Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ટૂંકી વાર્તાઓ

વિક્રમ-વૈતાળ (વાર્તા- 12 )… બ્રામ્હણને સિદ્ધિ શા માટે ના મળી ?…. જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

Social Gujarati by Social Gujarati
July 6, 2018
Reading Time: 15 mins read
0
વિક્રમ-વૈતાળ (વાર્તા- 12 )… બ્રામ્હણને સિદ્ધિ શા માટે ના મળી ?…. જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

ભાગ ૧૨ / બ્રામ્હણને સિદ્ધી શા માટે ન મળી ?

વિક્રમે ફરી વેતાળને પોતાની પીઠ પર ઉપાડ્યો અને આગળ ચાલતો થયો અને હંમેશની જેમ વેતાળે વાર્તા શરૂ કરી.

RELATED POSTS

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

વાત છે ઉજ્જૈન નગરીની. તે નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. અત્યંત ગરીબ . તેને ત્રણ સંતાન હતા,  બે પુત્ર અને એક નાની પુત્રી એમ ત્રણ સંતાન હતા. તે તેની પત્ની અને સંતાન સાથે ગરીબીનું જીવન ગળતો હતો. તેનો મોટો પુત્ર હતો ગુણકર . તેને એક ખરાબ લત હતી. ઘરેથી પૈસા ચોરી જુગાર રમવાની ટેવ હતી.

Image Source :

એક દિવસની વાત છે. જ્યારે રાત્રે બ્રાહ્મણ સુતો હતો ત્યારે તેણે રાખેલ પૈસા ગુણકર ચોરી જુગાર રમવા જતો રહ્યો. ગુણકર જુગારમાં ચોરેલા પૈસા હારી રહ્યો હતો.

બીજી બાજુ ઘરે બ્રાહ્મણ અને તેનું પરિવાર સુતા હતા. ત્યાં દરવાજે કોઈએ દસ્તક આપી. બ્રાહ્મણે દરવાજો ખોલ્યો તો શાહુકારના માણસો હતા. તે પૈસાની ઉઘરાણી કરવા આવ્યા હતા. તેઓ એ ધાક ધમકી આપી બ્રાહ્મણ પાસે પૈસા માગ્યા. બ્રાહ્મણ તેના ઓશિકા નીચેથી પૈસા કાઢવા ગયો. તો તેણે જોયું કે ત્યાંથી  પૈસા  ગાયબ હતા. તે પૈસા ગુણકર ચોરી જુગાર રમવા લઇ ગયો હતો. પૈસા ન આપવાથી શાહુકારના માણસો બ્રાહ્મણને મારી મારી ને શાહુકાર પાસે લઇ ગયા. અને ત્યાં પણ ખુબ જ માર્યો.   Image Source : 

અને તેને બંદી બનાવવા આજ્ઞા કરી અને ઘરે કહેડાવ્યું કે, જ્યાં સુધી તેના પરિવાર વાળા પૈસા નહિ ચૂકવે ત્યાં સુધી તેને છોડશે નહિ. ત્યાં તેની પત્ની પોતાના બચેલા ઘરેણા લાવી શાહુકારને આપી બ્રાહ્મણને છોડાવ્યા. અને ઘરે આવ્યા.

ત્યાં પેલી બાજુ ગુણકર ઘરેથી ચોરેલા પૈસા જુગારમાં હારી ગયો. હાર્યા બાદ જુગારીઓને કોણ રાખે. તે ઘરે ગયો અને જોયું કે તેના પિતાજીને ખુબ જ માર પડ્યો હતો. તેનાથી તેના પિતા પીડાતા હતા. તે જોઈ ગુણકારને મનમાં ખુબ જ દુઃખ થયું. તેના પિતાજીએ ગુણકરને જોયો ખુબ જ ગુસ્સે થયા. અને તેને ઘરની બહાર કાઢી મુક્યો.

Image Source :

ગુણકરે રાતો રાત ઘર છોડ્યું અને નગર પણ છોડ્યું. તે આગળ આગળ ચાલતો ગયો. ત્યારે તેણે જોયું કે દુનિયામાં દયા, સ્નેહ ક્યાંય હોતા નથી. તેની માતાની જેમાં કોઈ થાળી પીરસતું ન હતું. તેને ખબર પડી કે કંઈ કર્યા વગર કંઈ જ મળતું નથી. એક વખત ગુણકરને  ખાવાનું ન મળતા તેની શારીરિક હાલત બગડી. શરીર દુર્બળ અને નબળું પડ્યું અને તેને ચક્કર આવવા લાગ્યા. ત્યાંથી એક સાધુ પસાર થયા તેણે ગુણકરને જોયો તેને ભાનમાં લાવી તે સાધુ પોતાની  જગ્યાએ લઇ ગયો.  ગુણકરે સાધુને વિનંતી કરી કે મારે ભોજન કરવું છે મને કંઇક ભોજન આપો. ત્યારે સાધુએ મંત્ર દ્વારા એક પાંદડું ઉત્પન્ન કર્યું અને તેને ખાવા માટે આપ્યું. ત્યારે તે પાંદડું ખાતા જ તેની ભૂખ સંતોષાઈ ગઈ. તેણે આ ચમત્કાર વિશે સાધુને પૂછ્યું. પરંતુ સાધુએ તેને કંઈ જણાવ્યું નહિ.

Image Source :

અને તેને ગુફામાં અંદર આરામ કરવા કહ્યું. પરંતુ ગુણકર અંદર જાય છે ત્યાં તો ચમત્કાર જોઈ આશ્વર્યમાં પડી ગયો. ગુફાની અંદર તો મહેલ હતો તેમજ એક સુંદર કન્યા તેની સેવા માટે ઉભી હતી. આ જોઈ તે પાછો સાધુ પાસે ગયો. અને તેની પાછળનું રહસ્ય પૂછ્યું, ત્યારે સાધુએ જણાવ્યું કે તેણે તે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તપસ્યા કરી તેથી જ તેવા ચમત્કાર થઇ રહ્યા છે.

આ જાણી ગુણકરને પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની લાલસા જાગી. તેણે ગુરુજીને તે વિદ્યા શીખવવા વિનંતી કરી. પરંતુ સાધુએ તેને સમજાવ્યો કે તે ખુબ જ કઠીન છે. પરંતુ ગુણકર ન માન્યો. અને અંતે ગુરુજી તે શીખવવા માટે તૈયાર થયા. અને જણાવ્યું કે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે બે ચરણો છે. તેમાંથી પસાર થઈશ ત્યારે તને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. બે ચરણમાંથી પહેલું ચરણ ગુરુજીએ જણાવ્યું કે, તેમાં ગુણકર તારે ધ્યાન, મંત્ર પાઠ, યોગ અને ઘોર તપસ્યા કરવાની રહેશે.

Image Source:

ગુરુની વાત જાણી ગુણકર ઘોર તપસ્યા, ધ્યાન અને મંત્રોચાર તેમજ કઠોર યોગમાં લાગી  ગયો. અને અંતે તેની મહેનતમાં સાકાર થયો અને તેના પહેલા ચરણમાં ગુણકરને સફળતા પ્રાપ્ત થઇ. ગુરુજીએ તેની પ્રશંસા કરતા તેને બીજું ચરણ સાધનાનું જણાવ્યું. પરંતુ ગુણકરે ગુરુજીને વિનંતી કરી કે સાધના પહેલા તે એક વાર ઘરે જઈ તેના પરિવારને મળવા માંગે છે. ગુરુજીએ કહ્યું કે, જેવી તારી ઈચ્છા. પરંતુ ગુણકરે ગુરુજી પાસે ઘરવાળા લોકો માટે ભેટ માંગી તેમજ પૈસા માંગ્યા. ગુરુજીએ ગુણકરના ઘરના લોકો માટે કપડા આપ્યા ભેટ રૂપે અને મોહરો પણ આપી. ગુણકર ખુશ થઇ આ બધું પોતાના ઘરે લઇ ગયો. અને ઘરવાળાઓ આ જોઈ ખુબ જ ખુશ થયા. અને આની પાછળનું કારણ પૂછ્યું, ત્યારે ગુણકરે સિદ્ધિ વિશે જણાવ્યું.Image Source : 

થોડા દિવસ ઘર સંચારમાં રહી તે પાછો  ગુરુજી પાસે આવ્યો અને ગુરુજીની આજ્ઞા લઇ સાધના કરવા લાગ્યો.

ખુબ સાધના કર્યા બાદ તે ગુરુજી પાસે આવ્યો અને ગુરુજીને જણાવ્યું કે, “હવે તો મને એ સિદ્ધિ પ્રાપ્ત થઇ ગઈ હશે, મેં ખુબ જ ઘોર તપ અને સાધનાઓ પ્રાપ્ત કરી છે.” ત્યારે ગુરુજીએ કહ્યું કે કંઈ ખાવાનું આપ. ત્યારે ગુણકરે ખુબ જ મંત્રોચાર કર્યો પરંતુ કશું જ ઉત્પન્ન ન થયું. અને તે ગુસ્સે થઇ ગયો કે તેને સાધના કર્યા બાદ પણ સિદ્ધિ શા માટે પ્રાપ્ત ન થઇ.

આટલી વાર્તા કહી વેતાળે અહીં વાર્તાને અટકાવી વિક્રમને પ્રશ્ન પૂછ્યો કે, “ગુણકરને આટલું ઘોર તપ, કઠીન યોગ, મંત્રપાઠ તથા સાધના બાદ પણ તે પરમ સિદ્ધિ શા માટે પ્રાપ્ત ના કરી શક્યો ?”

Image Source :

ત્યારે વિક્રમે જવાબ આપતા કહ્યું, “ગુણકરે મહેનત કરી તેમાં કોઈ સંદેહ નથી. પરંતુ તે એક ભૂલ કરી બેટો તે સાધના વચ્ચે તે સાધનને  છોડીને ઘરે ચાલ્યો ગયો. તે થોડી વાર માટે તો થોડી વાર માટે પણ ઘર સંસારમાં ભટક્યો. તેથી તેને તે સિદ્ધિઓ પ્રાપ્ત ના થઈ. અને આગળ વિક્રમે જણાવતા કહ્યું, “સિદ્ધિઓ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણું સંપૂર્ણ ધ્યાન તેના પર જ કેન્દ્રિત કરવામાં આવે. મોહ, માયા લાલસાથી પર થઇ તેના પર ધ્યાન આપવામાં આવે ત્યારે.”

વેતાળ વિક્રમનો જવાબ સાંભળી ખુબ જ પ્રસન્ન થયો અને વિક્રમની બુદ્ધિની પ્રશંસા કરતો પાછો ઉડીને ઝાડ પર લટકાઈ ગયો.

પરંતુ મિત્રો આ વાર્તામાંથી ખુબ જ સુંદર બોધ મળે છે. કે માણસે પોતાના લક્ષ્ય પર અડગ રહેવું જોઈએ. જો તે પોતાનું સમગ્ર ધ્યાન પોતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં લગાવે તો તે પ્રાપ્ત કરતા કોઈ અટકાવી શકતું નથી. તે માણસના મનના દ્રઢ નિશ્વય પર આધારિત છે.

Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Tags: GOOD KINGINDIAN HISTORYINDIAN SHORT STORYKING VIKRAMSAMRATTELLSVAITALVIKRAM VIKRAM
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….
ટૂંકી વાર્તાઓ

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

September 9, 2022
પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે
ટૂંકી વાર્તાઓ

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

December 16, 2022
જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું
ટૂંકી વાર્તાઓ

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

April 10, 2021
આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.
Inspiration

આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.

June 5, 2019
18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……
ટૂંકી વાર્તાઓ

18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……

June 3, 2019
કરોડપતિના ઘરે દીકરીના લગ્ન કરતા પહેલા આ વાત અવશ્ય જાણો… આ તાજો બનેલો દાખલો તમારી આંખ ખોલી દેશે
ટૂંકી વાર્તાઓ

કરોડપતિના ઘરે દીકરીના લગ્ન કરતા પહેલા આ વાત અવશ્ય જાણો… આ તાજો બનેલો દાખલો તમારી આંખ ખોલી દેશે

May 30, 2019
Next Post
જો અમીર બનવું હોય તો જાણો તમારે આ ૩ માંથી ક્યાં રસ્તે ચાલવું જોઈએ…કેમ ૯૦% મિડલ ક્લાસ હોય છે જાણો અહીં.

જો અમીર બનવું હોય તો જાણો તમારે આ ૩ માંથી ક્યાં રસ્તે ચાલવું જોઈએ...કેમ ૯૦% મિડલ ક્લાસ હોય છે જાણો અહીં.

૪૦ ના હશો તો પણ લાગશો ૨૫ ના…કોઈ પણ દવા વગર મેળવો સેલીબ્રેટી જેવી ત્વચા…જાણો કેવી રીતે

૪૦ ના હશો તો પણ લાગશો ૨૫ ના...કોઈ પણ દવા વગર મેળવો સેલીબ્રેટી જેવી ત્વચા...જાણો કેવી રીતે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શાકાહારી લોકો માટે આનું સેવન છે વરદાનસમાન,આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમની ખામીથી આપશે કાયમી છુટકારો… જાણો ખાવાની રીતે અને અદ્દભુત ફાયદા…

શાકાહારી લોકો માટે આનું સેવન છે વરદાનસમાન,આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમની ખામીથી આપશે કાયમી છુટકારો… જાણો ખાવાની રીતે અને અદ્દભુત ફાયદા…

May 2, 2022
મેગી મસાલો ખાવાનો અને તેનો ઉપયોગ કરવાનો ચટકો હોય, ખાસ વાંચો આ માહિતી નહિ તો પછી પસ્તાશો… જાણો આ પાછળનું કાળું રહસ્ય..

મેગી મસાલો ખાવાનો અને તેનો ઉપયોગ કરવાનો ચટકો હોય, ખાસ વાંચો આ માહિતી નહિ તો પછી પસ્તાશો… જાણો આ પાછળનું કાળું રહસ્ય..

September 16, 2022
રાત્રે સુતા પહેલા એક ચમચી હુંફાળા દૂધ સાથે આનું ગાયબ કરી દેશે. તાવ, શરદી, સાંધાના દુખાવા સહિત 10 બીમારીઓમાં છે રામબાણ. ક્યારેય નહિ થાય કબજિયાત અને એસીડીટી..

રાત્રે સુતા પહેલા એક ચમચી હુંફાળા દૂધ સાથે આનું ગાયબ કરી દેશે. તાવ, શરદી, સાંધાના દુખાવા સહિત 10 બીમારીઓમાં છે રામબાણ. ક્યારેય નહિ થાય કબજિયાત અને એસીડીટી..

August 31, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.