Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ જગ્યાને કહેવામાં આવે છે મોક્ષની ભૂમિ, નવેમ્બર મહિનામાં ફરવામાં માટે છે સૌથી ઉત્તમ સ્થળ… જાણો ત્યાંના રહસ્યો તરત જ જવાનું મન થશે…

Social Gujarati by Social Gujarati
November 8, 2023
Reading Time: 1 min read
0
આ જગ્યાને કહેવામાં આવે છે મોક્ષની ભૂમિ, નવેમ્બર મહિનામાં ફરવામાં માટે છે સૌથી ઉત્તમ સ્થળ… જાણો ત્યાંના રહસ્યો તરત જ જવાનું મન થશે…

મિત્રો તમે સૌ ભગવાન બુદ્ધ વિશે ઘણું જાણતા હશો, તેમજ તેમને ક્યાં જ્ઞાન મળ્યું તે પણ તમે જાણતા જ હશો, આથી જ આજે આટલા વર્ષો પછી પણ ‘ગયા’ ને જ્ઞાન અને મોક્ષની ભૂમિ કહેવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો પોતાના પિતૃઓની મુક્તિ અને મોક્ષની કામના માટે અહી આવીને પિંડદાન કરે છે. આખા ભારતમાં ગયા જ એવું સ્થળ છે જ્યાં આખું વર્ષ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

અહી આખી દુનિયામાંથી લોકો પિતૃઓના શ્રાદ્ધ કરવા આવે છે, એવું કહેવામાં આવે છે કે અહી પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. આથી જ જો તમે ધાર્મિક ભાવનાથી ભરપુર છો તો તમારા માટે ગયા એક ખુબ જ સારું સ્થળ બની રહેશે. અહી તમે આખા પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ શકો છો. અહી તમને શાંતિ અને સંતુષ્ટિનો અનુભવ થશે, ચાલો તેના ઈતિહાસ વિશે વધુ વિગતે જાણી લઈએ.

ગયાનો ઈતિહાસ : ગયાની ભૂમિને મોક્ષની ભૂમિ કહેવામાં આવે છે. તેને વિષ્ણુ નગરીના નામે પણ ઓળખવામાં આવે છે. સ્વયં ભગવાન રામે પણ ગયાનો મહિમા કહી છે. ગયાની ધરતી પર સ્વયં માતા સીતાને ફ્લગુ નદીના કિનારે બાલુનું પીંડ રાજા દશરથને આપ્યું હતું. એવું માનવામાં આવે છે તેના આ પિંડદાન પછી રાજા દશરથને મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. 

પૌરાણિક કથા અનુસાર એવું જાણવા મળે છે કે ગયાસુર નામના એક રાક્ષસે કઠીન તપસ્યા કરીને બ્રહ્માજીથી વરદાન મેળવ્યું હતું કે તેનું શરીર દેવતાઓની જેમ પવિત્ર થઇ જાય અને દરેક વ્યક્તિ તેના દર્શન માત્રથી પાપ મુક્ત થઇ જાય. ત્યારપછી લોકો ભય વગર પાપ કરવા લાગ્યા અને તેના દર્શન કરીને પાપ મુક્ત થવા લાગ્યા. તેના આ વરદાનથી સ્વર્ગમાં ભીડ વધવા લાગી. પછી દેવતાઓએ ગયાસુર પાસેથી યજ્ઞ કરવા માટે પવિત્ર સ્થળની માંગણી કરી. ગયાસુરને દેવતાઓને તેના શરીર પર યજ્ઞ કરવા માટે કહ્યું. 

ગયાસુર જયારે સુતો ત્યારે તે પાંચ કોસમાં ફેલાઈ ગયો અને આ પાંચ કોસમાં ગયા આવેલ છે. ગયાસુરના મનમાંથી લોકોને પાપ મુક્ત કરવાની ઈચ્છા ક્યારેય ખત્મ ન થઇ અને તેણે દેવતાઓ પાસે વરદાન માગ્યું કે આ સ્થળ મોક્ષ માટે બનેલું રહે. તેણે દેવતાઓ પાસે વરદાન માંગ્યું કે અહી જે પણ પિંડદાન કરે તેને તરત જ મુક્તિ મળી જાય. ત્યારપછી ભગવાન વિષ્ણુએ ગયાસુર પર પોતાનો જમણો પગ મુક્યો. આથી અહી વિષ્ણુપદ મંદિરમાં ભગવાન વિષ્ણુની પગ ઉઠાવેલ મૂર્તિ રહેલ છે. આ મંદિરમાં લોકો દર્શન અને તર્પણ કરવા આવે છે.

ગયામાં છે 48 વેદીઓ : એવું કહેવામાં આવે છે પહેલા ગયામાં અલગ અલગ નામથી 360 વેદીઓ હતી. હવે તેમાંથી માત્ર 48 વેદીઓ રહી ગઈ છે. જ્યાં પિંડદાન કરવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો અહી પિંડદાન કરવા આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં સુધી ગયામાં પિતૃઓનું પિંડદાન ન થાય ત્યાં સુધી તેમને મોક્ષની પ્રાપ્તિ નથી થતી.

ગયામાં આ સ્થળોના દર્શન જરૂર કરો : 1) મહાબોધિ મંદિર : મહાબોધિ મંદિર એ છે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. અહી ભગવાન બુદ્ધની અનેક પ્રતિમાઓ સ્થાપિત છે. મહાબોધિ મંદિર ગયા સ્ટેશનથી માત્ર 16 કિલોમીટર દુર આવેલ છે. 

2) ગ્રેટ બુદ્ધા સ્ટેચ્યુ : ગયામાં રહેલ ગ્રેટ બુદ્ધા સ્ટેચ્યુ લગભગ 20 મીટર ઊંચું છે. ધ્યાન મુદ્રામાં ભગવાન બુદ્ધને કમળના ફૂલ પર બનાવવામાં આવ્યા છે. જે દેખાવમાં ખુબ જ ભવ્ય લાગે છે. 

3) વિષ્ણુ પદ મંદિર : ગયામાં રહેલ વિષ્ણુ પદ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહી દેશ વિદેશથી લોકો પિંડદાન કરવા આવે છે.

4) બોધી વૃક્ષ : બોધી વૃક્ષ નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. તેઓ આ વૃક્ષ નીચે ધ્યાનની મુદ્રામાં રહેતા હતા, અને તે મહાબોધિ મંદિરની પાછળ જ સ્થિત છે. 

5) થાઈ મઠ : થાઈ મઠ આર્કીટેકચરની થીમ પર બનાવેલ છે, સાથે જ અહી ભગવાન બુદ્ધનું 25 મીટર ઉંચું સ્ટેચ્યુ છે. 

6) મુચલિન્દ લેક : મુચલીન્દ લેક મહાબોધિ મંદિરની અંદર જ સ્થિત છે. એવી માન્યતા છે કે જયારે બુદ્ધ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તોફાન આવ્યું, જેનાથી ભગવાન બુદ્ધનું ધ્યાન ભંગ થઇ રહ્યું હતું, ત્યારે અહી મુચલીન્દ સાપે ભગવાન બુદ્ધની રક્ષા કરી હતી.

7) ચીની મંદિર : ચીની મંદિર મહાબોધિ મંદિરની પાસે જ આવેલ છે અને અહી 500 વર્ષ જૂની મૂર્તિઓ છે જે ચીનથી લાવવામાં આવેલ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: bodhi gayabodhi gaya is place for salvationgaya is place for Patriarchyhistory of gayaholly places of bodhi gayaimportance of bodhi gaya
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ છે શરદી-ઉધરસ, વજન, કબજિયાત, પીઠના દુખાવા સહિત શરીરની 17 બીમારીનો અકસીર ઈલાજ, ક્યારેય નહિ થાય સોજા-સાંધાના દુખાવા…

આ છે શરદી-ઉધરસ, વજન, કબજિયાત, પીઠના દુખાવા સહિત શરીરની 17 બીમારીનો અકસીર ઈલાજ, ક્યારેય નહિ થાય સોજા-સાંધાના દુખાવા...

આ 6 આયુર્વેદિક ચૂર્ણને ઘરે જ બનાવી કરો સેવન, પાણીની જેમ ઓગાળી દેશે તમારું વજન અને વધારાની ચરબી…. વગર મહેનતે થઈ જશો એકદમ પાતળા…

આ 6 આયુર્વેદિક ચૂર્ણને ઘરે જ બનાવી કરો સેવન, પાણીની જેમ ઓગાળી દેશે તમારું વજન અને વધારાની ચરબી.... વગર મહેનતે થઈ જશો એકદમ પાતળા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફક્ત બે દાણા દૂધમાં આનું સેવન જિંદગીમાં નહીં થવા દે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રાલ અને લોહીની કમી.રોગપ્રતિકારક શક્તિને વધારી હાડકા પણ બનાવશે મજબૂત

ફક્ત બે દાણા દૂધમાં આનું સેવન જિંદગીમાં નહીં થવા દે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રાલ અને લોહીની કમી.રોગપ્રતિકારક શક્તિને વધારી હાડકા પણ બનાવશે મજબૂત

August 13, 2023
પિઝ્ઝા, બર્ગર અને સેન્ડવિચમાં ખવાતું આ ચીઝ, શરીર માટે છે ખતરનાક… ખાતા પહેલા વાંચી લ્યો કેવા કેવા નુકશાન થાય છે….

પિઝ્ઝા, બર્ગર અને સેન્ડવિચમાં ખવાતું આ ચીઝ, શરીર માટે છે ખતરનાક… ખાતા પહેલા વાંચી લ્યો કેવા કેવા નુકશાન થાય છે….

March 21, 2025
ગુરુવારે ન કરવા જોઈએ આ કામ… થશે નુકશાન.. ક્યારેય નહિ બની શકો ધનવાન અને રહેશો ગરીબ.

ગુરુવારે ન કરવા જોઈએ આ કામ… થશે નુકશાન.. ક્યારેય નહિ બની શકો ધનવાન અને રહેશો ગરીબ.

November 21, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.