Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ 14 બાબાઓ આશ્રમમાં ચલાવતા હતા ગંદો કારોબાર. આજે થઇ ગયા છે જેલ હવાલે. નામ જાણીને દંગ રહી જશો…

Social Gujarati by Social Gujarati
June 20, 2021
Reading Time: 1 min read
2
આ 14 બાબાઓ આશ્રમમાં ચલાવતા હતા ગંદો કારોબાર. આજે થઇ ગયા છે જેલ હવાલે. નામ જાણીને દંગ રહી જશો…

મિત્રો આજે આપણે બધા જાણીએ છીએ કે આપણા સમાજમાં સાધુ સંતો અને મહંતોનું ખુબ જ માન રહ્યું છે. પરંતુ હાલના સમયમાં અમુક એવા પણ ઢોંગી બાબાઓ આપણી વચ્ચે રહેલા છે જેને લોકો ખુબ જ આસ્થાભેર માને છે. પરંતુ હમણાં જ થોડા સમય પહેલા આવા લુખ્ખા બાબાઓના પડદા ખુલી ગયા છે અને સમાજ સામે તેની સાચી છાપ બહાર આવી ગઈ છે. તો આજે અમે તમને તેવા અમુક ભારતના મહાન ઢોંગી બાબાઓ વિશે જણાવશું. જે આજે જેલમાં પોતાના દિવસો ગણી રહ્યા છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

બાબા રામરહીમને જેલ થયા બાદ અખાડા પરિષદે ઢોંગી અને ફરેબી બાબાની એક સૂચી તૈયાર કરી છે. આ સૂચિમાં હિંદુ ધર્મના નામ પર પોતાની અલગ શાખાઓ ચલાવનાર 14 ઢોંગી બાબાઓના નામ છે. અખાડા પરિષદ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ બધા બાબાઓ પર શ્રદ્ધા ન રાખવી જોઈએ અને સરકાર દ્વારા તેના પર લોકોને ધુતવાના આરોપમાં કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. આ બાબાઓએ પોતાને હિંદુ કહીને ઘણા અલગ અલગ પંથો બનાવ્યા છે અને હિંદુધર્મને અંદરથી ખોખલો કરવા માટે પોતાના કેમ્પેઈન ચલાવે પણ છે. પરંતુ જ્યારે આ ઢોંગી બાબાઓ કુકર્મ કરે છે, ત્યારે સમગ્ર હિંદુધર્મના સંતો પર આંચ આવે છે અને લોકો દરેક સાધુસંતને ખોટા સમજવા લાગે છે. જ્યારે ગુનેગાર માત્ર આવા ઢોંગી બાબાઓ જ હોય છે. આજે અમે એવાજ ફરેબી અને ઢોંગી બાબાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો અખિલ ભારતીય અખાડા દ્વારા ઢોંગી બાબાઓમાં આશારામ, રાધે માં, ઓમજી મહારાજ, ઈચ્છાધારી ભીમાનંદ બાબા, સચ્ચિદાનંદ ગીરી, ડેરા સચ્ચા સોદાના ગુરમીત સિંહ, નિર્મલ બાબા, અસીમાનંદ, નારાયણ સ્વામી, બાબા રામરહીમ અને મલખાન ગીરી બાબાનો સમાવેશ થાય છે. અખિલ ભારતીય અખાડાના અધ્યક્ષનું આ બાબાઓ વિશે કહેવું છે કે તેઓ ધર્મના નામે ધંધો કરી રહ્યા છે અને પોતાનું સામ્રાજ્ય ઉભું કરી રહ્યા છે. માટે સરકારને એવી વિનંતી છે કે આવા ઢોંગી અને ધુતારા બાબાઓ પર કાર્યવાહી કરવામાં આવે અને તેમની સંપત્તિઓની તપાસ કરવામાં આવે.

મિત્રો આ 14 બાબામાં અમુક ઢોંગી બાબા કે જેમણે ખરેખર ધર્મને શર્મસાર કરે તેવ કાર્યો કર્યા છે. તે બાબાઓ વિશે પણ આજે અમે તમને આ લેખમાં જણાવશું. માટે આ લેખને અવશ્ય વાંચો.

ઢોંગી બાબાઓમાંથી એક છે આશારામ. આશારામ હિંદુ ધર્મના નામે પોતાના આશ્રમો ચલાવતો હતા. જે હાલ એક નાબાલિક છોકરીનો બળાત્કારનો આરોપી છે અને જેલની સજા ભોગવી રહ્યો છે. આ ઉપરાંત બાબા રામરહીમને પણ બાળાત્કારના આરોપમાં 20 વર્ષની જેલ થઇ છે. એટલું જ નહિ આશારામનો દીકરો નારાયણ સાંઈ પણ પોતાના પિતાની જેમ ધર્મનું પ્રદર્શન કરતો હતો. પરંતુ તેના પર પણ મહિલાઓના શોષણના આરોપો છે. નારાયણ સાંઈ પર સુરતની એક મહિલા સાથે દુષ્કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો. જેના કારણે વર્ષ 2013 માં તેને જેલ પણ થઇ હતી.

અમુક બાબા તો ગ્લેમરના પણ દીવાના છે. તેઓ ટીવી પર પોતાના ગ્લેમર દેખાડતા નજર આવે છે અને તેવા જ એક ઢોંગી બાબા હતા ઓમજી મહારાજ. જેનુ આખું નામ છે સદાચારી સાંઈબાબા ઓમજી મહારાજ. તેણે ટીવી પર એક ન્યુઝ ઈન્ટરવ્યું દરમિયાન એક મહિલા સાધુ સાથે મારપીટ પણ કરી હતી. બાબાએ ઘણી બધી અભદ્ર ટીપ્પણી આપી હતી. જેના કારણે મહિલાએ તેને એક થપ્પડ મારી હતી અને ઓમ મહારાજે પણ સામે મહિલાને એક થપ્પડ મારી દીધી હતી.

એટલું જ નહિ ત્યાર બાદ કલર્સ ચેનલના એક શો બિગબોસમાં પણ આવ્યો હતો. ત્યાં તેના દુર વ્યવહાર અને ચર્ચાઓને કારણે કાઢી મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાબા ઓમજી મહારાજ પર ચોરી આર્મ્સ એકટ અને મસાજ પાર્લરની આડમાં બ્લેક મેઈલ કરવા સહીત જમીન પચાવવાના પણ આરોપો છે. જેના ઘણા બધા કેસ દિલ્લીની અલગ અલગ પોલીસ ચોંકીઓમાં નોંધાવેલા છે. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી અને તેના પર 10 લાખ રૂપિયાનો ચાર્જ પણ લગાવ્યો હતો.

ત્યાર બાદ છે સૌથી મોટી ફ્રોડ અને પોતાને દેવી સમજતી રાધે માં. એક સમયે કપડાંની સિલાઈનું કામ કરતી રાધે માંનું સાચું નામ સુખવિંદર સિંહ કૌર છે. 21 વર્ષની ઉંમરે તે મહંત રામાશીશ પરમહંસના શરણે પહોંચી અને સુખવિંદર સિંહ કૌરમાંથી રાધે માં બની ગયા. રાધેમાં આ બાબતે ઘણા બધા વિવાદોમાં પણ રહી ચુક્યા છે. 

મુંબઈના મનમોહન ગુપ્તા, જે મુંબઈના મોટા કારોબારી છે અને એમ એમ મીઠાઈના માલિક છે. તેમણે સૌથી પહેલા મુંબઈમાં રાધેમાંને શરણ આપી હતી. પરંતુ રાધેમાં સાથે અનેક ખરાખોટા વિવાદો જોડાતા તેણે રાધે માંને પોતાના બંગલામાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો. મનમોહન ગુપ્તાનું કહેવું છે કે રાધે માં તેનો બંગલો પચાવવા માંગતા હતા અને રાધે માંએ તેના માટે ફોનમાં ઘણી વખત મારી નાખવાની ધમકી પણ આપેલી છે.

એટલું જ નહિ મુંબઈની એક વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે મુંબઈ હાઈકોર્ટમાં રાધે માંના નામ પર ધર્મના નામે દગો અને અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધાવ્યો હતો. તેમજ રાધે માંની ભક્ત ડોલી બિન્દ્રાએ પણ રાધેમાં પર યૌન શોષણ, અશ્લીલતા, ડ્રગ્સનો ધંધો વગેરે જેવા આરોપો લગાવ્યા છે તેમજ એવું કહેવામાં આવે છે કે રાધે માં પાસે એક હજાર કરોડની સંપત્તિ છે.

ત્યાર બાદ આ લીસ્ટમાં આવે છે ઈચ્છાધારી ભીમાનંદ બાબા. કે જેણે ધર્મનો ઢોંગ કરીને સેક્સ રેકેટનાં મામલામાં કાળી કમાઈથી એક ખુબ જ મોટું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. જ્યારે તેની પ્રોફાઈલ ચેક કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે 600 થી પણ વધારે હાઈ પ્રોફાઈલ કોલ ગર્લનું નેટવર્ક ચલાવતો હતો. ઈચ્છાધારી ભીમાનંદ ચિત્ર કુટથી દિલ્લી આવ્યો અને નોકરીની તલાશમાં હતો. તેથી નહેરુ પ્રેસની ફાઈવસ્ટાર હોટલમાં સિક્યોરીટી ગાર્ડ બન્યો અને ત્યાર બાદ તે લાજપત નગરના મસાજ પાર્લરમાં પહોંચ્યો અને ત્યાંથી તેને લક્ષ્ય મળ્યું. ત્યાર બાદ તે 1997 માં પહેલી વાર દેહવ્યાપારમાં પકડાયો હતો.

ત્યાર બાદ પોલીસથી બચવા માટે તેણે દાઢી અને મૂછો રાખીને ભાગવા પહેરીને બાબાનું રૂપ ધારણ કર્યું અને ખાનપુરમાં એક સાંઈબાબાનું મંદિર બનાવ્યું અને પ્રવચનો આપવાનું શરૂ કર્યું. પરંતુ તેની સેક્સ રેકેટ ચલાવવાની રીત પણ અલગ હતી. તેને જ્યારે પણ કોઈ ફોન આવતો ત્યારે તે જય શ્રી રામ કહેતો અને જો સામે વાળી વ્યક્તિ ધાર્મિક હોય તો તે પ્રમાણે વાત કરે અને જો કોઈ ક્લાઈન્ટ હોય તો તે તેના પ્રમાણેની વાતો પર ઉતરી આવતો.

તો મિત્રો આ હતા ઢોંગી અને ધુતારા બાબાઓ. જે આજે ધર્મના નામે અરબો રૂપિયાની સંપત્તિઓનું સામ્રાજ્ય ઉભું કરીને બેઠા છે. ધર્મના નામે આજે ધંધાઓ કરવા લાગ્યા છે. એટલું જ નહિ અમુક બાબાઓ તો ધર્મના નામે યૌન શોષણ અને દેહ વ્યાપાર જેવા દુષ્કાર્ય પણ કરે છે. આતો માત્ર મોટા મોટા અને નામાંકિત બાબા નામના ગુંડાઓ હતા. પરંતુ આખા ભારતના હજુ ઘણા એવા ઢોંગી બાબાઓ છે. લોકોને છેતરીને પૈસા બનાવે છે. તો મિત્રો તમે જ જણાવો આવા બાબાઓનું શું કરવું જોઈએ ? કોમેન્ટમાં અવશ્ય જણાવો.

Tags: ASHARAMbabaogujarati dayronirmal babaradhe masocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આજથી જ બની રહ્યો છે રાજયોગ…. આ પાંચ રાશી ની કિસ્મત ખુલતા કોઈ નહિ અટકાવી શકે. જાણો તમારી રાશી

આજથી જ બની રહ્યો છે રાજયોગ…. આ પાંચ રાશી ની કિસ્મત ખુલતા કોઈ નહિ અટકાવી શકે. જાણો તમારી રાશી

આ ઉપાયોથી મળશે સરળ રીતે હોમ લોન… જાણો જરૂરી વાતોને…. બેંક સામેથી તમને લોન આપવા માટે હશે ખુશ

આ ઉપાયોથી મળશે સરળ રીતે હોમ લોન… જાણો જરૂરી વાતોને…. બેંક સામેથી તમને લોન આપવા માટે હશે ખુશ

Comments 2

  1. Bhanu mehta says:
    6 years ago

    Society need to change , need public. Awareness , knowledge , need a modern Krishna who can deliver a modern geeta and gnan yagna ,

    Reply
  2. Bharati says:
    4 years ago

    There is an element of greed and selfish currupt quick gain attitude. Hence these Baba come in action to make fool of the foolish in the name of their religion and faith. And the Hindus are neive and ignorant. Hope they understand and look for the genuine person.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર 1 ગ્લાસ આનું સેવન, કિડની નો બધોજ કચરો કરી નાખશે ફિલ્ટર… આખું શરીરી બની જશે નિરોગી..

માત્ર 1 ગ્લાસ આનું સેવન, કિડની નો બધોજ કચરો કરી નાખશે ફિલ્ટર… આખું શરીરી બની જશે નિરોગી..

December 9, 2022
સાવધાન ! જો સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તો તરત જ કરી દો બંધ | નહિ તો થશે મોટું નુકસાન.

સાવધાન ! જો સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તો તરત જ કરી દો બંધ | નહિ તો થશે મોટું નુકસાન.

March 5, 2021
બ્લડ ગ્રુપ જણાવે છે વ્યક્તિનો સ્વભાવ,  જાણો બ્લડ ગ્રુપ પરથી સ્વભાવ વિશે.

બ્લડ ગ્રુપ જણાવે છે વ્યક્તિનો સ્વભાવ, જાણો બ્લડ ગ્રુપ પરથી સ્વભાવ વિશે.

November 10, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.