતો. કારણ કે આગળના જન્મમાં તે પણ એક વાર આવી જ રીતે નિર્દોષ મનુષ્ય પર કાર ચલાવી હતી પરંતુ તારા આ જન્મના સારા કર્મોના લીધે તું બચી ગયો અને પેલા ચોરને પાછળના જન્મના કર્મોના કારણે આ જન્મમાં રાજભોગ મળવાનો હતો. પરંતુ તેના આ જન્મના ખરાબ કર્મોના કારણે તેને અમુક પૈસા જ મળ્યા.

તો મિત્રો આ વાર્તા પરથી એક ખુબ જ સારી શીખ મળે છે કે આપણે ભગવાન પર વિશ્વાસ રાખીને આપણા કર્મો કરવા જોઈએ. જો આ રીતે આપણે કર્મો કરીએ તો કદાચ આપણી સાથે કંઈ ખરાબ થવાનું હોય છે તેના કરતા થોડું ઓછું ખરાબ થાય છે અને એક વાત હંમેશા યાદ રાખવી કે આપણા કર્મો જ આપણું ભવિષ્ય લખે છે.

હવે આ જ વાતનો એકદમ સચોટ અને સરળ જવાબ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના સંવાદ પરથી મળે છે. તો તે પણ જાણી લઈએ.

એક વાર સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ પરમહંસને પ્રશ્ન પૂછ્યો કે સારા માણસો દુઃખી કેમ રહે છે.

ત્યારે તેમના ગુરુએ જણાવ્યું કે હીરો ઘસાયા વગર અને સોનું તપ્યા વગર ચમકતું નથી. માટે ભગવાન સારા માણસોને દુઃખ નથી આપતા પણ તેની પરીક્ષા લેતા હોય છે. તે દુઃખો જિંદગીના અનુભવો હોય છે અને તે અનુભવોના કારણે જ વ્યક્તિ આગળ વધે છે. કડવા અનુભવો એક શિક્ષક જેવા હોય છે જે વ્યક્તિની પરીક્ષા લે છે અને એક શીખ આપીને જાય છે.

ત્યારે વિવેકાનંદજી એ જણાવ્યું કે આ સમસ્યાઓ સંભાળવી મુશ્કેલ થઇ જાય છે. ત્યારે ગુરુ જણાવે છે કે આપણી આંખ દ્રશ્ય જુએ છે જ્યારે દિલ રસ્તો બતાવે છે માટે તમારી આ સમસ્યાઓનું નિવારણ પણ તમને અંદરથી મળી રહેશે.

Swami Vivekanandત્યારે ફરી સ્વામી વિવેકાનંદ પૂછે છે કે, “શું અસફળતા દુઃખ નથી આપતી?” ત્યારે તેમના ગુરુ જણાવે છે કે,  “સફળતા અને અસફળતા તો બીજા જુએ છે પરંતુ એક વ્યક્તિ તો પોતાની સંતુષ્ટિ જુએ છે.” અને છેલ્લે સ્વામી વિવેકાનંદ પૂછે છે કે, “કોઈ વ્યક્તિ દરેક સમયે મોટીવેટેડ કંઈ રીતે રહી શકે ?” ત્યારે પરમહંસજી ખુબ જ સરસ વાત જણાવે છે કે, “તમે દરેક વખતે એ જુઓ કે તમે ક્યાં પહોંચી ગયા છો એ નહિ કે તમે ક્યાં પહોંચશો, તમને જે મળ્યું છે એ જુઓ તમને જે નથી મળ્યું તેની માટે રડો નહિ.”

પરમહંસ જણાવે છે કે, “દુઃખ આવે ત્યારે દરેક લોકો એવું કહે છે કે મને જ કેમ દુઃખ મળે છે ?  પરંતુ સુખના સમયે કોઈ એવું નથી કહેતું કે મને જ કેમ સુખ મળે છે. માટે આપણે જીવનમાં વ્યર્થ ચિંતા છોડીને ભૂતકાળનો સામનો પસ્તાવો કર્યા વગર કરવો જોઈએ. વર્તમાનનો સામનો સંપૂર્ણ સાહસથી કરવો જોઈએ અને ભવિષ્ય માટે નીડરતા પૂર્વક તૈયાર રહેવું જોઈએ.

જો મિત્રો આ લેખ તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ કારણ કે આ લેખ દ્વારા ઘણા લોકોને પોતાના દુઃખ સામે લડવાની તાકાત મેળવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: godhonestlyhurttempeltheory of karma
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
દિવસ માં ૧ વાર શંખ વગાડવાથી ઘરમાં થાય છે આ ખાસ અસર | આ લેખ વાંચી તમે પણ ઘરમાં શંખનાદ કરશો.

દિવસ માં ૧ વાર શંખ વગાડવાથી ઘરમાં થાય છે આ ખાસ અસર | આ લેખ વાંચી તમે પણ ઘરમાં શંખનાદ કરશો.

આ જગ્યા પર વર્ષમાં એક દિવસ સમુદ્રનું પાણી થઇ જાય છે લાલ. | કારણ જાણીને તમે હેરાન રહી જશો.

આ જગ્યા પર વર્ષમાં એક દિવસ સમુદ્રનું પાણી થઇ જાય છે લાલ. | કારણ જાણીને તમે હેરાન રહી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે દેશની સૌથી સસ્તી CNG કાર, 85 રૂપિયામાં ચાલે છે પુરા 35 કિલોમીટર… જાણો કંઈ ગાડી આપે છે વધુ એવરેજ….

આ છે દેશની સૌથી સસ્તી CNG કાર, 85 રૂપિયામાં ચાલે છે પુરા 35 કિલોમીટર… જાણો કંઈ ગાડી આપે છે વધુ એવરેજ….

February 1, 2023
જાણો ભારતના વીર શહીદ જવાન વિશે મેજર શેતાન સિંહ વિશે,  જેનાથી યુદ્ધ પછી પણ ડરતું રહ્યું ચીન.

જાણો ભારતના વીર શહીદ જવાન વિશે મેજર શેતાન સિંહ વિશે, જેનાથી યુદ્ધ પછી પણ ડરતું રહ્યું ચીન.

June 22, 2020
આ જગ્યાએ ડુંગળી-બટેટાના ભાવે વેંચાય છે મોટા ટબ્બા જેવા કાજુ, ભાવ જાણી તમને પણ વિશ્વાસ નહિ આવે… જાણો સૌથી સસ્તા કાજુ ક્યાં મળે…

આ જગ્યાએ ડુંગળી-બટેટાના ભાવે વેંચાય છે મોટા ટબ્બા જેવા કાજુ, ભાવ જાણી તમને પણ વિશ્વાસ નહિ આવે… જાણો સૌથી સસ્તા કાજુ ક્યાં મળે…

February 1, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.