Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

વિક્રમ-વૈતાળ (વાર્તા- 6)… કન્યાનો વર કોણ ? વિદ્વાન, શિલ્પી કે વીર…. જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

Social Gujarati by Social Gujarati
June 24, 2018
Reading Time: 2 mins read
0
વિક્રમ-વૈતાળ (વાર્તા- 6)… કન્યાનો વર કોણ ? વિદ્વાન, શિલ્પી કે વીર…. જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

કન્યાનો વર કોણ ? ભાગ  – 6

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

રાજા વિક્રમ ફરી પાછા વેતાળને તેના સ્થાન પર થી ઉઠાવીને પોતાના  ખંભા પર બેસાડે છે. અને વેતાળ પાછી નવી વાર્તાની શરૂવાત કરે છે.

  Image Source : 

વાત છે રાજા વિક્રમાંદીત્યના રાજ્ય ઉજ્જૈન નગરીની. પરતું તે સમયે તેનો રાજા વિક્રમાદિત્ય ન હતો. રાજ્યમાં રાક્ષસોનો ખુબ જ ત્રાસ હતો. લોકો તે રાક્ષસોથી ભયભીત રહેતા.

પરંતુ વાત છે રાજાના વિશ્વાસ પાત્ર દૂત અને હરીસ્વામીની. હરીસ્વમીનીને બે સંતાન હતા એક પુત્ર અને એક પુત્રી. તેની કન્યા ખુબ જ ગુણવાન અને કલામાં પારંગત હતી. તે ચિત્ર, સંગીત, નૃત્ય જેવી કલાઓનું જ્ઞાન ધરાવતી હતી.

એક વાર સ્વામિ હરિદાસની સુંદર કન્યા પોતાના ઘરમાં નૃત્યનો અભ્યાસ કરી રહી હતી. ત્યારે એક રાક્ષસ તેના પર મોહિત થઇ તેને જોતો રહ્યો.

Image Source :

ત્યાં હરિદાસના પુત્ર એટલે કે, કન્યાના ભાઈએ તેના માતા પિતાના જણાવ્યું કે મારા અભ્યાસના સમયે નૃત્ય ચાલુ કરી. મને ખલેલ પહોંચાડે છે. આમ તેઓ મીઠો ઝગડો કરતા હતા. ત્યાં તે કન્યા એટલે કે સોમપ્રભાના પિતાએ એક ચિંતા વ્યક્ત કરી કે તું આટલી ગુણવાન અને કલાની જાણકાર છે. હવે તારા માટે સુયોગ્ય વર કઈ રીતે શોધવો. ત્યારે હરિદાસ સ્વામીએ સોમપ્રભાને પોતાની પસંદ જણાવવા કહ્યું ત્યારે પહેલા તો કન્યાએ તેવો જવાબ આપ્યો કે જે તેના પિતાને ગમશે તે તેને ગમશે. પરંતુ પિતાના બીજી વાર પૂછવાથી સોમપ્રભાએ  પોતાની પસંદ જણાવતા કહ્યું કે મારે એવો વર જોઈએ જે ,વીર હોય, વિદ્વાન હોય, અથવા તો વૈજ્ઞાનિક જેવો હોય. પરતું ત્યાં ત્યાં બારીએ રાક્ષસ બધું સંભાળતો હતો તેણે કહ્યું, સોમપ્રભાને તો હું જ લઇ જઈશ. અને આટલું કહી રાક્ષસ ત્યાંથી ચાલ્યો ગયો. ઘરના દરેક સભ્ય રાક્ષસથી ભયભીત થઇ ગયા. સોમપ્રભાનો ભાઈ ગુસ્સે થયો અને વિચારવા લાગ્યો કે આ રાક્ષસને સવા શેર ક્યારે મળશે અને તેનો વિનાશ કરશે.

Image Source :

હરીદાસસ્વામી તે રાજ્યના દૂત હતા. માટે તેમને કોઈને કામ માટે બીજા રાજ્યમાં જવાનું હોય. તો આવી જ રીતે એક સવારે હરીદાસસ્વામી અગત્યના રાજાની મુલાકાતે જતા હતા કે રસ્તામાં ચોર લુટારાઓએ તેમના પર હુમલો કર્યો. એક વીર આ ઘટના જોઈ રહ્યો હતો. તેણે હરિદાસને મુસીબતમાંથી બચાવ્યા અને તેની શક્તિનું પ્રદર્શન કર્યું.

સ્વામી હરિદાસ તેની બહાદુરીથી અત્યંત પ્રસન્ન થયા અને તેનું નામ પૂછ્યું. તે વીરનું નામ હતું વીરસીંગ. હરિદાસજીએ વિચાર્યું કે આ વીર મારી કન્યા માટે યોગ્ય પાત્ર  છે. માટે તેણે વીરસીંગ સામે એક પ્રસ્તાવ મુક્યો. તેની કન્યા સુંદર, ગુણવાન અને અનેક કલાઓની જાણકાર છે, માટે વીરસીંગ અને સોમપ્રભાની જોડી એકદમ યોગ્ય લાગશે. વીરસીંગે તે પ્રસ્તાવ સ્વીકાર્યો અને વિવાહનો દિવસ પણ નક્કી કરી લીધો.

Image Source :

બીજી બાજુ ઘરે એક વિદ્વાને બારણું ખટખટાવ્યું. કન્યાના માતા બહાર આવ્યા અને તેના આવવાનું કારણ પૂછ્યું. કવિએ કહ્યું કે, તેણે સોમપ્રભા ઉપર એક કવિતા લખી છે. તે કવિતા તેને આપવા આવ્યો છું. આગળ જણાવતા કહ્યું કે તેને મંદિરમાં પહેલી જ વાર સોમપ્રભાને જોઈ અને તે તેને એટલી ગમી ગઈ કે તેના ઉપર કવિતા લખ્યા વગર ના રહી શક્યો. ત્યારે કન્યાની માતાએ તેના પિતા વિષે પૂછ્યું. તેના પિતા પંડિત હતા. માતા વિદ્વાન કવિના પિતાને જાણતી હતી તેથી તેણે તેના પિતા પાસે પોતાની કન્યાના લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને વિવાહની તિથી પણ નક્કી થઇ ગઈ.

Image Source:

ત્રીજી બાજુ સોમપ્રભાના ભાઈની મુલાકાત એક શિલ્પી સાથે થઇ તેણે તે શિલ્પીનું વિચિત્ર વાહન જોઇને તેને તેના વાહન વિષે પૂછ્યું ત્યારે શિલ્પીએ તેને તે વાહનમાં બેસાડ્યો અને વિમાનની જેમ આકાશમાં સેર કરાવી. તે વિમાન તે શિલ્પીએ પોતે જ બનાવ્યું તે જાણીને કન્યાના ભાઈને થયું આ શિલ્પી જ તેની બહેન માટે યોગ્ય વાર છે. અને શિલ્પી પોતાની બહેન વિષે જણાવતા તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. શિલ્પીએ તે સ્વીકાર કર્યો અને તેમણે પણ વિવાહની તિથી નક્કી કરી અક્ષય તિથી આ એજ તિથી છે જે દિવસની તિથી કન્યાના પિતાએ વીરસીંગ સાથે નક્કી કરી અને માતાએ કવિ સાથે નક્કી કરી.

હરિદાસસ્વામી, તેનો પુત્ર અને સ્વામીજીની પત્ની ત્રણેય ચર્ચા કરી રહ્યા હતા કે, કન્યાના લગ્ન વિદ્વાન સાથે થશે, કોઈક કહે કે વીરસીંગ સાથે, કોઈક કહે કે શિલ્પી સાથે થવા જોઈએ. આ ત્રણેય જણા પોતે આપેલ વચનમાં અડગ હતા. હવે બધું ભગવાન ભરોસે હતું.

Image Source:

તેટલામાં અક્ષયતિથિ નજીક આવી કન્યાની ઘરે લગ્નની તૈયારીઓ થવા લાગી તે તિથિના દિવસે ત્રણ જાન કન્યાના ઘર તરફ સોમપ્રભા સાથે લગ્ન કરવા આવી રહી હતી. ત્રણેય જણા કન્યાના ઘરે પહોંચ્યા અને દલીલો કરવા લાગ્યા કે સોમપ્રભા સાથે હું લગ્ન કરીશ એવી.

ત્યાં કોઈ ચોથી વ્યક્તિ  કે જેને સોનપ્રભા ઘણા દિવસોથી ખુબ જ ગમતી હતી પરંતુ તે તકની રાહ જોઇને બેઠો હતો તે રાક્ષસ આવી પહોંચ્યો અને સોમપ્રભા મારી છે એવું કરી તેને  ઉપાડીને લઇ ગયો ત્રણેય પરણવા આવેલા યુવાનોએ વિચાર્યું કે સોમપ્રભાને આપણે બચાવવી જોઈએ.

Image Source :

વીરસીંગે કહ્યું કે, રાક્ષસને હું મારીશ અને સોમપ્રભાને બચાવીશ, શિલ્પીએ કહ્યું મારા વિમાનમાં બેસીને તે રાક્ષસને શોધીએ, અને વિદ્વાન એ જણાવ્યું કે હું જાણું છું તે રાક્ષસો કોઈ દિશામાં રહે છે હું રસ્તો બતાવીશ.

આમ ત્રણેય યુવાનો નીકળી પડ્યા કે, શિલ્પીના વિમાનમાં કવિએ બતાવેલા દક્ષીણ દિશા તરફ જવા નીકળ્યા અને રાક્ષસને શોધવા લાગ્યા. આગળ જતા તેમને રાક્ષસ દેખાયો તે સોમપ્રભાને પોતાની સાથે જબરદસ્તી લઇ જતો હતો. વીરસીંગે  વીરતા પૂર્વક પોતાના તીરથી રાક્ષસને માર્યો. અને ત્રણેય યુવાન કન્યાને બચાવી તેના ઘરે પાછી લાવ્યા.

Image Source :

ફરી પાછા ત્રણેય યુવાનોએ દલીલ ચાલુ કરી કે સોમપ્રભા સાથે હું લગ્ન કરીશ. ત્યારે હરિદાસસ્વામીજીએ જણાવ્યું કે આ નિર્ણય સોમપ્રભા જ લેશે. ત્રણેય યુવાનો પણ તે વાતથી સહમત થયા. અને કન્યાના હાથમાં હાર આપી પોતાની પસંદના યુવકને વરમાળા પહેરાવવા કહ્યું. હવે કન્યા પણ વિચારમાં હતી કે તે કોને વરમાળા પહેરાવે પરંતુ તેણે ત્રણમાંથી કોઈ એક યુવાન પાસે જઈ તેને વરમાળા પહેરાવે પરંતુ તેણે ત્રણમાંથી કોઈ એક યુવાન પાસે જઈ તેને વરમાળા પહેરાવી તેની સાથે લગ્ન કર્યા.

આમ, વેતાળે અહીં વાર્તા પૂરી કરી રાજા વિક્રમને કહ્યું કે, “તું તો માણસના મનની વાત જાણવામાં જ્ઞાની છો તેની મનોદશાનો સારો એવો જાણકાર છો માટે તું સોમપ્રભાની દ્રષ્ટિથી વિચાર કે કોણ તેનો વર હશે ? કન્યા કોને વરમાળા પહેરાવશે.”

Image Source : 

પછી ન્યાયની વાત આવતા રાજા વિક્રમાદિત્યએ જવાબ આપતા કહ્યું, “તે યુવાનો ત્રણેય ગુણવાન હતા. એક વિદ્વાન, એક શિલ્પી તો એક વીર. પરંતુ કન્યાનો સાચો પતિ તો તેજ કહેવાય જે તેની રક્ષા કરી શકે કારણકે કોઈ પણ વિશેષ કળા કરતા પ્રાણની રક્ષા કરનાર વધુ વંદનીય છે….માટે કન્યાએ વરમાળા વીર, બળવાન વીરસીંગના ગળામાં પહેરાવી તેને પોતાનો પતિ  બનાવ્યો હશે કારણ કે, વીરસીંગે રાક્ષસ સામે લડીને તે કન્યાના પ્રાણ બચાવ્યા તેથી…..

જવાબ સાંભળીને વેતાળ રાજા વિક્રમાંદીત્યના વખાણ કર્યા  અને શરત મુજબ પાછો પોતાના સ્થાન પર ચાલ્યો ગયો. ફરી આવી કથા લઈને મળીશું.      

Tags: betal pachichipart 6vikram vetalvikram vetal 6who married woman
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
વિક્રમ-વૈતાળ (વાર્તા- 7)… ત્રણ ભાઈઓમાંથી સૌથી વધુ સંવેદનશીલ કોણ..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 7)... ત્રણ ભાઈઓમાંથી સૌથી વધુ સંવેદનશીલ કોણ..?....જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

ગળાનો આ ભયંકર રોગ મટશે હવે ફક્ત આ યોગાસન કરવાથી, દવાની જરૂર પણ નહિ પડે…જાણો કેવી રીતે.

ગળાનો આ ભયંકર રોગ મટશે હવે ફક્ત આ યોગાસન કરવાથી, દવાની જરૂર પણ નહિ પડે...જાણો કેવી રીતે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

62 વર્ષના અભણ નવલબેન દૂધ વહેંચી કમાય છે કરોડો રૂપિયા, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો…..

62 વર્ષના અભણ નવલબેન દૂધ વહેંચી કમાય છે કરોડો રૂપિયા, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો…..

January 5, 2021
રેલ્વે આપી રહી છે પૈસા કમાવવાનો જોરદાર મોકો, દર કરી શકો છો 80 હજાર સુધીની રોકડ કમાણી… જાણો આ બિઝનેસ કરવાની સંપૂર્ણ માહિતી…

રેલ્વે આપી રહી છે પૈસા કમાવવાનો જોરદાર મોકો, દર કરી શકો છો 80 હજાર સુધીની રોકડ કમાણી… જાણો આ બિઝનેસ કરવાની સંપૂર્ણ માહિતી…

December 17, 2021
આ ત્રણ નામ ધરાવતી સાસુને મળે છે દુનિયાની સૌથી સુંદર વહુ અને ભાગ્યશાળી વહુ…. જાણો તે ત્રણ નામ વિશે…..

આ ત્રણ નામ ધરાવતી સાસુને મળે છે દુનિયાની સૌથી સુંદર વહુ અને ભાગ્યશાળી વહુ…. જાણો તે ત્રણ નામ વિશે…..

March 5, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.