Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વિદ્યાર્થીઓમાં હતી હિમોગ્લોબીનની ઉણપ… શિક્ષકે શોધ્યો આ ઉપાય, સરકારે કરી  પ્રશંસા

Social Gujarati by Social Gujarati
September 13, 2019
Reading Time: 1 min read
0
વિદ્યાર્થીઓમાં હતી હિમોગ્લોબીનની ઉણપ… શિક્ષકે શોધ્યો આ ઉપાય, સરકારે કરી  પ્રશંસા

મિત્રો આજના સમયમાં ફાસ્ટફૂડ અને જંક ફૂડનું ચલણ ખુબ વધારે જોવા મળે છે. જેના કારણે શરીરમાં ઘણા પ્રકારની ઉણપો સર્જાતી હોય છે. તેમાંની એક ખાસ ઉણપ છે હિમોગ્લોબીન એટલે કે શરીરમાં લોહીની ઉણપ હોવી. આજના સમયમાં દિવસે દિવસે લોકોમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું થતું જાય છે. ખાસ કરીને આ હિમોગ્લોબીનની ઉણપ બાળકના વિકાસ અને કૌશલ્યને પણ ક્યાંકને ક્યાંક અવરોધે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પરંતુ એક શાળામાં જ્યારે શાળાના એક શિક્ષકને જાણ થઇ કે તેમના મોટા ભાગના વિદ્યાર્થીઓમાં લોહીની ઉણપ છે, ત્યારે તે ઉણપને પહોંચી વળવા તેમણે એવો રસ્તો શોધ્યો  કે સરકારે પણ તેમના કાર્યની નોંધ લીધી અને પ્રશંસા કરી. તો જાણો કોણ છે એ શિક્ષક અને ક્યો એવો રસ્તો શોધ્યો જેનાથી હિમોગ્લોબીનની ખામી વિદ્યાર્થીમાંથી દુર થઇ ગઈ. બોટાદમાં એક મ્યુનિસિપલની કન્યા શાળા આવેલી છે. ત્યાં દિલીપ ભાલગામીયા નામના એક વ્યક્તિ શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. જેમની ઉંમર 39 વર્ષની છે. દિલીપ ભાઈને ત્યારે ખુબ જ દુઃખ થયું, જ્યારે તેમને જાણવા મળ્યું કે તેની શાળામાં 70% બાળકોમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું છે. સામાન્ય રીતે એક સ્વસ્થ શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ 12 થી 15 ગ્રામ હોવું જોઈએ. પરંતુ તેમની શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ 9 ગ્રામ કે તેનાથી ઓછું જોવા મળ્યું. ત્યાર બાદ દિલીપભાઈ અને તેમની સાથે કામ કરતા અન્ય બે શિક્ષકો કે. જે. જોઢાંણી અને આર. ડી. જીવાણીને વિદ્યાર્થીઓના વિકાસમાં અવરોધ ઉભો કરતી હિમોગ્લોબીનની ખામી ખટકી અને તેઓ તેના પર ખુબ જ ઊંડી ચર્ચા પર ઉતર્યા.

ચર્ચા કર્યા બાદ ત્રણેય શિક્ષકો એક્શનમાં આવ્યા અને તેઓએ મળીને બધા જ વિદ્યાર્થીઓના નાસ્તા તપસ્યા તો તેમણે જોયું કે મોટાભાગના વિદ્યાર્થીઓ નાસ્તામાં ચેવડો, સેવ મમરા, ચિપ્સ, તળેલી વસ્તુઓ જેવી ખાવાની વસ્તુઓ જ લાવતા હતા. પછી તેમણે અધ્યયન કર્યું અને તારણ મેળવ્યું કે સુકા નાસ્તામાં કેલેરી હોય છે, પરંતુ પોષકતત્વનું પ્રમાણ નહિ બરાબર હોય છે. આ જાણ્યા બાદ દિલીપભાઈને થયું કે એક શિક્ષક તરીકે પોતે જ પોતાના વિદ્યાર્થીઓ માટે આ બાબતે કંઈક કરશે. ત્યાર બાદ દિલીપભાઈએ વિદ્યાર્થીઓને એક મુઠી મગ, ચણા જેવા કઠોળ નાસ્તામાં લાવવા કહ્યું અને આ કઠોળને એક રાત પલાળીને બીજા દિવસે તે ફણગાઈને તૈયાર થઇ જાય પછી તેને નાસ્તામાં આપવા લાગ્યા. પરંતુ વિદ્યાર્થીઓને તેનો સ્વાદ પસંદ આવે એટલે તેઓ એ મિક્સ કઠોળમાં લીંબુ, મરચા, ટામેટા અને ચટણી વગેરે જેવા મસાલા ઉમેરીને ભેળ બનાવીને વિદ્યાર્થીઓને તે નાસ્તામાં આપવાનું શરૂ કર્યું.

મિત્રો એક મહિના બાદ આ ઉપાયનું પરિણામ પણ જોવા મળ્યું. કઠોળ નાસ્તામાં આપ્યા બાદ છોકરીઓમાં રહેલી આયરનની ઉણપ દુર થઇ ગઈ. આ શિક્ષકના ઉપાયથી પ્રેરિત થઈને મધ્યાહ્ન ભોજનમાં પણ ફણગાવેલા કઠોળને સ્થાન આપવામાં આવ્યું. આ બાબતની  અમદાવાદમાં IIM માં થયેલ એજ્યુકેશનલ ઇનોવેશન તેમજ અન્ય અલગ અલગ સ્થળોએ પણ પ્રશંસા કરવામાં આવી હતી. એટલું જ નહિ, પરંતુ તેને રાષ્ટ્રપતિ ભવનની ઇનોવેશન ગેલેરીમાં પણ ઉલ્લેખવામાં આવ્યું. જેથી તે જોઇને અન્ય લોકો પણ પ્રેરિત થાય.આ બાબત પર સૌથી મોટી પ્રશંસા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ બાબતથી પ્રેરિત થઈને એનીમિયા જેવા રોગોને દુર કરવા માટે 2017 માં મધ્યાહ્ન ભોજન યોજનામાં કઠોળ પણ આપવાનું નક્કી કરાયું. શિક્ષણ વિભાગના ઉચ્ચ  અધિકારીએ જણાવ્યું કે, “વર્ષ 2018 માં GR એવો નિર્દેશ આપ્યો કે રાજ્યની બધી જ સરકારી સ્કુલોમાં મધ્યાહ્ન ભોજનમાં કઠોળ આપવામાં આવે.”

તાજેતરમાં જ આ બાબત દિલીપ ભાલગામીયાએ ટ્રેઈની IAS અધિકારી અને વહીવટી અધિકારી સામે રજુ કરી છે. આ ઉપરાંત દિલીપભાઈની સાથે કામ કરતા શિક્ષક આર. ડી. જીવાણીએ જણાવ્યું કે હવે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં વધારે પ્રમાણમાં પોષકતત્વો મળી રહે તેવા આહાર પર વધારે ધ્યાન આપવામાં આવે છે. જેથી એક મજબુત અને સ્વસ્થ સમાજનુ નિર્માણ થાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: BLOODgujarati dayroHEALTH PROBLEMhimoglobinesocial gujaratiSTUDENTTEACHER
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
નર્મદાના કારણે સરકાર અને ખેડૂત બંને છે ખુશ,   જાણો શા માટે.

નર્મદાના કારણે સરકાર અને ખેડૂત બંને છે ખુશ, જાણો શા માટે.

શિક્ષકો પાસેથી વસુલવામાં આવ્યો 62 લાખ રૂપિયા દંડ,  શિક્ષકોએ કરી હતી આવી ભૂલો.

શિક્ષકો પાસેથી વસુલવામાં આવ્યો 62 લાખ રૂપિયા દંડ, શિક્ષકોએ કરી હતી આવી ભૂલો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સામાન્ય લાગતો માથાનો દુખાવો પણ બની શકે છે ગંભીર. જાણી લો આ ખાસ માહિતી… નહિ તો આવશે ભયાનક પરિણામ…

સામાન્ય લાગતો માથાનો દુખાવો પણ બની શકે છે ગંભીર. જાણી લો આ ખાસ માહિતી… નહિ તો આવશે ભયાનક પરિણામ…

January 26, 2022
કિડનીને બીમારીઓ દુર કરી આજીવન સાફ અને પથરી રહિત રાખવા પીવો આ જ્યુસ, ઈન્સ્ટન્ટ મળશે રાહત અને પરિણામ…

કિડનીને બીમારીઓ દુર કરી આજીવન સાફ અને પથરી રહિત રાખવા પીવો આ જ્યુસ, ઈન્સ્ટન્ટ મળશે રાહત અને પરિણામ…

July 2, 2022
આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત,  કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત, કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

September 14, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.