મિત્રો જયારે આપણા શરીરમાં દાણા અથવા તો ખંજવાળ નીકળી પડે છે ત્યારે શરીરમાં ઘણી જગ્યાએ દાણા થવા લાગે છે. તેમજ તેના નિશાન પછી ત્વચા પરથી જતા નથી. આથી સમય રહેતા તેનો ઈલાજ કરવો જરૂરી બની જાય છે. આ માટે તમે ઘરે ક એક ખાસ પ્રકારના તેલને બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. ચાલો તો આ તેલ વિશે વધુ જાણી લઈએ.
દાણા અને ખંજવાળ અક્સર લોકોને પરેશાન કરે છે. જેમ કે જીવાત કરડવાથી અને એલર્જીને કારણે. તો ઘણી વખત સોરિયાસિસ, ધાધર અને એક્જીમાને કારણે. તો ઘણી વખત કોઈ રીએક્શનને કારણે અથવા તો શરીરમાં અંદરની ગરમીને કારણે પણ આવું થાય છે. આ બધી સમસ્યાઓને દુર કરવા માટે લોકો દવાઓ અને ક્રીમનો ઉપયોગ કરે છે.
પરંતુ કેટલાક ઘરેલું ઉપાયો આ સમસ્યાઓને દુર કરી શકે, જેમ કે લીમડાના પાનનું તેલ, ફુદીનાનું તેલ, હળદર અને ચંદન. આવી જ રીતે એક ખુબ જુનું તેલ છે જે દાણા અને ખંજવાળ પર લગાવવાથી તે દુર થાય છે. આ તેલને પારંપરિક રૂપે બનાવવામાં આવે ચા તેલ માટે નારિયેળ તેલ, કપૂર લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આ વિશે વિસ્તારથી જાણી લઈએ.
નાળિયેર તેલ, કપૂર અને લવિંગથી બનાવો આ તેલ : આ તેલ બનાવવા માટે સૌથી પહેલા 20 ચમચી નાળિયેર તેલ લો, હવે તેમાં 10 લવિંગ નાખો, હવે કપૂર લો અને લગભગ 3 મોટા ચમચા જેટલો પાવડર બનાવી લો, હવે તેને એક વાસણમાં નાખીને ગેસ પર ગરમ થવા મૂકી દો, થોડીવારમાં તેલ ગરમ થવા લાગશે અને તેની સુગંધ તમને મહેસુસ થશે. હવે ગેસ બંધ કરી દો. તેલ થોડું નવશેકું હોય ત્યારે તેનો ઉપયોગ કરો. તો ચાલો જાણીએ લઈએ તેના ફાયદા.
દાણાને ઓછા કરવા : તમે જોયું હશે કે, ઘણી વખત શરીર પર લાલ દાણા નીકળી પડે છે. કયારેક તે નાના હોય છે તો ક્યારેક મોટા હોય છે. તો ઘણી વખત કોઈ ખાસ પ્રકારના બેક્ટેરિયાને કારણે આ દાણા વધી જાય છે. તેવામાં આ તેલ ખુબ જ અસરકારક રીતે કામ કરે છે. તેના એન્ટી બેક્ટેરીયલ ગુણ દાણાના બેક્ટેરિયાને મારે અને સુકવી નાખે છે. પછી દરરોજ તેનો ઉપયોગ દાણાને ઓછા કરી દે છે. બસ તેને લગાવવા માટે રાત્રે સુતા પહેલા તેને શરીર પર લગાવો. સવારે ઉઠતા તમારા દાણા આછા દેખાવા લાગશે.
ખંજવાળથી છુટકારા માટે : નાળિયેર તેલ, કપૂર અને લવિંગથી બનેલ આ તેલ ખંજવાળ ઓછી કરવામાં પ્રભાવી રૂપે કામ કરે છે. તેનો એન્ટી બેક્ટેરીયલ અને રેશેજને શાંત કરતો ગુણ ખંજવાળને ઓછી કરવામાં મદદ કરે છે. તેનો એન્ટી માઈક્રોબીયલ ગુણ એક્ટીવ રેશેજ ઓછા કરવામાં મદદ કરે છે અને ખંજવાળથી છુટકારો અપાવે છે. આ રીતે તે ખંજવાળને શાંત કરીને સ્કીનને પણ રાહત કરે છે.
સોજાને ઓછો કરવા : કપૂર અને લવિંગ બંનેમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે, જે સોજા ઓછા કરવામાં મદદ કરે છે. જો કોઈને સોજા છે અથવા સોજાને કારણે દુખાવો થાય છે તો આ નવશેકા તેલથી માલીશ કરવી જોઈએ. સોજા અને તેના દુખાવાને ઓછો કરે છે. વાસ્તવમાં આ તેલ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને માંસપેશીઓના દુખાવાથી છુટકારો અપાવે છે. કપૂરનો એક ખાસ ગુણ એ છે કે, આ તેલ લાંબા સમય સુધી જુના માંસપેશીઓના અને સાંધાના દુખાવાને ઓછો કરી શકે છે અને સોજાને પણ ઓછા કરે છે.
પીઠના નીચેના ભાગમાં થતા દુખાવા માટે : કપૂર અને લવિંગ બંનેથી બનેલ આ તેલ પીઠના નીચેના ભાગમાં થતા દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. કપૂરનું તેલ તંત્રિકા તંત્રને સુન્ન અને ઠંડુ કરે છે. પછી પીઠના દુખાવાના સ્થાનને ગરમ કરે છે. આ રીતે તે કઠોર સાંધા અને માંસપેશીઓમાં પરીસંચરણને વધારે છે અને પીઠના દુખાવાને ઓછો કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી