ડાયાબીટીસ એ આજના યુગની સૌથી ગંભીર બીમારી છે, જેની સારવાર શક્ય નથી. એટલે કે જો આ રોગ કોઈ વ્યક્તિને થાય છે, તો પછી તે વ્યક્તિએ આખી જીંદગી આ સમસ્યા સામે લડવું પડશે. તમે દવાઓ અને ખાવાનું ટાળીને તેના અન્ય પ્રભાવોને ઘટાડી શકો છો, પરંતુ તેનાથી સંપૂર્ણ પણે છુટકારો મેળવી શકાશે નહિ. આવી સ્થિતિમાં વિજ્ઞાન અને આયુર્વેદ કહે છે કે શુષ્ક મેથીનો ઉપયોગ આ રોગથી બચવા માટે કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે મેથીનું બીજ તમને ડાયાબીટીસની સમસ્યાથી બચાવી શકે છે. મેથીના દાણા ડાયાબીટીસ અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે.
આપણા રસોડામાં સદીઓથી સુકી મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે પણ બહુ ઓછા લોકો જાણે છે કે તે ડાયાબીટીસ જેવી સમસ્યાથી પણ નિવારવામાં મદદ કરે છે.
અત્યાર સુધી ડાયાબિટીસ પર મેથીની અસર પર ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે, જે તેના ઘણા ફાયદા દર્શાવે છે. સંશોધન સૂચવે છે કે મેથીના પ્રોબાયોટીક્સ છે. આ ગુણધર્મો તેના પર અસર કર્યા વિના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ સિવાય તે લોહીમાં શુગર લેવલ ઘટાડવાનું પણ કામ કરે છે, જે તમને ડાયાબિટીસના જોખમથી બચાવે છે. એવું પણ કહેવાય છે કે મેથીના દાણામાં આલ્કલોઈડસ જોવા મળે છે, જે ઇન્સ્યુલિનને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
જો દરરોજ 10 ગ્રામ મેથીનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસથી થતી સમસ્યાઓ પણ ઓછી થઇ શકે છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે સુકી મેથીના દ્રાવ્યમાં ફાઈબર અને ગુકોમોનાસ રેસા હોય છે. તે આંતરડામાંથી ગ્લુકોઝ શોષી લેવામાં અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ કાર્ય કરે છે. આ ઉપરાંત મેથીની અંદરના આલ્ક્લોઇદ્સ ઇન્સ્યુંલિનના ઉત્પાદન માં સુધારો કરે છે અને ગ્લાયાકેમિક સ્તરમાં ઘટાડો કરે છે. તો ચાલો આપણે જાણી એ કે મેથીના દાણાનું સેવન કેવી રીતે કરવું, જેથી ડાયાબિટીસ અને અન્ય અસરોથી બચી શકાય.
મેથીની ચા : મિત્રો તમને સાંભળી ને વિચિત્ર લાગશે. પરંતુ ડાયાબિટીસથી બચવા અને તેના પ્રભાવને ઘટાડવાનો આ સૌથી સહેલો રસ્તો છે. આ માટે તમે પાણીમાં મેથીના દાણા ઉમેરીને 10 થી 15 મિનીટ સુધી ઉકાળો. આ પછી ચાની જેમ જ પીવો. આ લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરશે.
મેથીનો પાઉડર
100 ગ્રામ મેથી પાઉડર ડોઝ પર તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં ડાયાબિટીસના દર્દીઓને બપોરના ભોજન અને રાત્રિના ભોજન સાથે મેથીનો પાઉડર સમાન પ્રમાણમાં આપવામાં આવ્યો હતો. 24 કલાક પછી ડાયાબિટીસ ના દર્દીઓમાં શુગર લેવલ અને કોલેસ્ટ્રોલ ની તપાસ કરવામાં આવી ત્યારબાદ તે બંને નીચા હોવાનું જાણવા મળ્યું.
દહીં અને મેથીનું સેવન
દહીં અને મેથી બનેમાં બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે. આ ગુણધર્મો શરીરની અંદર ગુકોઝ્નું સ્તર ઘટાડવાનું કામ કરી શકે છે. આ સ્થિતિમાં એક કપ દહીંની અંદર મેથીનો પાઉડર ઉમેરીને ખાવાથી ઘણા ફાયદા થાય છે.
પલાળેલી મેથીનું સેવન
મેથીની અંદર રહેલા પોષક તત્વો માત્ર ડાયાબિટીસમાં જ મદદ કરે છે, પણ પાચક કાર્ય અને એસીડીટી ને પણ દુર કરે છે. જો તમે પણ મેથીથી આ સમસ્યાઓથી રાહત મેળવવા ઈચ્છતા હો તો આ માટે દરરોજ 10 ગ્રામ મેથીના દાણા ગરમ પાણીમાં પલાળીને તેનું સેવન કરો.
કેટલા પ્રમાણમાં મેથી લેવી
અધ્યાયન અનુસાર દિવસમાં 2 થી 25 ગ્રામ મેથીનું સેવન કરવું યોગ્ય ને સલામત બને છે જો કે તેનું પ્રમાણ કેટલુ યોગ્ય છે તે પણ લેનાર વ્યક્તિ પર નિર્ભર કરે છે. માર્ગદર્શનથી તેનો મહત્તમ સમય 10 ગ્રામ નક્કી કરવામાં આવે છે. આ સિવાય મેથીના કાચા દાણા માત્ર 25 ગ્રામ, પાઉડર 25 ગરમ અને રાંધેલા મેથીના 25 ગ્રામ યોગ્ય છે. પરંતુ જો તમારે મેથીનું સેવન કરવું હોય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી