Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

પિતૃપક્ષમાં શા માટે કાગડા, કુતરા અને ગાયને આપવામાં આવે છે ભોજન ? જાણો પિતૃપક્ષને લગતા સાત સવાલોના જવાબ.

Social Gujarati by Social Gujarati
September 4, 2020
Reading Time: 1 min read
1
પિતૃપક્ષમાં શા માટે કાગડા, કુતરા અને ગાયને આપવામાં આવે છે ભોજન ? જાણો પિતૃપક્ષને લગતા સાત સવાલોના જવાબ.

મિત્રો જેમ કે તમે જાણો છો કે હાલ પિતૃપક્ષના દિવસો શરૂ છે. તેથી દરેક લોકો પોતપોતાના વડીલોના શ્રાદ્ધ કરે છે. કહેવાય છે કે, માણસના મૃત્યુ પછીની આ ક્રિયા તેમના સંતાનો દ્વારા કરવામાં આવે છે. પિતૃઓને મોક્ષ આપવા માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, શા માટે પિતૃપક્ષમાં ગાય, કુતરા અને કાગડાઓને ભોજન આપવામાં આવે છે. આ સિવાય શા માટે પિંડ એ ચોખાના બનાવવામાં આવે છે ? શ્રાદ્ધમાં કેમ ખીર-પૂરી જ કેમ બનાવવામાં આવે છે. આવા તે અનેક સવાલોના જવાબ આજે અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

જેમ કે તમે જાણો છો તેમ 2 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઈ ગયો છે, જે 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં પિતૃઓને પિંડદાન, શ્રાદ્ધ તર્પણ, વગેરે જેવા કર્મો કરવામાં આવે છે. સૌથી વિશેષ તો વાત એ છે કે, આ દિવસોમાં કુતરાઓ, ગાય, અને કાગડાઓને ભોજન આપવામાં આવે છે. તેમજ પિંડનું દાન પણ કરવામાં આવે છે. જે પિંડ ચોખાના બનાવવામાં આવે છે. પણ આ શ્રાદ્ધ પક્ષને લગતી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. જેના વિશે અમે તમને જણાવશું.

કાગડાઓ,ગાય અને કુતરાઓને ભોજન કેમ આપવામાં આવે છે ? : કહેવાય છે કે બધા જ પિતૃઓનો વાસ પિતૃ લોકમાં અને પછી થોડા સમય માટે યમલોકમાં રહે છે. પિતૃપક્ષમાં યમ, બલી અને શ્વાન બલીનું વિધાન આપવામાં આવ્યું છે. આ યમ બલી કાગડાઓને અને શ્વાન બલી કુતરાઓને આપવામાં આવે છે. કાગડાઓને યમરાજનો સંદેશ વાહક માનવામાં આવે છે. યમરાજા પાસે બે શ્વાન એટલે કે કુતરાઓ પણ છે. આ જ કારણે કાગડાઓ અને કુતરાઓને ભોજન આપવામાં આવે છે. આ સિવાય ગાયમાં બધા જ દેવતાઓનો વાસ હોવાથી તેને ભોજન આપવામાં આવે છે.શ્રાદ્ધમાં ખીર-પૂરી કેમ ખાવામાં આવે છે ? : પિતૃપક્ષમાં અન્નના દાનનું વિશેષ મહત્વ હોય છે અને ખીર એ પાયસ અન્ન કહેવાય છે. તેમજ પાયસને પ્રથમ ભોગ માનવામાં આવે છે. તેમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે. ધાન એટલે કે ચોખા એવું અનાજ છે જે જુના થતા ખરાબ નથી થતા. પરંતુ જેટલા જુના ચોખા તેટલા જ સારા ચોખા કહેવાય છે. આમ ચોખાના આ ગુણોને કારણે તેને જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક સંસ્કારમાં ચોખાને શામેલ કરવામાં આવે છે. તેથી પિતૃઓને ખીરનો ભોગ લગાવવામાં આવે છે. એક બીજું કારણ એ પણ છે કે, શ્રાવણ માસમાં કરેલા ઉપવાસથી શક્તિ ક્ષીણ થઈ જાય છે, તેથી જો તમે પણ પિતૃપક્ષમાં ખીર ખાવો છો, તો તમને તેનાથી શક્તિ મળે છે.

પિંડદાનમાં પિંડ કેમ ચોખાના જ બનાવવામાં આવે છે ? : માત્ર ચોખા જ નહિ પણ પિંડ ઘણા પ્રકારના બનાવવામાં આવે છે. જે કાળા તલમાં પણ બનાવવામાં આવે છે. ચોખાના પિંડને પાયસ અન્ન પણ માનવામાં આવે છે. આ જ પ્રથમ ભોગ હોય છે. જો ચોખા ન હોય છો જવના પિંડ બનાવવામાં આવે છે. એ પણ ન હોય તો, કેળા અને કાળા તલના પિંડ બનાવવામાં આવે છે. ચોખાને અક્ષત કહે છે એટલે કે ચોખા ખંડિત નથી હોતા. તેથી પિતૃઓને શાંતિ મળે અને લાંબા સમય સુધી આ પિંડો દ્વારા તેમને સંતૃષ્ટિ મળે એટલે ચોખાના પિંડ બનાવવામાં આવે છે.શ્રાદ્ધ કર્મ કરતી વખતે અનામિકા આંગળીમાં કુશ કેમ પહેરવામાં આવે છે ? : કુશને પવિત્ર માનવામાં આવે છે. કુશ એ એક વિશેષ પ્રકારનું ઘાસ છે. માત્ર શ્રાદ્ધકર્મમાં જ નહિ પણ અન્ય બધા જ કર્મકાંડમાં પણ કુશને અનામિકા આંગળીમાં જ પહેરવામાં આવે છે. તેને પહેરવાથી આપણે પૂજન કર્મ કરવા માટે પવિત્ર થઈ જઈએ છીએ. કુશમાં એક ગુણ હોય છે કે, તે દુર્વામાં પણ હોય છે. આ બન્ને અમરતા વાળી ઔષધી છે, તે શીતળતા પ્રદાન કરે છે.

શ્રાદ્ધ કરવા માટે બપોરનો સમય જ કેમ શ્રેષ્ટ માનવામાં આવે છે ? : એવી માન્યતા છે કે, શ્રાદ્ધ પક્ષમાં બપોરના સમયે કરવામાં આવેલું શ્રાદ્ધ પિતૃ દેવતાઓ સૂર્યના પ્રકાશથી ગ્રહણ કરે છે. બપોરના સમયે સૂર્ય પોતાના સંપૂર્ણ પ્રકાશમાં હોય છે. તેથી પિતૃઓ પોતાનો ભોગ સારી રીતે ગ્રહણ કરી શકે છે. સૂર્યને જ આ ધરતી પર પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. જેને આપણે જોઈ તેમજ મહેસુસ કરી શકીએ છીએ. આમ તો પિતૃઓને ભોજન ગ્રહણ કરવા માટે સૂર્યની કિરણોને માધ્યમ માનવામાં આવે છે.શ્રાદ્ધ સૌથી નાનો પુત્ર અથવા સૌથી મોટો પુત્ર જ કેમ કરી શકે છે ? : આવું કોઈ વિધાન નથી. ગયા તીર્થમાં આવું કોઈ વિધાન નથી. કોઈ પણ પુત્ર પિંડદાન, શ્રાદ્ધ વગેરે કર્મ કરી શકે છે. અહી પ્રચલિત પરંપરા અનુસાર કોઈ પિતાના બધા સંતાન અલગ અલગ જગ્યાએ રહેતા હોય તો બધા સંતાને અલગ અલગ પિંડદાન કરવું જોઈએ.

કોઈની મૃત્યુ પછી કેમ ગરુડ પુરાણ વાંચવામાં આવે છે ? : ગરુડ પુરાણ એ 18 પુરાણો માનું એક છે. આ ગ્રંથમાં જન્મ મરણ સાથે જોડાયેલ રહસ્ય છુપાયેલા છે. તેમાં કર્મને આધારે તેના ફળની જાણકારી આપવામાં આવી છે. જીવન કેવી રીતે જીવવું જોઈએ, શું કામ કરવું જોઈએ અને ક્યાં કામોથી બચવું જોઈએ. જેથી કરીને મૃત્યુ પછી આત્માને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. આ બધી જ વાતો ગરુડ પુરાણમાં આપવામાં આવી છે.

Tags: akshtAnamika fingercowCrowsdogsGaruda PuranaNoon timePindanaPitrupakshSON
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
PUBG બૈન થયા બાદ અક્ષય કુમાર લાવશે નવી ગેમ FAU-G, કમાણીનો 20% હિસ્સો જશે “ભારત કે વીરમાં.”

PUBG બૈન થયા બાદ અક્ષય કુમાર લાવશે નવી ગેમ FAU-G, કમાણીનો 20% હિસ્સો જશે "ભારત કે વીરમાં."

દરેક શિક્ષકમાં હોવા જોઈએ આ પાંચ ગુણો, શું તમારા આદર્શ ટીચરમાં પણ છે ?

દરેક શિક્ષકમાં હોવા જોઈએ આ પાંચ ગુણો, શું તમારા આદર્શ ટીચરમાં પણ છે ?

Comments 1

  1. TC says:
    5 years ago

    Very informative. Good . Now if possible, can you post the Vidhi and Mantra etc fro the last day of Shradh, Thanq.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોલ આવવા પર માત્ર આટલી સેકેંડ જ વાગશે ફોનની રીંગ… આ કંપનીઓ કરશે આ ખાસ નિર્ણય.

ઈ-સિગરેટ વેપીંગે 18 વર્ષની છોકરીને પહોંચાડી વેન્ટીલેટર પર… શેર કરી તેની દર્દનાક કહાની.

October 17, 2019
સર્જરી કે દવા વગર જ શરીર પરના બિનજરૂરી તલ અને મસા નીકળી જશે, જાણી લો આ મફત ઘરેલુ ઉપચાર…

સર્જરી કે દવા વગર જ શરીર પરના બિનજરૂરી તલ અને મસા નીકળી જશે, જાણી લો આ મફત ઘરેલુ ઉપચાર…

November 10, 2022
ભારતથી અમેરિકા જઈ રહેલી ફ્લાઈટમાં જન્મ્યું બાળક, તો એને ક્યાં દેશની મળશે નાગરિકતા ? મોટાભાગના લોકો નથી જાણતા આનો જવાબ…

ભારતથી અમેરિકા જઈ રહેલી ફ્લાઈટમાં જન્મ્યું બાળક, તો એને ક્યાં દેશની મળશે નાગરિકતા ? મોટાભાગના લોકો નથી જાણતા આનો જવાબ…

November 24, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.